અને આપણે આ લોક ને આ લોકના પદાર્થને કરોડ ગાઉનું છેટું છે, પણ આ સર્વે કારખાનાં કરીએ છઈએ ને પદાર્થ રાખીએ છઈએ તે તો શું કરીએ ? જે સ્થાન વિના આટલા માણસને કયાં રહેવું ? ને મંદિરમાં ચાર-પાંચ મોટેરા હોય તેમાં કોઇને રજ હોય ને કોઇને તમ હોય, તે સૌને પોતાની પ્રકૃતિ પ્રમાણે સૂઝે, બાકી તેમાં મોક્ષભાગી પણ હોય તેને મળવું. ને જેને સત્ત્વગુણ પ્રધાન હોય તેને સારું સૂઝે. ને મન, કર્મ, વચને મોટાની અનુવૃત્તિમાં રહીએ તો એની દષ્ટિ પડી જાય ને સર્વ દોષ ટળી જાય; ને માણસ રાજાને, સિપાઇને ને જમાદારને, એવા અવળાને પણ રાજી કરે છે, તો આ સાધુ તો તરત રાજી થઇ જાય એવા છે. ।।૮૧।।
read more
Edit |
Renew |
Delete |
(expires in days)