Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૭

કલ્‍પ આખો સુધી ભગવાન સામું જોઇને બેસી રહે, તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે, ને સાધુ મળે તો ટાળે. નિર્વિકલ્‍પ સમાધિ થાય તોપણ વિષય ન ટળે, ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે. ૩૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૮

અંત:કરણરુપ માયાનો કજીયો બહુ ભારે છે, કેમજે ભરતજીને કેવો વૈરાગ્‍ય ? ને કેટલું રાજ્ય મૂકયું ? તોપણ વિઘ્‍ન થયું. સૌભરિ ને પરાશર આદિક કેવા ? તેને પણ ધકકા લાગ્‍યા. માટે સાધુ જ્ઞાન આપીને જન્‍મ આપ ને નિષેધ કરે, ત્‍યારે એ કજિયો મટે છે, પણ તે વિના મટતો નથી. આખી ઉંમર ભગવાન ભેગો રહે તોપણ જ્ઞાન વિના કસર ટળે નહિ. ૩૮. read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૯

વચનામૃત વંચાવીને તેની વાત કરી, જે કદાપિ ભગવાનની મૂર્તિમાં જોડાઇ જાય, તોપણ કેટલુંક ચોખ્‍ખું કેમ સમજાય ? માટે સર્વ કરતાં સમજણ અધિક છે. પછી નાડીયું તણાઓ કે ન તણાઓ, અને સાંખ્‍ય ને યોગ કરતાં પણ ભગવાનનું સર્વોપરિપણું સમજવું તે શ્રેષ્‍ઠ છે. ૩૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૦

મહારાજે કહ્યું હતું જે અમે અલિયા ગામમાં એક વાર દૃષ્ટિ કરીને અનંત જીવને બ્રહ્મમહોલમાં મૂકી દીધાં, પણ ત્‍યાં કોઇ રહ્યા નહિ. માટે જ્ઞાન દઇને જેવું થાય એવું દૃષ્ટિએ કરીને થાનું નથી. ૪૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૧

પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે. ને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે. પ્રેમીનું તો ભગવાનને અને સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહિ. ૪૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪ર

કોઇક લોભ મૂકે, સ્‍વાદ મૂકે, સ્‍નેહ મૂકે, અને માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહિ ને રુપ જેવું તો કોઇ બળવાન નથી, ને એ વિષય તો જીવ માત્રમાં રહ્યો છે, તે તો મોટા અનુગ્રહ કરે ત્‍યારે ટળે, પણ તે વિના ટળે નહિ. ૪૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૩

અને તપાસીને જોયું, તો આ જીવ કોઇ દિવસ ભગવાનને માર્ગે ચાલ્‍યો નથી, સાવ નવો જ આદર છે. જીવ માત્રને ખાવું, સ્ત્રી અને ધન એ ત્રણનું જ ચિંતવન છે, ને એનું મનન, એની જ કથા, એનું જ કીર્તન, એની જ વાતું ને એનું જ ઘ્‍યાન છે. તેમાં પણ દ્રવ્‍યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે, બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવ પ્રાણીમાત્રને ચિંતવન છે. કેમ જે ભગવાને માયાનો ફેર ચડાવી મૂકયે છે. એનું ચિંતવન ન થાય એ તો દેવનો દેવ છે, પણ એ મનુષ્ય નથી. ખાવું, સ્ત્રી ને ઊઘવું એ ત્રણ વાતમાં ગુરુ કરવો પડતો નથી, જેમ નદીયુંના પ્રવાહ સમુદ્ર સંમુખ ચાલે છે એમ જીવને વિષય સંમુખ ચાલવાનો ઢાળ છે, અને તેમાંથી પાછું વળાય એ તો સાધુનું છે. ૪૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૪

આ દેહમાં ને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોટવા નહિ દે. જેમ રવજી સુતારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહિ, ને પછી સંસારમાંથી તોડીને છેલ્‍લી વારે સાધુ કર્યો, એમ ભગવાન બંધાવા નહિ દે. ૪૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 129
Powered By Indic IME