Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩

ઇન્દ્રિયારામ અને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે. અને વૈરાગ્યનું તો છેટું છે; કેમ જે, વિષયમાં રાગ છે ને આત્મજ્ઞાનનું પણ છેટું છે. કેમ જે, જીવ દેહમાં જડાઇ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિષે ને બીજી ભગવાનના સ્વરૂપને વિષે નિષ્ઠા, એ બે વાત મુખ્ય રાખવી. ।।૧૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 166

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪

અને હવે તો ગૃહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે. ને કામી હોય તે જેમ સ્ત્રીઓને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામું જોઇ રહ્યાં છે જે, ‘મને કોઇ સંભારે છે ?’ પણ જીવ તો એવો અવળો છે જે, બીજા પદાર્થ સામું જુએ, પણ ભગવાન સામું ન જુએ. ।।૧૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 158

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ

સંગનું રૂપ કહ્યું જે, ભેગા રહે પણ સંગ ન કરે, તેમાં ઊનાના શેઠિયાનું દષ્ટાંત દીધું જે, સાઠ માણસ ભેગાં રહેતાં પણ તેમાં સંગ તો પુરુષ, સ્ત્રી ને છોકરો એ ત્રણને હતો. ને ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડ ખવાય છે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે, તો કુસંગી ભૂલાવે એમાં શું કહેવું ? ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઇએ આશા જ રાખવી નહિ; કેમ જે, કોઇનું કામ પુરું થયું નથી ને થાશે પણ નહિ. ને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી પણ તેમાં પ્રભુ ભજાય નહિ ને પશુ, પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય ને મનુષ્યદેહમાં ભજાય; તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય, ખાવા ન મળે તોપણ ન ભજાય ને રોગ થાય તોપણ ન ભજાય, ઇત્યાદિક વિઘ્ન છે. આ તો સર્વ વાતે સાનુકૂળ છે; તેમાં પણ પ્રભુ નહિ ભજે તો પછી કીયે દહાડે ભજાશે ? ।।૧૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 175

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬

શ્રીજીમહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તોપણ એક પડખે  પુસ્તક નિરંતર રાખતા  ને હરે ! હરે ! કરતા, તે આપણને શીખવતા. અને શ્રીજીમહારાજે કહ્યું હતું જે, “કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું; કેમ જે, પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહ્નિક ભૂલી ગયા હતા. પછી વળી કોઇક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા.” ।।૧૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 192

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭

શ્રીજીમહારાજ કહેતા જે, “ભેંસો, ગાયો, બકરાં આદિકના ટોળામાં એક ચારનારો હોય, તે પોતે એમ સમજે જે આ સર્વે પશુ છે ને હું મનુષ્ય છું; એમ ભગવાનના ભકતને સમજવું જે, વિમુખ સર્વે પશુ છે ને હું ભગવાનનો ભકત મનુષ્ય છું.” ।।૧૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 179

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮

અને ભગવાનના ભકતનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય; જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામા પચાસ આવે તો તેને હઠાવી દે; તેમ ગુણ તો ઘણાયે હોય તે વિચારવા, તો દોષ થોડા હોય તે ટળી જાય; ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહિ. ને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ જ છે. તે જેમ રખાય તેમ બળિયો થાય. તેમાં એક તો આ બધાયે મંદિર કરે ને સત્સંગમાં ન રહે, ને એકે તો એક ઇંટ પણ ન લીધી હોય ને સત્સંગમાં રહે એમ સમજણમાં રહ્યું છે. ને ઊતરતાને સંગે ઊતરતો ઊતરતો ઊતરી જાય, જેમ બ્રાહ્મણ હતો તે ઢેઢડી  સારુ  ઢેઢ થઇ ગયો તેમ થાય. ।।૧૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 190

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૯

આ મેડીઓ મળી છે ને સારું સારું ખાવા મળે છે, કે માન મળે છે ઇત્યાદિક મનુષ્યદેહનું ફળ નથી. તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્યદેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે. ।।૧૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 164

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૦

અને એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું ફરતું કરવું. તે શું ? જે, કથાવાર્તા  સાંભળવી, વાચંવું, ધ્યાન કરવું, નામરટણ કરવું, એ આદિકમાં થાક લાગે ત્યારે બીજું કરવું, નીકર મૂઝવણ થાય ને મન જીવને મૂંઝવે એવું છે. ।।૨૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 161
Powered By Indic IME