Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬પ

એમ કોઇ દિવસ દશોંદ-વિશોંદ કાઢવાની વાત સહુ કહે છે જે કરો, તોપણ નથી કરી. પણ આજ કહું છું જે, દશોંદ-વિશોંદ કાઢશે તેને ખાવા મળશે ને નહિ કાઢે તે દુબળાં રહેશે. એમ કહીને દાજીભાઇને કહ્યું જે, હવે મોટા થયા તે ધર્મ વેરો કાઢવા માંડો. ।।૨૬૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૬

સંવત્ ૧૯૨૩ના અષાઢ સુદમાં વાત કરી જે, ‘નિષ્કામી વર્તમાનમાં ઘસારો લાગે તે વાત મહારાજને ન ગમે, કાં જે એજ દઢ કરાવવા સારુ પોતાનો અવતાર છે, તે પોતે પરણ્યા નહિને ત્યાગીના ધર્મ પાળ્યા, માટે મોટેરા જે રીતે ચાલે તે વાંસે બધાં માણસ ચાલે. તે ગીતામાં કહ્યું છે જે,।। યદ્યદાચરતિશ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ।। માટે ખબરદાર થઇને શુદ્ધ વર્તવું. ને નિષ્કામી વર્તમાનમાં જેને કસર રહેશે, તેનાંથી ભગવાનના ધામમાં નહિ જવાય, ને નહિ રહેવાય. ને મહારાજનો કુરાજીપો બહુ થા શે.તે ઉપર દષ્ટાંત જે, ‘એક પાદશાહનું લશ્કર લાખો માણસનું. તે લડવા ગયું ત્યારે જે ભાગેડું હતા તેણે તો એમ વિચાર કર્યો જે, આટલા માણસમાં પાદશાહ કેને ઓળખે છે ? ને કયાં જાણે છે ? એમ કહીને પાછળ રહ્યાં. ને શત્રુ સામા લડ્યાં નહિ ને કેટલાક હતા તે આગળ થઇને શત્રુને હઠાવી ને જીત્યા.’ પછી પાદશાહે વજીરને પૂછ્યું કે, ‘આમાં હવે પરીક્ષા લેવી જે, કોણે જીત કરી ?’ ત્યારે કહેઃ ‘ઠીક, ભરો કચેરી.’પછી કહેઃ ‘પોશાક આપવો છે, તે સૌ આવજો.’ એમ કહીને તેડાવ્યા. ને કહે જે, ‘એનું તો એમ પારખું થાશે જે આ લડ્યો છે ને આ નથી લડ્યો; તે જે લડ્યો હશે એ પાધરો આગળ થઇને કચેરીમાં સન્મુખ થાશે ને ઓલ્યો પાધરો પાદશાહની સામું જ નહિ જોઇ શકે ને નીચું ઘાલશે.’ તેમ જો આપણે પાંચઇન્દ્રિયો રૂપ શત્રુ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૭

પછી સ્વામી કહેઃ ‘જેના અક્ષર ગુરુ હોય તે અક્ષરધામમાં લઇ જાય ને પુરુષોત્તમને મેળવે.’ ।।૨૬૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૮

આગળ આ બે વાતને ઘસારો લાગશે, તેમાં એક તો સુહ્દપણું નહિ રહે ને બીજું ઘર, સ્ત્રી, પુત્ર ને ધન એમાં આસકિત વધશે. ।।૨૬૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૯

ભગવાન તો એક જીવ ભજે તે સારુ બ્રહ્માંડ બોળી નાખે.તેની એક વાત છે જે, એક ચકલી હતી તે ઊંચી પર્વત ઉપર બેસીને ભજન કરતી હતી. તે કહે જે, ‘મને આંહીં બેઠે બેઠે પાણી પાય તો પીઉં.’ પછી બ્રહ્માંડ બોળીને ત્યાં લગી પાણી ભરી દીધું એટલે પીધું. ।।૨૬૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૦

એમ તો વિચારીને જોયું ત્યાં જીવનો વાંક નથી, ગુરુ નો જ વાંક છે. તે જેવા ગુરુ હોય તેવો પોતે થાય. ।।૨૭૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૧

જુઓ ને ! આ બીજા મતવાદીઓએ વાડા કરીને જીવને ચડાવી દીધા છે તેવા થયા છે. ને કોઇ જાણે બીજા મત આગળ સારા હશે, તે એ તો એમ વિચાર્યું જે, આ પાછલો દરવાજો બાળપણામાં સારો હશે ? એ તો મૂળથી જ બગડેલો છે. એમ એ ધરથી જ બગડેલા છે માટે ઉદ્ધવમત વિના કોઇમાં માલ નથી. ।।૨૭૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭ર

એકવાર વરસાદ બહુ ભારે થયો, તે હરણિયાં આકળાં થઇને દોડ્યાં, તે બાંટવામાં પેસી ગયાં. હવે એ ત્યાંથી નીકળનારા છે ? એમ જીવ માત્ર બાંટવાના હરણિયાં જેવા છે,તે વિષયમાં ભરાઇ ગયા છે. ।।૨૭૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108
Powered By Indic IME