Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૧

જન અવગુણ પ્રભુ માનત નાહી એહી પૂરવ કી રીત દીનબંધુ અતિ મૃદુલ સ્‍વભાવુ, ગાવું નિશદિન ગીત     એમ કલ્‍યાણ થાશે જાઓ. ૧૮૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮ર

અને સંત છે ત્‍યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે, ને સંત છે ત્‍યાં અનંત ગુણ છે ને ભગવાન પણ ત્‍યાં જ છે. ને તેથી જીવ પવિત્ર થાય છે. તે વચનામૃતમાં કહ્યું છે: જે ‘તપ, ત્‍યાગ, યોગ, વ્રત, દાન એ આધિક સાધને કરીને ભગવાન કહે કે હું વશ થાતો નથી, જેવો શુદ્ધ અંત:કરણવાળા સાધુને સંગે કરીને થાઉ છું.’ અને જેને આ સત્‍સંગ મળ્‍યો છે તેના પુણ્‍યનો પાર નથી. અજામિલ મહાપાપી હતો. પણ તેને સનકાદિક મળ્‍યા તેને પગે લાગ્‍યો ને કહે : જે ‘મારાથી તો કાંઇ થાય નહિ !’ ત્‍યારે સાધુ તો દયાળુ છે, તે છોકરાનું નામ નારણિયો પડાવીને પણ મોક્ષ કર્યો. ૧૮૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 153

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૩

ભગવાનના ધામમાં સુખ છે તેમાંથી છાંટો નાખ્‍યો તે પ્રકૃતિ પુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી પ્રધાનપુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી વૈરાટપુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી દેવતામાં આવ્‍યું ને ત્‍યાંથી આંહી મનુષ્યમાં આવ્‍યું છે, તે સુખમાં જાવ માત્ર સુખિયા છે. માટે સુખ માત્રનું મૂળ કારણ તો ભગવાન છે. તેને સુખે સુખિયા થાવું. ૧૮૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૪

ભકિતમાતાએ મહારાજને કહ્યું : જે ‘મારો સ્ત્રીનો દેહ તે મને ઝાઝું સમજાય નહિ, તેથી થોડાકમાં હોય તે કહો.’ પછી મહારાજે ચોસઠ લક્ષણ સાધુના કહ્યાં ને કહ્યું : જે ‘એવા સાધુમાં જેણે આત્‍મબુદ્ધિ કરી તેને સર્વ સંપૂર્ણ થઇ રહ્યું.’ ને મહારાજે કહ્યું : જે ‘એવાનાં દર્શનને અમે પણ ઇચ્‍છીએ છીએ’ ઇત્‍યાદિક બહુ મહિમા કહ્યો. ૧૮૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮પ

જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય જે આપણે શું પામશું ને કયાં જાશું ?’ ને જેને જ્ઞાન હોય તેને તો અહો ! અહો ! થયા કરે. જે આ પ્રાપ્‍તિ થઇ તે હવે કાંઇ કરવું રહ્યું નથી. ૧૮૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૬

અને સો જન્‍મનો શુદ્ધ બ્રાહ્મણ સોમવલ્‍લીનો પીનારો હોય, તે કરતાં પણ ભગવાનનો ભકત શ્વપચ હોય તે શ્રેષ્‍ઠ છે. એમ ભગવાનના ભકતનો મહિમા સમજવો એમ પ્રહલાદનું વાકય છે. ૧૮૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૭

અને ભગવાન જ્યારે પૃથ્‍વી ઉપર આવે ત્‍યારે રાજસી, તામસી, સાત્‍વિકી ને અધમ, તેનો પણ ઉદ્ધાર કરી નાખે છે. કાંઇ મેળ રહે નહિ. ૧૮૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૮

અને આ જીવ તો જેમ પરદેશમાંથી ભાઉડાં ઝાલી લાવે એવા છે. તેને કશી ગમ નહિ. પછી તેને સાધુ જ્ઞાન દઇ દઇને મનુષ્ય કરે ત્‍યારે મનુષ્ય થાય છે. ૧૮૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 94
Powered By Indic IME