Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૯

ભગવાનને સંભારીને જે જે ક્રિયા કરે છે તોપણ તે નથી કરતો ને તે અકર્તા છે, ને તે વિના તો બેઠો છે તોપણ તે કર્તા છે. ને ભગવાનને સંભારીને ખાય છે, બોલે છે, જુએ છે, સૂવે છે, ચાલે છે, ઇત્યાદિક જે જે ક્રિયા કરે છે તોપણ તે કાંઇ કરતો નથી ને તે તો અકર્તા છે. ।।૨૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૦

અને અંતરમાં ભજન કરતા શીખવું, તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. ।।૩૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૧

અને પ્રસાદીનું માહાત્મ્ય સમજતા હોઇએ તો મોટાના ચરણની રજ લઇને માથે ચડાવવી, પણ રસેયુકત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે. ।।૩૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 148

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩ર

દ્રવ્ય છે તે તો પાંચે વિષયનું કારણ છે, તે મળે તેમ તેમ વિષયને અર્થે ઉદ્યમ થાય. ।।૩૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૩

જેના હૈયામાં જગત પ્રધાન હોય તે બીજાના હૈયામાંથી જગત શું કાઢશે ? નહિ જ કાઢે. ને તે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે; ને સૌને એમ છે જે મારા જેવું સમજે તો ઠીક. ।।૩૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 117

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૪

અને સંગ કરવામાં ને સત્સંગ કરવામાં પણ બહુ ભેદ છે, કેમ જે, મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગૃહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. જેમ ગાયના આઉમાં  ઇતરડી  રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી ને વાછરું છે તે છેટે રહે છે તોપણ તેને દૂધનો સ્વાદ આવે છે. ।।૩૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 131

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩પ

અને નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવું જે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું ? એમ જોયા કરવું. ।।૩૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૬

અને સત્સંગ કરવામાં ને સમજણમાં ઘણી કસર રહી જાય છે; કેમ જે, શ્રીજીમહારાજ બિરાજતા ત્યારે દર્શન થાતા હોય એટલી વાર દસ-વીસ સાધુ તો ઘડી છેટે જાતા નહિ, ને ગમે એટલો થાક લાગ્યો હોય, પણ રાતે દર્શન થાતાં હોય તો આખી રાત દર્શન કરતા, ને કેટલાક સુખે સૂઇ રહેતા; એમ સમજણમાં ઘણાં ભેદ છે. ।।૩૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 120
Powered By Indic IME