કેટલીક કસર ત્યાગ વૈરાગ્યે ટળશે કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે અને કેટલીક કસર ભકિત કરાવીને ટળાવશું. બાકી છેલ્લી વારે રોગ પ્રેરીને પણ શુદ્ધ કરવા છે, પણ કસર રહેવા દેવી નથી. ૬૪ read more
ધર્મશાળા કરવાનું કામ કરાવીએ છીએ તેમાં કહીએ છીએ જે આજ્ઞાએ કરીને ધર્મશાળાઉ તો અનંત કરીએ, પણ તેમાં બંધાવું નહિ, ને બંધાવું તો ભગવાન અને સાધુ એ બેમાં જ બંધાવું. ૬૫ read more
નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઇ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે, તે કેને સુખ આવે ? તો જેને તેમાં હેત હોય તેને આવે. ૬૯ read more
કોટિ કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને અને ઘરના માણસને નથી ગમતો, તેમજ દેહ, ઇન્દ્રિયો અને અંતકરણને પણ નથી ગમતો, એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ કુટે છે જે ‘મારા હાથથી ગયો.’ ૭૦ read more