Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૬

કર્મવિપાક નામે ગ્રંથ છે તે મહારાજે વંચાવ્‍યો હતો. તેમાં કહ્યું : જે ‘આ પાપે કરીને આ રોગ થાય’ એ પ્રકારે તેમાં ઘણો વિસ્‍તાર કહ્યો છે. ૯૬ read more
0 Views : 164

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૭

અને આખી પૃથ્‍વીમાં એક માણસ મરે તેનો કાંઇ ખરખરો થાય છે ? તેમ અક્ષરની દૃષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ થડકો ન થાય, એવી પણ એક સમજણ છે. ૯૭ read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૮

અને સાંખ્‍યની દ્ઢતા કેમ થાય ? પ્રશ્નનો ઉત્તર : જે માણસ મરી જાય છે ને દેહ ઘરડું થઇ જાય છે તે જોવું, ને નિત્‍ય પ્રલય, નિમિત્તપ્રલય ને પ્રાકૃતપ્રલયનો વિચાર કરવો, અને સાંખ્‍ય ને યોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે. ૯૮ read more
0 Views : 139

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૯

જેમ નાતનો, નામનો અને ગામનો નિશ્વય થયો છે, તેમજ એવો અભ્‍યાસ કરે: જે ‘હું આત્‍મા છું, બ્રહ્મ છું, સુખરુપ છું, ભગવાનનો ભકત છું પણ દેહ તે હું નહિ, એમ કરે તો તે પણ થાય, ને આ દેહ આપણને નિત્‍ય નરક ચુંથાવે છે એથી ભૂંડું શું ? પણ જ્ઞાન વિના તેની ગમ નથી. ૯૯ read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૦

અને અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે, તેમાં પણ કેટલાક દુ:ખિયા છે. તેમાં દેહનું દુ:ખ થોડું ને મનનું દુ:ખ ઝાઝું છે. ૧૦૦ read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૧

પ્રકૃતિ પુરુષ સુધી ત્રણ તાપ છે ને ત્રણ ગુણ છે, ને તેથી પર ગુણાતીત સુખ છે. ૧૦૧ read more
0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦ર

અને ભગવાન ને ભગવાનના સાધુ એ બે સામું જોવું, ને એ જ જોયા જેવા છે બીજામાં માલ નથી. ૧૦૨ read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૩

મોટાને વિષે મનુષ્યભાવ નથી રહ્યો તે કેમ તપાસ કરવો ? એ પ્રશ્નનો ઉત્તર: જે એની કોઇ કિયામાં દોષ ન આવે એ જ દિવ્‍ય ભાવ છે. ૧૦૩ read more
0 Views : 121
Powered By Indic IME