Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૮

પછી વળી સ્વામીએ વાત કરી જે, મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને તે પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરવો, મંદિર કરવાં ને ભણાવવાં ઈત્યાદિક અનેક પ્રકારનો રાજીપો હતો અને આ વર્તમાનકાળે ભગવાનનો શેમાં રાજીપો છે ? તો નટની માયાના (પંચાળાના સાતમાં) વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો; તેની ઉપર મહારાજ રાજી રાજી રાજી જ છે. એમ કહીને મસ્તક ઉપર કળાઇ  મૂકીને તકિયા ઉપર ઢળી ગયા. ને વળી એમ બોલ્યા જે, બીજું અધિક કાંઇ સમજવાનું નથી, એટલું જ સમજવાનું છે જે, મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સંત બધાયે અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે તે પણ આંહીં દેહ ધરીને આવ્યા છે. એ બે વાત પ્રથમના (એકોતેરના) વચનામૃતમાં કહી છે. ને એ બે વાતને તો નથી સમજયો ને તે વિના તો – પીંગળ પુરાણ શીખ્યો, ગાતાં વાતાં શીખ્યો, શીખ્યો સર્વે સૂરમેં; એક રામ નામ બોલવો ના શીખ્યો, તો શીખ્યો સર્વે ગયો ધૂરમેં.  એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો. ।।૩૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૯

સ્વામીએ એમ વાત કરી જે, આગ લગી ચહુ ઓર અવિદ્યાકિ  અતિ ભારી; અધો ઊર્ધ્વ અરુ મધ્ય દિશોદિશ  ભૂજા  પસારી. વિષય ભોગવિલાસ, કર્મીકો કર્મ દઢાયો; કવિ ગુની પંડિત જાન તાહિ લે તહાં ડુબાયો. તેહી વાકજાળ ડારી વિકટ નરનારી આવૃત્ત કિયે; જન મુકુંદ મદમચ્છર લગ્યો યું માયા વશ કર લિયે. ત્યારે રૂપશકં રે કહ્યું જે, ‘મોરે તો હું અમે જાણતો જે, અવિદ્યા બીજે ઠેકાણે છે ને હવે તે અમે જણાણું જે, અવિદ્યા આંહીં જ રહી છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘અવિદ્યાનું સાસરું જ આંહીં છે; તે જયાં ત્યાં જઇને અવિદ્યાને પોતાનું રૂપ ઉઘાડું કરવું છે. અને અમારે ભગવાનનું ને અમારું રૂપ ઉઘાડું કરવું છે અને બીજાના મનમાં તો એમ છે જે જૂનાગઢના મંદિરનું તો સ્વામી નહિ હોય ત્યારે પડી ભાંગશે, પણ મહારાજની ને મોટા સાધુની દષ્ટિ છે તો સર્વોપરી કરવું છે. ને વીજળીનો ઝબકારો દેખીને ગધેડીએ પાટું નાખવા માંડી, તેણે કરીને વીજળી આળસવાની ૫ છે નહિ, ને પાટું નાખી નાખીને પગ તો ભાંગી જાશે; તેમ અવિદ્યાએ કરીને પોતાના જીવનું ભૂંડું કરશે; ને મહારાજનું ને મોટા સાધુનું કર્તવ્ય હશે તે તો ખોટું નહિ જ થાય.’ ।।૩૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 140

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૦

અને આજ તો સત્સંગમાં ભગવાન પ્રગટ બિરાજે છે, નહિ તો વીસ-વીસ વર્ષના સંસાર મૂકીને કેમ ચાલ્યા આવે ? ને કામ- ક્રોધાદિક તો એવા બળિયા છે જે શિવ બ્રહ્માદિકની પણ લાજ લીધી છે. અને એ કામાદિક જેને વિષે આવે છે તેને ગળી જાય છે, તે આજ તો મહારાજે ને મોટા સાધુએ ઠોઈ  રાખ્યા છે, જેમ બ્રહ્માંડથી પર મહાજળ છે તેમાં મોટા મોટા મચ્છ છે, તે બ્રહ્માંડની સમીપે આવે તો આખા બ્રહ્માંડને પણ ગળી જાય એવડા મોટા છે, પણ પ્રદ્યુમ્નને ચોકીમાં રાખ્યા છે તે જો બ્રહ્માંડની સમીપે ગળવા આવે તો માથામાં ગદા મારે તે કરોડો યોજન  જાતા રહે. તેમ કામ-ક્રોધાદિકને તો મહારાજે ને મોટા સાધુએ ઠોઇ રાખ્યા છે; નહિ તો આમાં રહેવાય નહિ. એમ કહીને બોલ્યા જે, ‘આ ગિરનાર છે તેને ઉડાડવાનો મનસૂબો થાય છે ?’ ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ !’ પછી સ્વામી બોલ્યા જે, ‘મનમાં ધાર્યુ નથી, નહિ તો ઉડાડી મૂકીએ. કેમ જે, પૃથ્વીના મનુષ્ય સર્વેને ભેગાં કરીએ ને લુહારમાત્ર માંડે લોઢાં  ઘડવા ને આપણે માંડીએ સુરંગો દઇને ઉડાડવા, તો ચાર-પાંચ વરસમાં ચૂરેચૂરા કરીને ઉડાડી મૂકીએ; તેમ કામ-ક્રોધાદિક ગમે તેવા બળિયા હોય પણ જો મનમાં ધારીએ તો ઉડાડી મૂકીએ એમા કાંઇ સંશય નથી.’ ।।૪૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૧

સ્વામીએ એમ વાત કરી જે, ‘આજ તો પુરુષોત્તમ અક્ષરધામ ને મુક્તે સહિત પધાર્યા છે, તે ભેળા અનતં ધામોના ભગવાન તેના મુકતે સહિત અહીં પધાયાર્  છે.તે શા સારુ ? તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા આંહીં આવ્યા છે, નહિ તો આવો ભીડો  વેઠાય કેમ ? તે મહારાજે કહ્યું જે,”એ અવતારમાં ત્રણ-ત્રણ  ભીડામાં આવ્યા છે ને આજ તો બધાયને ભીડામાં લેવા છે.” એમ કહીને વળી બોલ્યા જે, ‘બીજાના જન્મ છે તે તો પોતપોતાની ખોટ મૂકવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા સારુ છે ને એકાંતિકના જન્મ છે તે તો અનંત જીવોને બ્રહ્મરૂપ કરવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા સારુ આ પૃથ્વીને વિષે પધારે છે ને આ વાતો છે તે તો ગોપાળાનંદસ્વામી ને મુકતાનંદસ્વામી ને સ્વરૂપાનદં સ્વામી તેના અંગની છે.તે આ સાધારણ જીવમાં નાખી દીધી છે તે પથ્ય પડતી નથી ને ઊલટી થઇ જાય છે. જમે સો જન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય તેના પેટમાં સોમવલ્લીઔષધી રહે છે, ને એવો ન હોય તેના પેટમાં રહેતી નથી, તેમ અક્ષરધામનો મુકત હોય તેને આ વાત પથ્ય પડે છે ને બીજાને તો ઊલટી થઇ જાય છે, પણ પથ્ય પડતી નથી.’ ।।૪૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 179

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪ર

સ્વામીએ એમ વાત કરી જે,‘ભગવાનમાં જોડાવું કાં સાધુમાં જોડાવું.’ ત્યારે પૂછ્યું જે, ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય ? ને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય ? પછી સ્વામી બોલ્યા જે,‘ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનનાં ચિહ્ન, ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા, તે અહોરાત્રિ કર્યા-સાંભળ્યાં વિના રહેવાય નહિ; ને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન, સેવા ને વાતો તે અહોરાત્રિ કર્યા-સાંભળ્યા વિના રહેવાય નહિ, ત્યારે જાણીએ જે સાધુમાં જોડાણો છે.’ અને વળી એમ વાત કરી જે, ‘જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે ને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે.’ ત્યારે પૂછ્યું જે, આવી રીતે સાધુમાં જીવ બંધાણો હોય તોપણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે ? પછી સ્વામી બોલ્યા જે,‘એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી ને જો બંધાણો હોય તો જાય નહિ. જેમ આ લીંબડો છે તે જે દિવસ અમે મંદિર કરતા હતા, તે દિવસ બે વેંતનો હતો ને એક મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું ને હવે આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તોપણ ઊપડે નહિ. તેમ ઘણા દિવસ રહીને જેણે સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચવિષય કે કામાદિક દોષનો પાડ્યો સત્સંગમાંથી પડે નહિ.’ એમ કહીને બોલ્યા જે, પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ । સ રૂવ સાધુષુ ઇંતો મોક્ષદ્વારમપાવૃતમ્ ।। એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉઘાડું છે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 236

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૩

વળી સ્વામીએ એમ વાત કરી જે, ગોપાળાનંદસ્વામીએ સર્વે સાધુને કહ્યું જે, ‘કેવી રીતે ધ્યાન ને માનસી પૂજા કરો છો ?’ ત્યારે સર્વેએ કહ્યું જે,‘જયાં મહારાજ બેસતા તે ઠેકાણે ધ્યાન કરીએ છીએ ને જયાં બેસીને જમતા તે ઠેકાણે માનસી પૂજામાં જમાડીએ છીએ.’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘કોઈ એવું ધ્યાન શીખ્યા છો જે, ત્રણ દેહને જીતીને ધ્યાન કરવું ?’ ત્યારે સર્વેએ કહ્યું જે, ‘કેવી રીતે ત્રણ દેહ જીતવા ?’ એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, ‘ધ્યાન કરવા બેસીએ ત્યારે જીવજંતુ કરડે તોપણ સ્થૂળ દેહને હલવા દેવું નહિ એટલે સ્થૂળ દેહ જીતાણું જાણવું ને ઘાટ સંકલ્પ બંધ કરીને ધ્યાન કરવું એટલે સૂક્ષ્મ દેહ જીતાણું જાણવું. ને નિદ્રા, આળસ આવવા ન દેવી એટલે કારણ દેહ જીતાણું જાણવું. એવી રીતે ત્રણ દેહને જીતીને ધ્યાન કરવું.’ ત્યારે સિદ્ધાનંદસ્વામી કહે જે,‘કારણ શરીર તો કાળા પર્વત જેવું કઠણ છે. તે બહુ દાખડો કરીએ ત્યારે જીતાય, તે જેમ કૂવામાંથી કાળી છીપરને  કાપવી હોય તેને ટાંકણું-હથોડો લઈને ખોદીએ ત્યારે સાંજે માંડ ટોપલી ગાળ નીકળે એવું કઠણ છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘અમે તો સુરંગો  દઇએ છીએ તે બસેં- બસેં ગાડાં પાણા નીસરે છે, તે શું ? તો, વાતરૂપી સાંગડિયે  કરીને દાર દઇએ છીએ, ભગવાનના નિશ્ચયરૂપી દારૂ ભરીએ છીએ, ને ભગવાન ને ભગવાનના સાધુનો મહિમા તે રૂપી અગ્નિ મૂકીએ છીએ, તેણે કરીને કારણ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૪

સ્વામીએ એમ વાત કરી જે, ‘સત્યુગમાં મનુષ્યને લાખ વર્ષની આવરદા ને હજાર વર્ષનો ખાટલો ને સો વર્ષ સુધી ડચકાં ખાય ત્યારે જીવ જાય; ને આજ તો આ જ્ઞાને કરીને ત્રીજે ડચકે અક્ષરધામમાં જવાય છે, એવું સુગમ કરી નાખ્યું છે, પણ જયાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, મેડી, હવેલી, રાજયસમૃદ્ધિ ને રાજયલક્ષ્મીને વિષે માલ મનાય છે ને સુખ મનાય છે. જેમ છોકરાં ધૂળની ઘોલકીઓ  કરે છે ને ઠીકરાની  ગાયું કરે છે ને ચૈયાના ને કાચલીઓના ઘોડા કરે છે ને સુખ માને છે, તેમ એ પણ સુખ માને છે; પણ જયારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઇ જાય. જેમ ભાલદેશમાં બ્રાહ્મણ ચાલ્યો જતો હતો, તેને સામો રબારી મળ્યો. તેણે પૂછ્યું જે, ‘મહારાજ, રાજી કમે થયા છો ?’ ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો જે,‘રાજી ન થઇએ ? દસ ગાઉ ચાલ્યા આવ્યા છીએ ને જળ પાસે આવ્યું છે, ના’શું-ધોશું ને ટીમણ કરશું.’ ત્યારે તે રબારી બોલ્યો જે,‘હૈયું ફોડમાં, જોડા પહેરીને ચાલ્યો આવું છું એ પાણી તો ઝાંઝવાનાં બળે  છે !’ ત્યારે તે બ્રાહ્મણના મનસૂબા સર્વે ખોટા થઇ ગયા. તેમ જયારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઇ જાય અને જે મૃગલાં જેવા જીવ છે તે તો વિષયને સાચા માનીને દોડ્યા કરે છે. જેમ ઝાંઝવાના જળને  દેખીને મૃગલાં દોડે છે તેમ. અને મનુષ્ય […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪પ

સ્વામીએ વાત કરી જે, ‘સત્સંગ કયારે થાય ? તો જયારે બદરિકાશ્રમ જેવું ને શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય ને મુકતાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, સ્વરૂપાનંદસ્વામી ને કૃપાનંદસ્વામી એવા મોટા-મોટાનો નિરંતર સંગ હોય ને બ્રહ્માના કલ્પ પયર્ંત  આયુષ્ય હોય, ત્યાં સુધી જ્ઞાનગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય પણ તે વિના ખરેખરો સત્સંગ થાય નહિ.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘કયાં ગુરુ કર્યા છે ? ને ગુરુ કર્યા હોય તેના તો ગુણ આવ્યા જોઇએ ને ?’ સર્વોપનિષદો ગાવો, દોગ્ધા ગોપાલનન્દનઃ। પાર્થો વત્સઃ સુધીર્ભોકતા દુગ્ધં ગીતામૃતં મહત્ ।। એમ કોઇએ કયુર્ં છે ? જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અજર્નુ ને વાછડો કરીને દધૂ પાયું. અમે કોઇને ધાવ્યા છો ? અને જેને સામા ધવરાવ્યા હોય તે તો ગુડિયું  વાળે નહિ; ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગુડિયું વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા નથી અને ગુરુ કર્યા હોય તે તો ગુડિયું વાળે નહિ.’ ।।૪૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 147
Powered By Indic IME