ભગવાન છે તે કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા તેનું કેમ સમજવું ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જે ઝાઝું ધન મળે તો વધારે ફેલ કરે, માટે થોડું મળે તે ઠીક છે. ૨૩ read more
હીરો છે તે કોઇ રીતે ફુટે નહિ. પણ તે માંકડના લોહીથી ફુટે, તેમ વાસના કોઇ રીતે ટળે નહી, પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે, ને એની ક્રિયા ગમે તો તેથી ટળે, નીકર સાધન તો સૌભરિ આદિકનાં કેવાં ! તોપણ વાસના ટળી નહિ. ૨૮ read more
સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે, કેની પેઠે ? તો જેમ ખાધાનુ મળે પણ ખાધા વિનાનું સુખ ન આવે, જેમ લુગડાં, ઘરેણાં મળે તોપણ પેર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્સંગનુ સુખ આવે નહિ. ૨૯ read more
અને આવા સાધુને મનમાં સંભારીએ, તો મનનાં પાપ બળી જાય. ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો. ૩૦ read more