Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૩

આ જીવને પંચવિષય છઠ્ઠું દેહાભિમાન ને સાતમો પક્ષએ કલ્યાણનાં માર્ગમાં વિઘ્નરૂપ છે. ને એનો અભિનિવેશ થયો છે તે જીવનું ભૂંડું કરે છે; માટે તે ન રાખવાં. ।।૨૭૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૪

આ તો કરોડ મણ સૂતરની આંટીઓ ઘુંચાઇ ગઇ છે તે કેમ ઊખળે ? કોઇ દાખડો કરે તો પણ ન ઊખળે, પણ જો આ બ્રહ્માંડ જેવડો ફાળકો કરે તો સહેજ ઊખળે. એમ જીવ ઘુંચાઇ ગયો છે, પણ ભગવાન ભજે તો ઊખળે. ।।૨૭૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭પ

જેમ ગુજરાતમાં પાછલી પહોર રાતથી મહુડાં ટપ ટપ ખરવા માંડે છે, તે પહોર દી સુધી ખરે છે, તેમ જીવને પહોર રાત પાછલીથી તે પાછી પહોર રાત જાય ત્યાં સુધી સંકલ્પ થયા જ કરે છે, પણ ભગવાનનો એકે નથી થાતો. ।।૨૭૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 131

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૬

આ વાતો સાંભળીને ગાંડું કયાં થવાય છે ? અરે ! ગાંડાં તો આ બધાયને કરી મૂકીએ પણ દોરનારા જોઇએ ને ? ।।૨૭૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૭

ઉદ્ધવમત વિના નિષ્કામી વર્તમાન કયાં છે ? કયાયં ન મળે, ને ઉદ્ધવમતનું પણ જયાં સુધી મોટા સાધુ છે ત્યાં સુધી પાધરું રહેશે, પછી ભગવાનની આજ્ઞા રાખશે તો રહેશે. ।।૨૭૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૮

શ્રાવણ સુદી પાંચમને દિવસ વાત કરી જે, ‘આટલા દિવસ મંદિર કરતા ને હવે હમણાં વિચાર્યું જે, સર્વે દોષમાત્ર એક ન હોય તો ટળે. તે શું ? જે એક દેહાભિમાન ટળે તો બધા દોષમાત્ર એની વાંસે ટળે. ને એક ગુણ આવે તો બધા ગુણ આવે એ કયો ગુણ ? તો આત્મનિષ્ઠા હોય તો ગુણ માત્ર આવે. જો થોડું જ જ્ઞાન હોય પણ સારધાર દેહ પર્યંત રહે તો સારું.’ ।।૨૭૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૯

ભગવાન છેટા છે તો છેટા જ; નીકર તો આ ઘરમાં આવીને બેઠા, એવું કયાં સમજાય છે ? આ ભેટ ભેટા થયા છઈએ. ।।૨૭૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮૦

કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારાં ઘણાં, તેને ઓળખી રાખવાં. ।।૨૮૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101
Powered By Indic IME