Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭

ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો, તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત, ને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય પણ તે વિના કયાંથી પમાય ? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે; તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે. ૭ read more
0 Views : 312

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮

ઇન્‍દ્રિયારામ હોય તે દબાય પણ આત્‍મારામ હોય તે ન દબાય, કેમ જે ઇન્‍દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, પણ આત્‍મારામ હોય તે શા સારુ દબાય ? કેમ જે એને તો કાંઈ જોઈએ જ નહીં, ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહી. ૮ read more
0 Views : 317

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯

સંસાર મૂકીને ત્‍યાગી થાય, તે દુ:ખ માત્રને ટાળીને સુખિયો થઈ જાય, પરંતુ ત્‍યાગી થયા પછી પણ વાસનાનું દુ:ખ રહે છે. તે વાસના લોભની, કામની, સ્‍વાદની, સ્‍નેહની ને માનની છે. તે વાસના ટળે તેમ તેમ સુખિયો થાય છે. ૯ read more
0 Views : 309

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦

ઇન્‍દ્રિયો અંત:કરણ એ સર્વે કુસંગી છે. તે જે જે વિષયનો જોગ થાય તે તે રુપ થઇ જાય એવો જ એ જીવનો સ્‍વભાવ છે. તે એવા જીવને ભગવાનના સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે. ૧૦ read more
0 Views : 267

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧

રુપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્‍ય ને સારી મેડી મળી તે સત્‍સંગીને પણ માયાનું બંધન થયું કેમજે, એમાંથી જીવ નીકળે નહીં, માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે. ૧૧ read more
0 Views : 194

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર

દોષ  રહે છે ને ટળી જાતા નથી, એ તે કેવળ દોષ જ છે કે તેમાં કાંઈ ગુણ પણ છે ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જે દોષ પીડે તેથી સત્‍સંગમાં દીન આધીન રહેવાય, ને સત્‍સંગની ગરજ રહે ને ભગવાનની સ્‍તુતિ થાય, ને દોષનો કજીયો હોય તેથી જ્ઞાન થાતું જાય, તે વિના એવી ગરજ રહે નહિ, માટે એ ગુણ છે. ૧૨ read more
0 Views : 190

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩

દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રુપ જુદું સમજીને ભજન કરતો હોય, તો બહુ સમાસ થાતો જાય પણ ક્રિયારુપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહી.  ૧૩ read more
0 Views : 182

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪

કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો, ને કદાપિ કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડયો તો શું કર્યું ? ૧૪ read more
0 Views : 373
Powered By Indic IME