Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

વચનવિધિ કડવું:- ૪૪

લજામણાને લાજ ન હોયજી, નર મુનિવર મર વળી વગોયજી તિરસ્કાર તલભાર ન માને તોયજી, મર આવી કહે કોવિદ નર કોયજી કોઈનું કેમ માને કહ્યું, થયું જેને ગોઠણ  જેટલું ।। રોગરાજના રોગીને જેમ, ખુવે ખવરાવે તેટલું ।। ર ।। જેમ ભાદરવે ભેંસ પૂછલી,૯ જેમ પડ્યો ગજ અજાડિયે ।। જેમ લાગી ગોળી લલાટ માંયે, તેને જીવવાની ના પાડિયે ।। ૩ ।। તેમ આવતે જોબને આવી મળ્યો, જબરા કુસંગનો જોગ ।। તેને સાધ્ય શી રહે શરીરમાંહી, જેને થયો અસાધ્ય રોગ ।। ૪ ।। જેમ ચંદનઘોના ચાખેલની, વળી નહિ ઊગરવા આશ ।। તેમ કુસંગના કરડેલનો, જાણો ના’વે વળી વિશવાસ ।। પ ।। જેમ મમોઈગર કર માનવી, ખેરી પડી વળી કર ખાટકી ।। પારાધી કર પશું પડ્યું, તે નહિ નહિ જીવે નકી ।। ૬ ।। તેમ ખરા કુસંગને પડ્યો ખબેડે, તેણે બુદ્ધિ ઊંધી આવી ઘણી ।। તેને સવળું કેમ સૂઝશે, રાખશે કેમ સત્સંગ શિરોમણિ ।। ૭ ।। જેમ કોઈ ખાયે ઝાઝા ઝેરને, વળી કરડી જીભ કટકા કરે ।। નિષ્કુળાનંદ એ નરને, નથી જીવવાનું જાણો સરે ।। ૮ ।। read more
0 Views : 129

વચનવિધિ પદ:- ૧૧

રાગ-કેદારો:- ‘પ્રાણ મ રહેજો પ્રિતમ વિના’ એ ઢાળ. સરે સાર શોધતાં તે શું મળશે, કરતાં કુસંગનો સંગ વળી; સુખ સ્વપને નહિ આવે શરીરને રે, આવશે દુઃખ અતોલ મળી.  સરે૦ ।। ૧ ।। જાણી ઝગમગ ઘણી હીરાકણી, ખાય ખાંત્યે ખૂબ પેટ ભરી; એમ કુસંગનો સંગ અંગમાં ઊતર્યો રે, કેમ રહે સતસંગ તેણે કરી.  સરે૦ ।। ર ।। જેમ ખાય ઠગની ઠગમૂળી ઠાઉકી, તેને સાધ્ય શરીરે કેમ રહે; તેમ વચન વિમુખનાં ઉરમાં આવતાં રે, જે ન કે’વાનું તે સર્વે કહે.  સરે૦ ।। ૩ ।। એણે આ લોક પરલોક બેઉ બગાડિયા, ખવરાઈ ગઈ ખળે આવી ખેતી; નિષ્કુળાનંદ કહે આવ્યે અવસરે રે, ચૂક પડી૯ નવ શકયો ચેતી.  સરે૦ ।। ૪ ।। read more
0 Views : 126

વચનવિધિ કડવું:- ૪પ

વણ ચેતે અવસર વણસે કામજી, રાજી ન થાય શ્રીઘનશ્યામજી ત્યારે કેમ પામિયે પરમ ધામજી, વણ પામે ધામ નહિ સુખ ઠામજી ઠામ નથી કોઈ ઠરવા, હરિ આજ્ઞા વિના અણુ જેટલું ।। તે જડમતિ નથી જાણતો, કહી કહી કહિએ કેટલું ।। ર ।। વાવે છે ઝેરનાં ઝાડવાં, કરે છે અમૃત ફળની આશ ।। તે ખાઈને કેમ ખેમ રે’શે, જેથી નર અમર પામ્યા નાશ ।। ૩ ।। મારી કુંવર નરનાથનો, ટિલે બેસવા થાય છે તૈયાર ।। તેને રાજા રાજ કેમ આપશે, જાણી મોભી સુતનો મારનાર ।। ૪ ।। તેમ ભકત થઈ ભગવાનનો, કરે વચનની જો વિઘાત ।। પછી ઇચ્છે સુખ આવવા, એહ કેમ બનશે વાત ।। પ ।। નહિ પામે ઠેકાણું નરકમાં, શીદ કરે ધાંખના ધામની ।। ધામ નહિ મળે ધક્કા મળશે, ત્યારે ઊઘડશે આંખ્ય ગુલામની ।। ૬ ।। લાત લાયક તે વાત ન માને, મર હોય અતિશય હેતની ।। સમુ કે’તાં વસમું લાગે, તેને મુખે પડો પસ રેતની ।। ૭ ।। શરીર સુખ સારુ સુધો વરતે, કલ્યાણમાં વરતે કાસળે૯ ।। નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળે ।। ૮ ।। read more
0 Views : 137

વચનવિધિ કડવું:- ૪૬

પ્રભુ પાસ વાસ કરવા આશ જેનીજી, અતિ મતિ અવળી ન જોયે તેનીજી જે સુખનિયે શીખ ન લેવી કેનીજી, શી ગતિ થાશે તપાસું છું તેનીજી તપાસું છું હું તને મને, શી થાશે ગાફલ નરની ગતિ ।। અવળું કરવા છે ઉતાવળો, નથી સવળું કરવા શ્રદ્ધા રતિ ।। ર ।। શરીરના સુખ કારણે, તતપર રહે છે તૈયાર ।। હરિ આજ્ઞામાં હાલતાં, પગ ભાંગી પડે છે તે વાર ।। ૩ ।। પ્રભુ આજ્ઞામાં થયો પાંગળો, પંડ પોષવામાં પાંખો મળી ।। ખરી કરી રાખી વાતો ખોટિયું, સાચી વાત સર્વે ગયો ગળી ।। ૪ ।। જેમ હોય કોઈ અતિ અમલી, આફૂ પૂરું શેર પીનાર ।। તેને પૈસાભાર પચાવતાં, સહુ સમજો છે શિયો ભાર ।। પ ।। તેમ અનેક શાસ્ત્ર સાંભળ્યાં, સર્વે ગટકાવી ઉતાર્યા ગળે ।। તેને અલપ સલપ ઉપદેશથી, કહો અજ્ઞાન કેમ ટળે ।। ૬ ।। ગમતું કરવા ગોવિંદનું, જેના જીવમાં જરાયે નથી ।। તેને આગે વાતો ઉપદેશની, કેટલીક કહીએ કથી ।। ૭ ।। મનમુખી કે’છે સૌ મુખ ઉપરે, નથી કે’તા વાત વળી વાંસળ્યે ।। નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળ્યે ।। ૮ ।। read more
0 Views : 126

વચનવિધિ કડવું:- ૪૭

પ્રભુ પાસ વાસ કરવા વિગત્યજી, વચન વા’લાનાં સર્વે માનવા સત્યજી સુખ દુઃખ પડ્યે ન હારવી હિમત્યજી, માન અપમાને રાખવી એક મત્યજી મતિ એક રતી નવ ફરે, આવે કાયાયે કોટિ કલેશ ।। વ્યાકુળ થઈ વિપત્તિમાંહી, લોપે નહિ વચનને લેશ ।। ર ।। જેણે સાબિત કીધું છે શીશ સાટે, હરિમરજીમાં મરી મટવા ।। એવા જનને જોઈને, હરિ નહિ દિયે પાછો હટવા ।। ૩ ।। પણ દેહાભિમાની દાસનો, ના’વે વાલમને વિશ્વાસ ।। જાણે ખરું કે’તાં ખમી નહિ શકે, કાં જે નથી વચનમાં વાસ ।। ૪ ।। હરિવચનમાં પડે વસમું, તો લોપતાં લેશ ભૂલે નહિ ।। સુખ સદા રહે શરીરમાં, એમ સાબિત કીધું છે સહિ ।। પ ।। તેને વચનમાં વરતતાં, કઠણથી કઠણ પડે ઘણું ।। જેને લેવું છે સુખ આ લોકનું, નથી લેવું સુખ શ્રીહરિતણું ।। ૬ ।। જેમ પશુઘાતકી ઘરનું પશુ, નીલી ચાર્ય પર નજર છે ।। પણ કાતે કરી કંઠ કાપશે, તેની તેને કાંઈ ખબર છે ? ।। ૭ ।। તેમ પશુવત પામર નરને, વિષયરૂપ ચાર્ય મળી ।। નિષ્કુળાનંદ નિરભાગી નરને, દુઃખમાં સુખ મનાણું વળી ।। ૮ ।। read more
0 Views : 114

વચનવિધિ કડવું:- ૪૮

વળી વચનદ્રોહી મતિમંદજી, પંચવિષયમાંહિ માન્યો છે આનંદજી તે કેમ ટાળશે માથેથી ભવફંદજી, જેણે હરિ વચનમાં માન્યું દુઃખ દ્વન્દ્વજી દ્વંદ્વ દુઃખના વચનદ્રોહીને, હરિવચનમાં રે’તાં વળી ।। અલપ સુખને અરથે, વાત બગાડે છે સઘળી ।। ર ।। જે વચનથી મોટપ્ય મળે, વળી આવે વચનથી સુખ ।। તે સમજયા વિના શઠપણે, વરતે છે વચનથી વિમુખ ।। ૩ ।। જે વચને નર અમર સુખી, અહિ અજ ઈશ અમરેશ ।। જે વચને શશી સૂર્ય સુખી, ગીરા ગજાનન મુકત મુનેશ ।। ૪ ।। એવા વચનને ઉલ્લંઘી, બીજા આગળ કહે છે વાત ।। હું તો આવ્યો હતો ભારે ભીડ્યમાં, પણ ભલી ઊગરિયો એ ઘાત ।। પ ।। ખાવું પીવું ને પે’રવું એહ, મુકાવ્યું હતું મનગમતું ।। એ મોટા દુઃખમાંથી નીસર્યો, હવે મનને રાખશું રમતું ।। ૬ ।। ભલું થયું એહ આડ્ય ભાંગી, હવે મોકળે મને મા’લશું ।। દુઃખ દેખશું જયાં દેહને, તો ત્યાંથી તરત ચાલશું ।। ૭ ।। એવા અભાગી નર અમરને, સુખ નહિ આવે સ્વપ્ને ।। નિષ્કુળાનંદ કહે જો એમ હોય તો, શીદ કરે કોઈ તપને ।। ૮ ।। read more
0 Views : 115

વચનવિધિ પદ:- ૧ર

રાગ-કેદારો:- ‘પ્રાણ મ રહેજો પ્રિતમ વિના’ એ ઢાળ. તપ જેવું વા’લું છે વાલમને, તેવું વા’લું નથી બીજું કાંઈ; વચનમાં રહી ને જે તપ કરે રે, તે તો સુખ પામશે સદાઈ. તપ૦ ।। ૧ ।। નારાયણ વચનથી વિધિએ, આદરિયું તે તપ અનુપ; તેણે કરી રમાપતિ રીઝિયા રે, આપ્યો વર સારો સુખરૂપ. તપ૦ ।। ર ।। શ્વેતદ્વીપમાંહિ મુનિ રહે, નિરન્નમુકત છે જેહનું નામ; અન્ન પાન વિના કરે તપ આકરું રે, રાજી કરવા ઘણું ઘનશ્યામ. તપ૦ ।। ૩ ।। બદ્રિકાશ્રમે બહુ મુનિ રહે, દમે છે કોઈ દેહ ઇન્દ્રય પ્રાણ; સુખ સર્વે તજી શરીરનાં, થઈ રહ્યાં વા’લાના વેચાણ. તપ૦ ।। ૪ ।। એને ન સમજો કોઈ અણસમજુ, તજયાં જેણે શરીરનાં સુખ; પામરને પ્રવીણ ન પ્રીછવા, જે કોઈ રહ્યા હરિથી વિમુખ. તપ૦ ।। પ ।। વચન વિમુખથી જેહ સુખ મળે, તેહ સુખ સર્વે જાજો સમૂળ; નિષ્કુળાનંદ એવું નવ કરો રે, જેમાં આવે દુઃખ અતુળ.તપ૦ ।। ૬ ।। read more
0 Views : 142

વચનવિધિ કડવું:- ૪૯

અતોળ રોળ રહ્યા છે જેમાંજી, શીદને તૈયાર રહો છો તેમાંજી અણુ એક ભાર નથી સુખ એમાંજી, દુઃખ દુઃખ દુઃખ છે દુઃખની સીમાજી સીમા છે સરવે દુઃખની, હરિ વિમુખનો વળી સંગ ।। મહાપ્રભુ મળવાને મારગે, જાણું આડો ઊતર્યો ભોયંગ ।। ર ।। જેમ આવ્યો દિન આનંદનો, ત્યાં મૂવો મોટેરો સુત રે ।। તેમ અવસર આવ્યો હરિભજયાનો, ત્યાં મળ્યો જાણો યમદૂત રે ।। ૩ ।। જેમ ભોજન બહુ રસે ભયાર્ં, કયાર્ં જુગત્યે જમવા જેહ ।। તેમાં પડી મૂઈ માખિયો, કહો કેમ ખવાય તેહ ।। ૪ ।। તેમ મનુષ્ય દેહ મહામોંઘામાંહિ, વચન પડ્યાં વિમુખનાં ।। સુખ ન આવે સ્વપને, એ તો દેનાર છે દુઃખના ।। પ ।। દૈત્ય દાનવ દનુજ  થયા, યક્ષ રાક્ષસ ભૂત પલીત ।। તે સર્વે વિમુખના સંગથી, બીજી મા જાણજો કોઈ રીત ।। ૬ ।। જેવી વચનદ્રોહીથી વાત વણસે, તેવી વણસે નહિ વેરી થકી ।। વેરી કાપે એક કંઠને, આ તો કોટિ કંઠે નથી નકી ।। ૭ ।। એને સંગે એવા દુઃખ મળે, ત્યારે તેનાં તે દુઃખ કેવાં કહિયે ।। નિષ્કુળાનંદ ન કહિયે ઘણું, એ તો મનમાં સમજી લહિયે ।। ૮ ।। read more
0 Views : 116
Powered By Indic IME