Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬ર

શાસ્ત્રમાં તથા સત્પુરુષના કહ્યામાં એમ છે જે, મોટા રાજી થાય તો સર્વે કામ થાય, તે રાજી થયાના ઉપાય ચાર છે. તેની વિકિત જે, એક તો એને કાંઇ પદાર્થ જોતું હોય તે આપવું, બીજું તેના દેહની સેવા કરવી, ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, ને ચોથું એની અનુવૃત્તિ, તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય; એ જેવું બીજું નથી. ।।૬૨।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૩

આપણે શ્રીજીમહારાજની કોઇ આજ્ઞા તરત રાજી થઇને માની નથી. કેમ જે આપણને સૂઝે નહિ ને બુદ્ધિ પણ પહોંચે નહિ, ને મહારાજને તો પૂર્વાપર સૂઝતું હોય, તે શી આજ્ઞા ? જે રાંધેલું અન્ન મોર્ય  માગવાનું કહ્યું તે કોઇએ માન્યું જ નહિ, તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું; ને મંદિર કરવાનું કહ્યું તે કોઇ હા પાડે જ નહિ; પછી ભણવાનું કહ્યું તે કોઇ માનતા નહિ; ને પત્તર રાખવાનું કહ્યું તે પણ માને નહિ, એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યાં. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વાપર સૂઝે, પણ તે જીવને મનાય નહિ. ને વચન માનવાં ને ન માનવા તેમાં પણ વિવેક રાખવો. તેમાં નારાયણદાસની વાત કરી જે, ત્યાગ રાખતો તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહિ; ને પછી તેમાં સંકોચ કરવાનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડા પહેરતો નહિ તે પહેરવાનું કહ્યું તે જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસયુર્ં પણ કાઢે નહિ, એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો. ।।૬૩।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૪

‘મોટા સતંનો નિરતંર પ્રસંગ રાખવો, તેમાથીં કોઇક સમે કેવી વાત થઇ જાય. મનને મારવું પણ તેનું કહ્યું ન કરવું, જેમ બકરાને મોઢામાં જવ ભરીને મારે છે તેમ કરવું,’ એમ મહારાજ કહેતા. ને ભગવાન ને મોટા સંત આગળ નમી દેવું, ને પોતાની સમજણ મૂકી દેવી ને એ તો બહુ દયાળુ છે તે બહુ રક્ષા કરે. ।।૬૪।। read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬પ

ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. તેની વિકિત જે, જ્ઞાન શીખે છે ને સેવા કરે છે તે વધતા જાય છે; ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે, ને કેટલાક તો બરોબર રહે છે ને વધતા ઘટતા નથી. એ ત્રણ પ્રકારના છે, તેને મોટા સાધુ દેખે છે, અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહિ ને મુમુક્ષુને પણ તે જોઇને દાઝ થાય. ।।૬૫।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૬

આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્ન-વસ્ત્ર મળે છે, તે સર્વે મોટા સતંની દષ્ટિ વડે છે, પણ જીવ પોતામાં માલ માનીને આચાર્યને તથા મોટા સાધુને ઓશિયાળા કરે છે પણ પોતે ઓશિયાળો  થાતો નથી. પણ જો  મોટા સાધુની દષ્ટિ જરાક ફરે તો ચાંડાલ જેવું અંત:કરણ થઇ જાય ને સખુ પણ રહે નહિ.।।૬૬।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૭

અને ત્રણ પ્રકારનાં દુઃખ કહેવાય છે, તેમાં પણ હમણાં બે દુઃખ નથી; તે અધિભૂત જે કોઇ મારતું નથી ને અધિદૈવ જે કાળ પડતો નથી; ને હવે તો અધ્યાત્મ જે મનની પીડા તે રહ્યું છે. તે ટાળવાનો હેતુ તો જ્ઞાન છે, તે હોય તો દુઃખ ન થાય, એનો બીજો ઉપાય નથી. ।।૬૭।। read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૮

અને મોટા સમૈયામાં મોટાં મોટાં કેટલાક શહેરના સામાન આવે તેમાંથી જીવ માંહીથી કેટલું ત્યાગ કરે ? ને સારો હોય તે પણ ભોગવવા મંડે; ને ત્યાગ ન થાય તેનું દુઃખ પણ થાય ને જીવ માંહીથી હાર્ય પણ પામી જાય. માટે જેટલું વિષયથી છેટું રહેશે તેટલું જ સારું રહેશે. ને ત્રણ પ્રકારનો ત્યાગ તેની વિકિત જે, કાંઇક જણસ  વહેંચાય તે આસને બેઠાં આપે તો લે, ને બીજો તો ઊઠીને લેવા જાય, ને ત્રીજો તો પોતાને ન આવે તો કહેશે જે, મુને કેમ આપ્યું નહિ ? એ ત્રણ ભેદ છે; ને મળે તો તેનો પણ ત્યાગ કરે એ ભેદ ચોથો છે. ને મોટાનો સંગ હોય ને વિષયનો સંબંધ ન હોય તો જ આ જીવનું સારું રહે. ને મોટા શહેરની કાચી  રસોઇ ને બીજી પાકી રસોઇ એ બેય બરોબર થાય. ।।૬૮।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૯

શિક્ષાપત્રીમાં કહ્યું છે જે, ‘પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય તેવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું;’ એમાં એમ સમજવું જે, સ્ત્રી, દ્રવ્ય, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિકનો યોગ થાય અથવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિકને ઘસારો આવે એવું વચન માનવું નહિ અને સત્સંગની પ્રથામાં તો આજ્ઞા મુખ્ય છે. તે ઠેકાણે તો એમ સમજવું જે, બહુધા તો રુચિ અનુસારે જ પ્રેરે છે ને પ્રેરાય છે; ને સનકાદિકને જોડીએ તોય ન જોડાય ને મરીચ્યાદિકને મુકાવીએ તોપણ મૂકે નહિ, ને ભરતજીને વિઘ્ન થયું તોપણ પાછા સ્મૃતિએ ઝાલ્યા. એમ મોટાના શબ્દ પેઠા હોય તે સહાય કરે છે. તે કોઇ વખત આંખ છેતરે, કોઇ વખત કાન છેતરે ને જીભ, ત્વચા આદિક છેતરે, પણ પાછા ખબડદાર થાવું પણ હારી જાવું નહિ. ને સુખનું ઠેકાણું ને ભાગવાની  બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે, પણ તે વિના તો કયાંઇ સુખ, શાંતિ કે સમાસ થયાનું ઠેકાણું બીજું નથી. ।।૬૯।। read more
0 Views : 182
Powered By Indic IME