Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૩

અને લાખનો ત્યાગ કરીને એકને રાખવા. ને મહારાજ પણ એમ કહેતા જે, ‘પાંડવોએ સર્વેનો ત્યાગ કરીને એક શ્રીકૃષ્ણને રાખ્યા’, એમ છે તે જાણવું. ।।૯૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૪

અને ‘મૂર્ખનો સંગ ન કરવો, કેમ જે, મૂર્ખ ચાકર હતો તેણે રાજાને બાટી આપી’  એમ મહારાજ કહેતા. ।।૯૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯પ

કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઇએ ? જે, ઓગણોતેરા કાળમાં ભીમનાથમાં રાંકા  માગવા આવતાં ને કરગરતાં તેને ધક્કા મારે પણ જાય નહિ, એવો ખપ રાખવો. ।।૯૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૬

અને ચાર ઘાંટીઓ છે તેને ઉલ્લંઘવી એ કરવાનું છે; તેમાં એક તો ભગવાનની ઉપાસના સમજવી, બીજું સાધુ ઓળખવા, ત્રીજું દેહ આત્મા જુદા સમજવા ને ચોથું ઉત્તમ ભોગમાથીં રાગ ટાળવો; તે કરવું. તેમાં સર્વેનું કારણ સાધુ છે.।।૯૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૭

અને મહારાજને ગમતી રુચિ કર્યા વિના જો ભગવાનનું  સુખ મળશે તોપણ ભોગવાશે નહિ, જેમ માંદાને સારું મળે તોપણ ભોગવાય નહિ, તેમ પુરુષોત્તમનું જ્ઞાન થયું છે ને તેને વાસનાએ કરીને વિષય મળશે તો તેમાંથી બહુ દુઃખ થાશે, પણ તેનું સુખ નહિ આવે ને આવરદા લાંબી તે મરાય નહિ. ।।૯૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૮

અને આ લોકનો આ જીવને ફેર ચડી ગયો છે. તે વાત સાંભળે ત્યારે જેમ પાણી ઉપર શેવાળમાં  લાકડી મારે તે નોખું  થઇને પાછું ભેળું થઇ જાય છે, તેમ આ લોકમાં પાછું ભળી જવાય છે, એવો આ જીવનો ઢાળો છે. ।।૯૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૯

અને આજ્ઞા પળે એટલી વાસના બળે. તે આજ્ઞા કઇ જે, શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ, ધર્મામૃત તે પાળીને વાસના ટાળવી. ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે. ।।૯૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૦

અને કોઇક મરે ત્યારે કાંઇક થડકો થાય ને પછી આ લોકમાં પદાર્થ, મનુષ્ય, રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે; ને આજ્ઞા પાળવી પણ લોપવી નહિ. તે આજ્ઞા મુખ્યપણે તો ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામશુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે વર્તવું ને મોટાનો સમાગમ કરવો ને સેવા કરવાનું કહે છે તે સર્વમાં મુખ્ય સેવા તે શું ? જે, મોટા એકાંતિકની અનુવૃત્તિ મન, કર્મ, વચને રાખવી, એવી બીજી કોઇ સેવા નથી. ।।૧૦૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103
Powered By Indic IME