Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯ર

બીજું એ જે, સારા સાથે જીવ બાંધવો. કેમ જે, કહેનારાકોઇ ન મળે ત્યારે એ કરવું ને સુખિયા રહેવું. ને પોતાની ખોટકહેવી, ને જે ન સૂઝતી હોય તે તેઓને કહેવું જે, ‘હુંમાં જેજે વાતની ખોટ  હોય તે દયા કરીને તમે કહેશો ?’ એમ રોજકહેવું, કાં આઠ દિવસે, કાં મહિને તો જરૂર કહેવું. કાં જે, મહિનેતો જરૂર કોઇક ભેગો થઇ જાય. તે ઉપર નામાના વચનામૃતનું(પ્રથમ પ્ર.નું ૩૮મું) કહ્યું જે, “મહિને ન ચૂકવે તો ભેળું થઇજાય.” આમ ભગવાનને ગમે છે, તે ગમતું તમને કહ્યું. ।।૯૨।। read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૩

બીજું સાધારણ ભકતનું તો ઠીક છે ને જેને ઉત્તમ થાવુંહોય તેને કોઇ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહિ ને હેત ન રાખવું,તો નિર્વિઘ્ન ભગવાનના ધામમાં પહોંચાય. અને આ સભા તોઅક્ષરધામની છે. અને ગોલોક, વૈકુંઠના મુકત કસર ટાળવાઆંહીં આવે છે ને અક્ષરધામના મુકત પણ આંહીં ભગવાનભેળા આવે છે ત્યારે કસર ટળે છે. માટે આ તો પુરુષોત્તમભગવાન છે ને તેના સાધુ છે ત્યાં ખબરદાર થઇને મંડવું. કેમજે, તે વાત પછી નહિ મળે. ।।૯૩।। read more
0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૪

વળી મહારાજ કહેતા જે, ‘ઇન્દ્રે બ્રાહ્મણ માર્યો, તે વાંસે ચાર બ્રહ્મહત્યા વળગી.’ પછી નારદજીને પૂછ્યું, ત્યારે કહે‘તારા ભાઇ વામનજીને તું ભગવાન જાણીને ભજ તો છૂટશે.’પછી ભજયા એટલે છૂટી. એમ આ સ્થૂળ દેહનો તો નાશ થાયછે. પણ સૂક્ષ્મ ને કારણ એ બે તો બ્રહ્મહત્યા વળગી છે. તેસાધુને પૂછીને તથા આત્મવિચાર શીખીને મનન કરે તો નાશથઇ જાય છે; નીકર જયાં જાય ત્યાં ભેળી રહે છે. અને આમહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને બ્રહ્મરૂપકરવા થયો છે ને બીજે તો બધું ડોળી નાખ્યું છે. ।।૯૪।। read more
0 Views : 174

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯પ

એકોતેર ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે. એવા ચૌદઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થયો. તેમાં ક્ષુદ્રવૈરાટ બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણ નાશ થાય. તે બ્રહ્માંડ બ્રહ્માંડપ્રત્યે એક શ્રીકૃષ્ણનારાયણ, એક લક્ષ્મીનારાયણ, એક નરનારાયણને એક વાસુદેવનારાયણ એ છે. એવા અનંત કોટીબ્રહ્માંડ છે, એમ સમજવું.હવે એવા ત્રીસ દિવસનો મહિનો ને બાર મહિનાનું વર્ષ,એવાં સો વર્ષ વૈરાટ જીવે, ને પ્રધાનપુરુષને રુંવાડે રુંવાડેક્ષીરસાગર છે. એટલે સાડા ત્રણ કરોડ શેષશાયી થયા ! માટેએ સર્વેથી તો પ્રધાનપુરુષ મોટા થયા. ને તે પ્રધાનપુરુષના એકદિવસમાં વૈરાટ પડે, તેવા સો વર્ષ પ્રધાનપુરુષ જીવે, ને તે પાછોપ્રકૃતિપુરુષના એક દિવસમાં નાશ થાય. એવા સો વર્ષપ્રકૃતિપુરુષ જીવે છે. એમ ત્યાં સુધી કાળ પૂગે છે. ત્યારે બીજાશું કાળ થકી મુકાવે ? માટે તેને વિષે અરુચિ કરીને એકઅક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, તેનુંમાહાત્મ્ય સમજીને, તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો નેત્યાં પૂગવાની રુચિ રાખવી ને એના સાધુને વિષે જીવ બાંધવો.જોને, બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો, ત્યારે એથીઅધિક તો સાધુમાં સામર્થ્ય છે. ત્યારે પુરુષોત્તમની તો વાત જશી ! આ સિદ્ધાતં વાર્તા કહી છે.તેજો  નહિ સમજાય તો ખોટરહી જાશે, ને વાંસેથી પસ્તાવો થાશેને દહે રહેકે ન રહે તોપણકસર કાઢી નાખવી. ।।૯૫।। read more
0 Views : 135

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૬

અને સ્ત્રીનો સંગ કરવો ને કામ ઓછો થાશે ? વધશે.ખાશું ને સ્વાદ ઓછો થાશે ? વધશે. ને હથિયાર બાંધશું નેક્રોધ ઓછો થાશે ? વધશે. તે માટે એનો યોગ ન રાખે તોરહેવાશે. ને શેરડી ઊભી હોય તે જાણીએ થોર ઊભો છે, ત્યારેરહેવાય; નીકર મન તો ચાહે તેમ કરાવે. કડે મન મંકોડી થિયેને કડે કેશરી સિંહ’ એ એમ એકલે ઉપરથી રાખ્યે શું થયું ?એ તો બૂડઠૂંઠાં અંતરમાંથી પણ કાઢવાં. તે ઉપર બોલ્યા જે,‘જેમઉપરથી મોડતાં વૃક્ષ, લાગે પત્ર તેને બીજા લક્ષ ’ એ કહ્યું. ।।૯૬।। read more
0 Views : 154

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૭

મોરે (આગળ) તો જેમ તીરમાંથી બાણ નીસરે એમ સાધુએ દાખડા કર્યા છે. હવે કાંઇ કરવું નથી; ને હવે તો એનુંફળ દેવું છે. ને વૈરાગ્ય, ધર્મ, આત્મનિષ્ઠા અને ઉપાસના એસર્વે જેમ છે તેમ કહેવું છે, ને જ્ઞાન આપવું છે. કેમ જે, દેહન રહે તો પછી શું થાય ? ને આ કઠોદર થયું હતું, તથા સંવત૧૯૧૯માં મંદવાડ પણ આવ્યો હતો; એ ત્રણે વાર દેહ રહેએવું નહોતું, ને સંવત્ ૧૮૯૬ની સાલમાં કઠોદર થયું હતું તેદિવસની આવરદા તો છે નહિ, ચિરંજીવી જેવું થયું છે, માટેજેમ મહારાજે છેલ્લી વાર આઠ મહિના રાખીને જ્ઞાન આપ્યું,એમ અમારે બાર મહિના રાખીને કથા કરાવવી છે, તેઅચિત્યાનંદ બ્રહ્મચારીવાળા ગ્રંથની કરાવીને ઓણ જ્ઞાનઆપવું છે. ।।૯૭।। read more
0 Views : 155

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૮

વળી મંદિરમાં બીજા માણસ ભલે હોય પણ માણસને ઉદ્વેગકરે ને ધન, સ્ત્રીનો પ્રસંગ રાખે તેને તો ન જાય, તોપણ કાઢીમૂકવો, અને મહારાજને એક રહેણીએ રહીને જે મરે તે બહુગમે; કેમ જે, ભાવ ફરી જાય. માટે સાધુને વિષેથી ને ભગવાનનેવિષેથી તે ભાવ ફરવા ન દેવો, મરને થોડું કરવું. ।।૯૮।। read more
0 Views : 140

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૯

અને આત્મારૂપ થાવું, તેમાં ઉત્તમ ભોગને વિષે રાગ છે એ પણ વિઘ્ન છે. વૈરાગ્ય, ધર્મ, માહાત્મ્યે સહિત ભકિત નેઆત્મનિષ્ઠા એ સમજે જ છૂટકો છે. અને મહારાજ કહે,‘નાહીધોઇનેપૂજા કરવી પણ મળમૂત્ર ભર્યા ન કરવી,’ પણ આપણનેએમ સમજાતું નથી. તે ઉપર અમદાવાદનું બીજું વચનામૃતવંચાવ્યું ને કહ્યું જે, તે પ્રમાણે કરવું ને બધાં વચનામૃતમાં કહેતાતો ગયા છે જે, સાધુ, પુરુષોત્તમ ને આત્મનિષ્ઠા જેમ સોયવાંસે દોરો સોંસરો ચાલ્યો આવે તેમ રહસ્ય કહેતા આવ્યા છે,તે પ્રમાણે સમજવું.ઉપરથી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરવું, તેકંઠમાં કરવું, હૃદયમાં કરવું ને જીવમાં કરવું; જયાં થાય ત્યાંકરવું ને જોતે જોતે ભગવાન સામું જોઇ રહેવું, તે દેખાશે. જેમચકમક પાડે ત્યારે માંહે અગ્નિ છે તે ઓલ્યા સૂતરમાં આવેછે, એમ દષ્ટાંત દીધું. ।।૯૯।। read more
0 Views : 124
Powered By Indic IME