Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૧

અને જયાંથી અચાનક ઉચાળા  ભરવા તે ઠેકાણે  ઉદ્યમ કરે છે, ને જયાંથી કોટિ કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે  ઉદ્યમ નહિ ! એ જ અજ્ઞાન છે. ।।૧૦૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦ર

અને વ્યવહાર માર્ગ તો કાંઇ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું, એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે. ।।૧૦૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૩

અને કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ ત્યારે સામો પણ દેખાય, તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂકયાં પછી કામમાં આવશે. ।।૧૦૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૪

અને ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે; અને મુકત, મુમુક્ષુ ને વિષયી એ ત્રણેને ક્રિયા વિષે ભેદ છે. ને કોઇક ક્રિયા કરવામાં જીવને મૂંઝવણ થાય તો કહેવું જે,મને કાંઇ બીજું બતાવો, પણ મૂંઝાવું નહિ. ।।૧૦૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦પ

આ જીવને મૂઆ સુધી પણ આ લોકના મનસૂબા છે, પણ તે મૂકવા ને પરલોકના કરવા. ને આત્મા ને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી, એમ મહારાજનો મત છે. પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે ને ત્યાગના, ભકિતના અને ધર્મના એ આદિકના હજાર શબ્દ આવે, તેથી પણ એ માર્ગે ચલાતું નથી. પણ સિદ્ધાંત તો એ જ કરવાનું મહારાજ કહે છે. ।।૧૦૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૬

અને ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું જે,‘બે-ચાર-પાંચ જણ એક રુચિવાળા, બે-ચાર-પાંચ વરસ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠિ  કરે તો આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય.’ ।।૧૦૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૭

અને કુરૂપવાન સ્ત્રીમાં મન તણાય નહિ ને રૂપવાન સ્ત્રીમાં મન તણાય છે, એવો જીવનો સ્વભાવ છે ને માલ તો એ બેયમાં એક જ છે, પણ તેમાં રૂપવાન સ્ત્રી જેવી બધંનકારી છે તેવી કુરૂપવાન સ્ત્રી બધં નકારી નથી, તમે જ સારું ઘોડું તેમાં દુ:ખ છે એવું ઊતરતામાં નથી, કમે જે, પડીએ તો થોડું વાગે ને બાજરો, ખડ પણ થોડા જોઇએ ને તેનું ઝાઝું રક્ષણ પણ કરવું ન પડે. તમે જ સારું ખાવામાં, સારાં લગૂ ડામાં એ આદિક અનેક વિષય છે, ને સર્વેમાં જેવું સારામાં બંધન છે એવું ઊતરતામાં નથી, પણ જીવને જયાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહિ ને પદાર્થનો વિચાર આદ્ય-અત્ં યનો કરવો, પણ મધ્યમાં ન જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે, એ અજ્ઞાન છે. ।।૧૦૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૮

અને ઉપાસના ચોખ્ખી સમજવી ને મહારાજનું સર્વ- કારણપણું સમજવું. ને પૂર્વના અવતાર કરતાં આજ તો સાધુ, સત્સંગીમાં ઘણું સામર્થ્ય છે. ને પુરુષોત્તમના ભકતમાં ને બીજા અવતારના ભકતમાં કેમ ભેદ છે ? તો જેમ હાથણી વિયાય ત્યારે તેને ભેંસ જેવડું બચ્ચું આવે ને જૂ વિયાય ત્યારે તેને લીખ આવે, એમ ભેદ છે. ને વળી જેમ વડનું ઝાડ ને તુવેરનું ઝાડ એમ ભેદ છે. વળી, શ્રીજીમહારાજ કહેતા જે, ‘શ્રીકૃષ્ણે તો અનિરૂદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એવાં નામ પાડ્યાં, અને અમે તો નિત્યાનંદ, નિર્ગુણાનંદ ને અક્ષરાનંદ એવાં નામ પાડ્યાં.’ વળી જેમ દિલ્હીના બાદશાહનું નામ શેરખાં ને બીજા કોઇકનું નામ શેરખાં; એમ અવતારમાં ભેદ છે. ।।૧૦૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 165
Powered By Indic IME