Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- રર

સ્વામીએ એક દિવસ શિવલાલને કહ્યું જે, ‘આજ કયાં ગયાં હતા ?’ પછી હાથ જોડીને કહ્યું જે,‘આજ તો શહેરમાં ગયો હતો, તે ત્યાંથી એક રસોઇ લઇ આવ્યો છું.’ પછી સ્વામીએ કહ્યું,‘રસોઇ કેવી ?’ ત્યારે શિવલાલે કહ્યું જે,‘સોનું લઇને બીજે દીધું તેમાંથી દોઢસો રૂપિયા રહ્યા તેની રસોઇ.’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘એ તો ઠીક પણ સોનું લેવાનો સંકલ્પ થયો, પણ કોઇ દિવસ સો કરોડ મણ ઢૂંસા  લઇને કમાણી કરીએ, એવો સંકલ્પ થાય છે ?’ ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ !’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિપુરુષ સુધી તો ઢૂંસા જ છે; પણ તેમાં કાંઇ માલ જણાતો નથી. ને તમે એટલી ઘડી આવા સાધુનાં દર્શન અને વાતો મૂકીને શી કમાણી કરી ?’ અમે કહીને બુદ્ધિનો ડોડ  ટાળી નાખ્યો. ।।૨૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 147

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૩

એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે,‘ગોલોકને મધ્યે જે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે, તે કેમ સમજવું ?’ એ પ્રશ્ન છે, પછી સ્વામી બોલ્યા જે,‘જેવી જેની સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્યું હોય; તેમાં કેટલાકે તો બદરિકાશ્રમને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો શ્વેતદ્વીપને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો વૈકુંઠલોકને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્યું હોય, પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે. તે ઉપર પ્રથમનું ત્રેસઠમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘જુઓને મહારાજ લખી ગયા છે જે, જેમ ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય ને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય ને સાપને મધ્યે સમળી હોય તે મોટી દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય ને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય ને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિશે મોટો જણાય છે; તેમ ગોલોકને મધ્યે અક્ષરધામ છે એમ સમજવું. પણ કાંઇ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૪

સ્વામીએ વાત કરી જે, “અમે જે જે આજ્ઞા કરીએ તે મહારાજની મૂર્તિ આપીએ  . પણ જેને જ્ઞાન નહિ તેને એ વાત સમજાય નહિ. ને મહારાજનો ને મોટા સાધુનો એક સિદ્ધાંત છે, તે મહારાજને તો પોતાની મૂર્તિનું જ સુખ દેવું છે, પણ ઐશ્વર્યનું સુખ આપવું નથી, કેમ જે, જીવ ઐશ્વર્યાર્થી થઇ જાય. તેમજ મોટા સાધુનો પણ એ જ મત છે જે, મહારાજની મૂર્તિને વિષે જ જોડવા છે, પણ વિષયને વિષે ને દેહને વિષે જોડવા નથી. અને જે વિષયને વિષે જોડે છે તે એકાંતિક નહિ અને જે ઐશ્વર્યને વિષે જોડે છે તે પુરુષોત્તમ નહિ. એ મર્મને તો પ્રહ્લાદે જાણ્યો જે,‘વિષયને આપે તે ભગવાન નહિ અને વિષયને માગે તે ભકત નહિ’; તે માટે જેને ભગવન્નિષ્ઠ  થાવું હોય તેને મહારાજની મૂર્તિ વિના બીજું કાંઇ ઇચ્છવું નહિ, એ સિદ્ધાંત વાત છે.” એમ કહીને વળી બોલ્યા જે,‘આ ભગવાન ને આવા સાધુનું રૂપ તો સિદ્ધિઓ પણ ધરી શકતી નથી, કેમ જે, એ તો અકળ  છે. ને બીજા વિભૂતિ અવતારનું રૂપ તો સિદ્ધિઓ ધરે છે; પણ આ પ્રત્યક્ષ મહારાજ ને આ પ્રત્યક્ષ સંત તેનું રૂપ તો સિદ્ધિઓ ધરતી જ નથી; જેમ જે રાજા ગાદીએ હોય તેનો વેશ તરગાળો  કાઢતો નથી તેમ.’ ।।૨૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 135

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- રપ

પછી વળી સ્વામીએ વાત કરી જે, શ્રીજીમહારાજનો ને મોટા સાધુનો જે હૃદગત અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે. તે તો કયારે જણાય ? તે એક કલ્પ સુધી જો મુકતાનંદસ્વામી તથા ગોપાળાનંદસ્વામી તથા કૃપાનંદસ્વામી એવાને સેવીએ ત્યારે જણાય. પણ તે વિના તો જણાય જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે. ને તે વિના જે કાંઇ આપણને જણાય છે તે તો શ્રીજી મહારાજની ને આ મોટા સંતની દષ્ટિ વડે કરીને જણાય છે. ને તેની દષ્ટિ કયારે થાય ? તો દઢ ધર્મ હોય તથા આત્માપરમાત્માનું અતિ દઢ જ્ઞાન હોય તથા પંચવિષયમાં અતિશે દઢ વૈરાગ્ય હોય તથા પુરુષોત્તમ ભગવાનની માહાત્મ્ય જ્ઞાને સહિત અનન્ય ભકિત હોય, તેને માથે દષ્ટિ થાય છે, પણ દેહાભિમાનીને માથે દષ્ટિ થાતી નથી. ને તે વિના જે કાંઇ દષ્ટિ જેવું જણાય છે તે અંતે નહિ જ રહે, એમાં કાંઇ સંશય નથી. ।।૨૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૬

વળી સ્વામીએ વાત કરી જે, ‘જેવો સત્સંગ થાય છે તેવો જણાય જ નહિ, ને કોઇકને જણાય તો સત્સંગ કરે નહિ, ને જો કોઇક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહિ, ને જો થાય તો જાળવવો બહુ કઠણ પડે છે, તે કાં તો બહેકી  જાય ને કાં તો ગાંડો થઇ જાય, પણ જળવાય નહિ. અને તે સત્સંગ કોણ જાળવે ? તો જેને મહારાજને વિષે ને આ મોટા સંતને વિષે માહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ થાય તે જ જાળવે પણ બીજાથી તો જળવાય નહિ.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘આજ વર્તમાનકાળે જેણે દેહ ધર્યા છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે ને જેને આવા સાધુની ઓળખાણ થઇ છે તેને તો બેય પગલાં અક્ષરધામમાં જ છે; પણ જેને એ વાતનું જ્ઞાન નહિ તેને એ વાત સમજાય નહિ. ને આ સત્સંગમાં તો અનંત પ્રહ્લાદ, અનંત અંબરીષ ને પર્વતભાઇ જેવા અનંત છે, પણ સાધુના સમાગમ વિના જ્ઞાન થાય નહિ ને જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહિ ને મહિમા જાણ્યા વિના સુખિયો થાય નહિ, એમાં કાંઇ સંશય નથી.’ ।।૨૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 130

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૭

સ્વામીએ વાત કરી જે, ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં  આવે નહિ, તે જેમ જળકૂકડીને જળ લોપે નહિ, તેમ એવા પુરુષ માયામાં આવે તોયે માયા લોપી શકે નહિ, તથા જેમ જળકાતરણી માછલી છે તે જાળમાં આવે નહિ, કેમ જે, બેય કોરે અસ્ત્રા જેવી ધારો હોય તે જાળને કાપીને નીસરી જાય. તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવોને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે તો આ પૃથ્વીનું વેજુ  છે, તે શું ? તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ વિરાજે છે, એવું તમારું મોટું ભાગ્ય છે. તે ઉપર શેરડીની ગાંદળીનું  દષ્ટાંત દીધું : જેમ શેરડીનો સાઠો હોય, તેનું થડિયું તે કઠણ હોય ને પીછું હોય તે મોળું હોય ને વચલી ગાંદળી હોય તે મીઠી હોય તેમ તમારે પ્રભુ ભજવામાં આજ સાનુકૂળ છે, કેમ જે, મોટા સંતનો યોગ છે. ને મોરે તો મારતા ને ખાવા મળતું નહિ, ને આજ તો સર્વ અંગે સાનુકૂળ છે, તે પ્રભુ ભજી લેવા પણ આળસંુ થાવું નહિ. ।।૨૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૮

સ્વામીએ એમ વાત કરી જે, ‘સો કરોડ રાખનાં પડીકાં વાળીને પટારામાં ભરી મૂકીએ ને તાળાં દઇ રાખીએ ને જે દિવસ કાંઇક કામ પડે ને કાઢીએ તો કાંઇ સારું નીસરે ?’ ત્યારે કહ્યું જે, ના મહારાજ ! ત્યારે સ્વામી બોલ્યા જે, ‘મહારાજની મૂર્તિ વિના ને આવા સાધુ વિના પ્રકૃતિ પુરુષ સુધી રાખનાં પડીકાં જ છે. તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ ને ગમે તો ઇશ્વરકોટીના લોકમાં જાઓ ને ગમે તો પુરુષકોટીના લોકમાં જાઓ, પણ મહારાજની મૂર્તિ વિના ને આ સાધુ વિના સુખ કે શાંતિ કયાંય નથી.’ એમ કહીને બોલ્યા જે, સુરપુર  નરપુર  નાગપુર  , એ તીનમેં સુખ નાહીં; કાં સુખ હરિકે ચરનમેં, કાં સંતનકે માંહી. ।।૨૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૯

સ્વામીએ એમ વાત કરી જે, ચંદ્રમાનું પ્રતિબિંબ જળમાં પડે છે ત્યારે તેને જોઇને માછલું રાજી થાય છે ને એમ જાણે જે આ પણ આપણા જેવું માછલું છે, પણ જેવો ચંદ્રમા છે ને જેવું તેનું મંડળ છે ને જેવું તેમાં તેજ છે ને જેવું તેનું ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને માછલું જાણી શકતું નથી. તથા જેમ સમુદ્રમાં વહાણ ચાલ્યું જતું હોય તેને મોટા મચ્છ હોય તે જોઇને મનમાં એમ જાણે જે આપણા જેવો મચ્છ છે તે ચાલ્યો જાય છે, પણ જેવું વહાણ છે ને સમુદ્ર તારે એવું છે ને લાખો-કરોડો રૂપિયાનો માલ લઇ જાય છે ને લાવે છે, તેને જાણી શકતો નથી. તે તો દષ્ટાંત છે. ને એનો સિદ્ધાંત તો એ છે જે, જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા તેમનાં સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને જાણતા નથી. જેમ માછલું ને મચ્છ પોતે પોતા જેવા જાણે છે; તેમ જે મનુષ્ય છે તે પણ પોતા જેવા જાણે છે, પણ જેવા છે તેવા જાણતા નથી.’ એમ કહીને આ શ્લોક બોલ્યા જે, અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ । પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ।। એવા જે મૂર્ખ છે ને મૂઢમતિ જીવ છે તે મનુષ્ય જેવા જાણે છે, પણ અનંતકોટિ જીવોને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઇ જાય એવા છે, અમે તેને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 156
Powered By Indic IME