પછી વળી સ્વામીએ વાત કરી જે, મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે; પણ તેમાં ચાર વાતો છે તે તો જીવનું જીવન છે. તે શું ? તો, એક તો મહારાજની ઉપાસના, ને બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાથે પ્રીતિ, ને ચોથું ભગવદી સાથે સુ દપણું, એ ચાર વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહિ. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા ને દેવતા એ આઠ અશુભનો યોગ થાય, તો મહારાજને ને બીજા અવતારાદિકને વિષે સમભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિષે ગૌણપણું દેખાડી દે, ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડગોટા વાળતો હોય એ બેયને એકપણે કરી મૂકે, ને ભગવદીને વિષે દોષ દેખાડી દે, એ આઠ દેશાદિક તો અસત્પુરુષને વિષે રહ્યા છે. માટે જેને જીવનું જીવન રાખવું હોય, તેને તો ઓળખીને જીવ જોડવો. ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું જે, ‘મારે તો બહુ બંધન થયું છે, તે હું તો કેમ કરું ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘હું તો ઘણોય સુખિયો કરી મૂકું પણ તેમ તમારાથી થાય નહિ, ને હું કહું એમ જો તમે કરો તો ત્યાથીં ગાંડા થાઓ, ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહિ.’ ત્યારે વળી પૂછ્યું જે, ‘તમે કહો તેમ કરે ત્યારે ગાંડો કેમ કહેવાય ?’ […]
read more