Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૪

પછી વળી સ્વામીએ વાત કરી જે, પ્રભુ ભજવા દેહ તો ધર્યો છે, પણ પંચવિષય છે તે દમઘોષના દીકરા  જેવા છે, તે ભગવાનને વરવા દેતા નથી; એવા ભૂંડા છે. ત્યારે પૂછ્યું જે, ‘રુકિમણીજી એકવાર ભગવાનના ગુણ સાંભળીને બોલ્યા જે, ‘વરું તો ભગવાનને વરું નીકર જીભ કરડીને મરું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ તેને ન વરું’ એમ બોલ્યાં. ને આજ તો મહારાજ ને મોટા સાધુ નિરંતર કહે છે તોય ભગવાનને મૂકીને બીજાને કેમ વરાય છે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘આપણે ભગવાન વરવા  દેહ ધર્યો નથી ને રુકિમણીએ તો ભગવાનને વરવા દેહ ધર્યો હતો. આપણને તો મહારાજનો ને મોટા સાધુનો યોગ થયો છે, તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે, પણ પછી તો નીસરવું કઠણ પડશે, એવો સત્સંગનો પ્રતાપછે.’ ત્યારે પછૂ ્યું જે, ‘આ દહે મૂક્યા પછી કેવું થવાશે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘વ્યાપકાનદં સ્વામી તથા સ્વરૂપાનદં સ્વામી જેવા તો થવાશે, એવો મહારાજનો ને મોટા સાધુનો પ્રતાપછે.’ ।।૧૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 166

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧પ

પછી સ્વામીએ વાત કરી જે, જેવા મહારાજ છે ને જેવા આ સાધુ છે તેવા જો જણાય તો તેને સમજવાનું ને કરવાનું કાંઇ રહે નહિ. ત્યારે પૂછ્યું જે,‘જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેને જાણ્યા હોય તેની કેવી સમજણ હોય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘યો વેત્તિ યુગપત્ સવર્ં પ્રત્યક્ષેણ સદા સ્વતઃ  ।’ એ શ્રુતિ બોલીને કહ્યું જે, ‘એવી સમજણ હોય ત્યારે ભગવાનને ને મોટા સાધુને જાણ્યા કહેવાય.’ ત્યારે વળી પૂછ્યું જે, ‘આવી સમજણ હોય તો ભૂંડું આચરણ કેમ થાય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘જેને આવી સમજણ હોય તેને તો ભૂંડો સંકલ્પ પણ ન થાય, તો આચરણ તો થાય જ કેમ ? તે જેને જેટલું ભૂંડું આચરણ થાય છે, તેટલું અજ્ઞાન છે ને જેટલું અજ્ઞાન છે તેટલો જ કુસંગ થાય છે.’ ।।૧૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 166

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૬

એક દિવસે વેદાંતીની આગળ સ્વામીએ એમ વાત કરી જે, ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે ને જાણનારા છે ને સત્શાસ્ત્રના અર્થને અવળા કરનારા છે, તે તો અનંત જન્મ સુધી ને અનંત કલ્પ સુધી કોઈ સ્થાનકને વિષે બાળો સાદ  કરીને રોશે નહિ, ને સતયુગમાં લાખ વર્ષ સુધી ને ત્રેતાયુગમાં દસ હજાર વર્ષ સુધી ને દ્વાપરયુગમાં હજાર વર્ષ સુધી ને કળિયુગમાં સો વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે પણ બાળો સાદ કાઢીને રોશે નહિ, ને એમને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે, પણ સુખ તો નહિ જ થાય.’ એમ કહીને બોલ્યા જે, ‘સ્વામિનારાયણે આ પૃથ્વીને વિષે આવીને પાંચ પગ  રોપ્યા છે, તેને ખોટા કરીને જીવનું રૂડું થાય, અમે કહી દેખાડો ? અને તે પાંચ પગ તે શું ? તો નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ ને નિર્માન એ જે પાંચ પગ રોપ્યા, તેને ફેરવવાને કોઇ સમર્થ નથી. જેમ રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો તે કોઇથી ઊપડ્યો નહિ, તેમ અમે પણ પગ રોપ્યા છે તે કોઇથી ખોટા નહિ થાય.’ એમ કહીને નાહવા પધાર્યા. ।।૧૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 148

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૭

પછી વળી સ્વામીએ વાત કરી જે, મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે; પણ તેમાં ચાર વાતો છે તે તો જીવનું જીવન છે. તે શું ? તો, એક તો મહારાજની ઉપાસના, ને બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાથે પ્રીતિ, ને ચોથું ભગવદી સાથે સુ દપણું, એ ચાર વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહિ. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા ને દેવતા એ આઠ અશુભનો યોગ થાય, તો મહારાજને ને બીજા અવતારાદિકને વિષે સમભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિષે ગૌણપણું દેખાડી દે, ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડગોટા વાળતો હોય  એ બેયને એકપણે કરી મૂકે, ને ભગવદીને વિષે દોષ દેખાડી દે, એ આઠ દેશાદિક તો અસત્પુરુષને વિષે રહ્યા છે. માટે જેને જીવનું જીવન રાખવું હોય, તેને તો ઓળખીને જીવ જોડવો. ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું જે, ‘મારે તો બહુ બંધન થયું છે, તે હું તો કેમ કરું ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘હું તો ઘણોય સુખિયો કરી મૂકું પણ તેમ તમારાથી થાય નહિ, ને હું કહું એમ જો તમે કરો તો ત્યાથીં ગાંડા થાઓ, ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહિ.’ ત્યારે વળી પૂછ્યું જે, ‘તમે કહો તેમ કરે ત્યારે ગાંડો કેમ કહેવાય ?’ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 147

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૮

સ્વામીએ વાત કરી જે,‘સાધુ તો કયાં ઓળખાય છે ?’ એમ કહીને બોલ્યા જે, “જે વરસે છત્રિયું ભાંગિયું ને પટારા કઢાવ્યા તે દિવસે એક સાધુએ મને એમ કહ્યું જે, ‘આ ભજનાનંદ સ્વામી જેવા સત્સંગમાં કોઇ સાધુ નથી, કેમ જે, બીજાના પટારામાંથી નીસર્યું પણ એના પટારામાંથી કાંઇએ ન નીસયુર્ં.’ ત્યારે મે કહ્યું જે, ‘શું તારું કપાળ નીસરે ! ગામમાં કયાંય મૂકયું હશે. ને કાઇં ન હોય તો બે પટારા રાખવાનું શું કામ હોય ? અને સત્સંગમાં વૈદું કરી કરીને ઘણું પદાર્થ ભેગું કર્યું, હતું, તે કુસંગમાં કયાંઇ રહ્યું, પણ સત્સંગના કામમાં આવ્યું નથી. તે જુઓને એવાને પણ બહુ મોટા માન્યા હોય, માટે સાધુ ઓળખાય નહિ.” એમ કહીને વળી બોલ્યા જે,”પ્રથમ મહારાજે મંડળ બંધાવ્યાં, ત્યારે સર્વે સાધુને કહ્યું જે, ‘ગુરુ ગુરુ હોય તે ઊઠીને એક કોરે બેસો.’ ત્યારે જેટલા ગુરુ હતા તે સર્વે ઊઠીને એક કોરે બેઠા. પછી મહારાજે કહ્યું જે, ‘જેને જયાં મળતું આવે તેમ બેસો.’ પછી જેને જેમ મળતું હતું તેમ તે સર્વે બેઠા.” પછી સ્વામી કહે, “હું બ્રહ્માનંદસ્વામી પાસે રહેતો તે ઊઠીને આત્માનંદસ્વામી પાસે જઇને બેઠો. કેમ જે, બ્રહ્માનંદસ્વામી ટોકે નહિ ને પોતે તો મહા કવિરાજ તે ખાવાનું બહુ આવે, તે જુવાન અવસ્થાવાળાને ઠીક નહિ. પછી મહારાજે ઊઠીને જયાં સંતના મંડળ બેઠાં હતાં ત્યાં આવીને જોતે જોતે જયાં આત્માનંદસ્વામી બેઠા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 172

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૯

સ્વામીએ વાત કરી જે, ‘બીજે જીવ કયાંઇ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે.’ પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યું જે, ‘મહારાજનાં ચરિત્ર દીઠાં-સાંભળ્યા હોય, તોયે કહેતાં-લખતાં અટકે છે કેમ ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો. તે જાગ્યો ત્યારે તોળીને ઊભો, પણ પગ માંડે નહિ. પછી વૈદને દેખાડ્યો; ત્યારે વૈદે કહ્યું જે, આ ઘોડાનો પગ ભાંગ્યો નથી, તેમ કાંઇ માંદો થયો નથી, એને તો સ્વપ્ન થયું છે તે પગ તોળીને ઊભો છે. ત્યારે પૂછ્યું જે, એનું કેમ કરવું ? ત્યારે એણે કહ્યું જે, બસેં ઘોડાં સાબદાં  કરો ને તોપોના ને બંદૂકોના ભડાકા કરવા માંડો, એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે. તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ  પડી છે, તે આમ ને આમ નિરંતર ધડાકા ને પડકારા કરશું તો મૂકી દેશે.’ એટલી વાત કરી.’ ને પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાના ત્રણ ફૂલ મૂકીને બોલ્યા જે, ‘કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઇ પૂગતા નથી.’ એમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું જે,‘સ્વામી! પારસા આવ્યા  કે ?’ એમ કહીને જમવા પધાર્યા. ।।૧૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 151

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૦

એક મોટા હરિભકત હતા, તેણે સ્વામીને બોલાવીને કહ્યું જે, ગાડીમાં આવો. ત્યારે સ્વામી ગાડીમાં બેઠા. પછી પ્રશ્ન પૂછ્યું જે,‘હૃદયમાં ટાઢું કેમ થાય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ટાઢું તો, તો થાય જે, જેમ ભગવાન સામું જોઇ રહીએ છીએ તેમ જયારે મોટા સાધુ સામું જોઇ રહીશું ત્યારે ટાઢું થાશે.’ એમ કહીને વળી બોલ્યા જે,‘જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા  મારે, પણ દૂધનું સુખ આવે નહિ, તે તો જયારે આંચળને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે. તે તો દષ્ટાંત છે ને એનો સિદ્ધાંત તો એ છે જે, આ બધોયે સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે, તે દ્વારા તો મહારાજ અખંડ રહ્યા છે, તેથી જ તે સંતને વળગે છે તેને મહારાજનું સુખ આવે છે, જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ.’ ।।૨૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 147

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૧

સ્વામીએ એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું જે, ‘તારા મનમાં તું અમે જાણે છે જે, મેં ગઢડામાં મૂર્તિ  પધરાવી ને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અર્ધો સત્સંગ રહ્યો છે.’ ત્યારે હાથ જોડીને કહ્યું જે,‘હા મહારાજ !’ પછી સ્વામી બોલ્યા જે,‘આવા સાધુને મૂકીને જે સુખ ઇચ્છવું, તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે, દૂધનું સુખ લઉં; પણ ત્યાં તો પોઠિયા ઉતરેલ, તે જયાં મોઢું ઘાલવા જાય ત્યાં પાટુઓ ખાય. તે પાટુ ખાઇખાઇને મોઢું તો સૂઝી ગયું, પણ દૂધનું સુખ આવ્યું નહિ; પછી પોતાની મા આવી તોયે ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે, તે તો પાટુઓ ખાધા જેવું છે. કેમ જે, આજ્ઞા-ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે નહિ બેસાય; જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ.’ એમ કહીને બોલ્યા જે, ‘આમ ને આમ બે મહિના સુધી વાતો કરીશ ત્યારે મોરે  ભગવાનમાં જીવ જોડાણો હતો એવો જોડાશે, એવો સ્થૂળભાવ આવી ગયો છે. ને આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે.’ ।।૨૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 197
Powered By Indic IME