Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૧

અને સર્વ કરતાં સંત મોટા, તેનો મહિમા કહ્યો. તેની વિકિત જે, સર્વ કરતાં પૃથ્વી મોટી ને તેથી જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ ને મૂળ પ્રકૃતિપુરુષ ને અક્ષર સુધી એકબીજાથી મોટા છે ને તે સર્વેના આધાર ભગવાન છે. એવા મોટા ભગવાન તેને જે સંત પોતાના હૃદયમાં અખંડ ધારી રહ્યા છે, માટે તે સંત મોટા છે. ।।૧૧૧।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧ર

મુમુક્ષુ છે તે નેત્રને ઠેકાણે છે ને સમાગમ છે તે સૂર્યને  ઠેકાણે છે.તે સૂર્ય હોય તો નેત્રે દેખાય, ને ગમે એવા સંસ્કાર હોય તોપણ સમાગમ વિના ટળી જાય, ને સમાગમ હોય તો સંસ્કાર ન હોય તોપણ થાય. માટે ક્રિયમાણ  બળવાન છે. ।।૧૧૨।। read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૩

અને સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહિ, પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઉખડાય, નીકર ચોંટી જવાય. ।।૧૧૩।। read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૪

અને વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, ને તે સંબંધ થઇ જાય તો ત્યાં સિંહ થાવું . ।।૧૧૪।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧પ

અને જીવનો સ્વભાવ બદ્ધ છે, તે ત્યાગીમાં બંધાય ને ગૃહસ્થમાં પણ બંધાય, પદાર્થમાં બંધાય ને દેશમાં ને ગામમાં બંધાય, આસનમાં બંધાય ને જયાં એક ઠેકાણે રહે ત્યાં બંધાય; ને નાતજાતમાં બંધાય, એવા અનતં ઠેકાણાં બંધાવાનાં છે. તે સારુ તો ટોપીવાળો કોઇને એક ઠેકાણે રહેવા દેતો નથી. ।।૧૧૫।। read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૬

અને વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું, પણ આસકત ન થાવું. ।।૧૧૬।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૭

અને આ બ્રહ્માંડના સર્વ જીવને ખવરાવવું તે કરતાં એક ભગવદીયને જમાડવો એ અધિક છે. ।।૧૧૭।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૮

અને ખટરસમાં રહ્યાં ને જલેબીમાં ગયા. તે શું ? જે, ટાઢી અગ્નિ એવા વિષય ભૂંડાં છે. ।।૧૧૮।। read more
0 Views : 97
Powered By Indic IME