Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૧

સંતનો મહિમા કહ્યો જે, ‘આવા સાધુનાં દર્શન કર્યે ભગવાનના દર્શનનું ફળ થાય છે, ને તેની સેવા કર્યે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે. ને આપણે તેવા સાથે હેત થયું છે, માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય. ।।૨૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 157

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- રર

અને કેટલાક રસોઇ કરે છે, પાણી ભરે છે ને કેટલાક લખે છે, ને ભણે છે, કેટલાક ખડ વાઢવા જાય છે ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિક ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું જે, એ સર્વે દેહનો વ્યવહાર છે તે કયુર્ં જોઇએ, પણ કરવાનું તો બીજું છે. તે શું ? જે મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસના ને જ્ઞાન શીખવું ને સત્સંગ-કુસંગ ઓળખવો ને સત્સંગમાં રહેવાય એવો દઢ પાયો કરવો; ઇત્યાદિક કરવાનું છે તે કરવું. મનુષ્યને જે જે ક્રિયા કરવાનું કહીએ તે તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે, પણ જ્ઞાન વિના સર્વે કાચું છે. ને અંતરમાં ખોટા ઘાટ થાય તે પણ જ્ઞાનની કસર છે અને શ્રીજીમહારાજ પૂછતા જે, “એને કિયા સાધુ સાથે હતે છે ને કિયા સાધુ પાસે બેઠક-ઊઠક છે ?” એમ તપાસ કરવાનું કહેતા. ।।૨૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 179

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૩

અને “બકરાં, ગાયો, ભેંસો ને ઊંટ એ સર્વે વાડામાં રહે પણ વાઘ હોય તે વાડામાં પૂરાય નહિ, તેમ મુમુક્ષુ હોય તે કોઇ મતમાં કે વિષયમાં બંધાઇ રહે નહિ.” એમ મહારાજ કહેતા. ને શ્રીજીમહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા, તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા ? માટે બુદ્ધિ તો એટલી જ જે, મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહિ. ને મહારાજ કહેતા જે, ‘નાથભકત  બુદ્ધિવાળા છે ને દીવાનજી  મૂર્ખ છે. ને વ્યવહાર છે તે તો તાજખાના જેવો છે, તે તો સુધર્યો તોપણ બગડેલો જ છે, તેમાં કાંઇ સાર નથી.’ તે ઉપર સુરતના ખાડાનું  દષ્ટાંત દીધું. ।।૨૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૪

સર્વ ક્રિયા કરવામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય; ને સત્પુરુષનો રાજીપો જેવો સત્સંગે કરીને થાય છે એવો પદાર્થે કરીને થાતો નથી. ને જે એક ચેલામાં બંધાય તે પાંચ-દશમાં કેમ ન બંધાય ? ને જે ઘણા માણસમાં પણ ન બંધાય એ તો અતિ સમર્થની વાત છે. ।।૨૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 145

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- રપ

એક જણ એક મંદિરમાં પાંચસે રૂપિયા મૂકીને ચાલ્યો ગયો પણ એટલા રૂપિયા બેઠાં બેઠાં ખાઇને સાધુનો સમાગમ કર્યો હોત તો બહુ સમાસ થાત. ।।૨૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૬

અને મોટાની આજ્ઞાએ કરીને કરવું, તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી  એવું છે. ને મનનુ ગમતું કરવું તે તો કાર્તિકસ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે. માટે આજ્ઞાએ જો થોડું કરે તોપણ ઘણું થાય છે. ને મનગમતું ઝાઝું કરે તોપણ થોડું થાય છે ને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું. ।।૨૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૭

અને શિવજી, પાર્વતી ને પોઠિયાના દષ્ટાંતે  કરીને જગતનું કહ્યું જે, ‘એમાં કાંઇ પાધરું ન મળે, એ તો ગમે એમ કરે તેમાં પણ ખોટ કાઢે, માટે એ વાત સમજી રાખવી.’ ।।૨૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૮

અને બહુ ખપવાળો હોય તેનું સમું  રહે; નીકર બહુ પ્રકારના શબ્દ આવે તે મૂળગો ઘટી જાય. ।।૨૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 125
Powered By Indic IME