Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૭

અને આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્‍યા છે, તે મહારાજ કહે, ‘ભૂત વળગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું ?’ ૭૭ read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૮

ભગવાન જીવના અવગુણ સામું જોતા નથી. તે કોઇક જીવ ભગવાનની સ્‍તુતિ કરીને એમ બોલે : જે ‘હું ગુન્‍હેગાર છું’ તેના ભગવાન ગુન્‍હા માફ કરે. ૭૮ read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૯

અમને તો એક જન્‍મ મરણનો રોગ ટાળતાં આવડે છે. બીજું આવડતું નથી. ૭૯ read more
0 Views : 375

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૦

અને સર્વ પ્રકારની આસકિત ટળી જાય તો આ લોક ને દેહ તે ગમે નહિ ને આ લોકમાં રહેવું પડે તે દુ:ખ થાય છે એમ બોલ્‍યા તે ઉપર પ્રશ્ન પૂછયું, જે આસકિત રહે છે, તેનું દુ:ખ થાય છે; તેનું કેમ સમજવું ? પછી તેનો ઉત્તર કર્યો: જે એ દુ:ખ સારું કરે છે, કેમ જે નિર્માની રહેવાય, તે ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે, ને દેહનું રુપ તો ગામ ફણેણીમાં સુરાખાચરને કાન દેખાડયો તે ભેળી ઉલટી થઇ, તેમ બીજાને દેખાય તો એવું થાય. ૮૦ read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૧

વચનામૃત વંચાવીને તેમાં બહુ વાત કરીને બોલ્‍યા, જે આવું જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય, જેમ વિદ્યા ભણે છે તેમ થાય, પણ અનુગ્રહ થકી ન થાય, ને અનુગ્રહ કરે તો સમાધિ થાય, તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામ દેખાતું તો પણ બે ઘર કર્યાં. ને સાધુએ કાઢયા ત્‍યારે નીકળ્‍યા, માટે જ્ઞાન શ્રેષ્‍ઠ છે. ૮૧ read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮ર

આ તો પ્રબંધે કરીને રાખીએ છઇએ, પણ ધન ને સ્ત્રી ન જોઇએ એવા માણસ ઝાઝા જડે નહિ. ૮૨ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૩

વચનામૃતની આખી પ્રતું પણ સત્‍સંગમાં સહાય નહિ કરે, તે તો પુસ્‍તક મૂકી મૂકીને પણ ચાલ્‍યા જાય છે, માટે સહાય તો આવા સાધુ કરશે. ૮૩ read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૪

લોયાના સાતમાં વચનામૃતમાં કહ્યું છે: જે ઇન્‍દ્રિયો અંત:કરણને અનુભવ એ ત્રણે પૂગે ત્‍યારે પૂરો જ્ઞાની કહેવાય. તે ઉપર બોલ્‍યાં જે આપણે તો સર્વ પૂગે છે, ને નથી દેખાતું તે તો એની ઇચ્‍છા છે. ૮૪ read more
0 Views : 84
Powered By Indic IME