Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

ગઢડા પ્રથમ – ૧૫. ઘ્યાન કરવામાં કાયર ન થવાનું

ગઢડા પ્રથમ – ૧૫. ઘ્‍યાન કરવામાં કાયર ન થવાનું સંવત્ ૧૮૭૬ ના માગશર વદી ૩ ત્રીજને  દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે “જેના હઇયામાં ભગવાનની ભકિત હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જેજે વચન કહેશે તેમજ મારે કરવું છે,” એમ તેના હઇયામાં હિંમત રહે અને “આટલું વચન મારાથી મનાશે અને આટલું નહિ મનાય” એવું વચન તો ભૂલ્‍યે પણ ન કહે, અને વળી ભગવાનની મૂર્તિને હઇયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્‍ય નવી શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ઘાટસંકલ્‍પ થાય અને તે હઠાવ્‍યા હઠે નહિ તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્‍પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્‍વરૂપને હઇયામાં ધારતો રહે, તે ધારતાં ધારતાં દશ વર્ષ થાય અથવા વીશ વર્ષ થાય અથવા પચીશ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઇને ભગવાનના સ્‍વરૂપને ધારવું તે મુકી દે નહિ, કેમ જે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે, “અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ” તે માટે એમ ને એમ […] read more
0 Views : 213

ગઢડા પ્રથમ – ૧૬. વિવેકનું

ગઢડા પ્રથમ – ૧૬. વિવેકનું સંવત્ ૧૮૭૬ના માગશર વદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યા હતાં. અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે ભગવાનના ભકતને સત્ અસત્ નો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્‍યાગ કરી દે અને સંતમાં અથવા કોઈ સત્‍સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્‍યાગ કરીદે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહિ. અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્‍ય કરીને માને પણ તે વચનને વિશે સંશય કરે નહિ, અને સંત કહે જે, ‘તું દેહ ઈન્‍દ્રિય મન પ્રાણથી જુદો છો અને સત્‍ય છો અને એનો જાણનારો છું અને દેહાદિક સર્વે અસત્‍ય છે’ એમ વચન કહે તેને સત્‍ય માનીને તે સર્વથી જુદો આત્‍મારૂપે વર્તે પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહિ. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટય આવે એવાં જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહિ. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર […] read more
0 Views : 233

ગઢડા પ્રથમ – ૧૭. સત્સંગમાં કુસંગનું, મોળી વાત ન કર્યાનું

ગઢડા પ્રથમ – ૧૭. સત્‍સંગમાં કુસંગનું, મોળી વાત ન કર્યાનું સંવત્ ૧૮૭૬ ના માગશર વદિ ૫ પાંચમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં ૧કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાધ બાંધી હતી અને પીળાં પુષ્પની માળા પહેરી હતી. અને પીળાં પુષ્પનો તોરો પાધને વિષે ખોશ્‍યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા. તે સમયને વિષે મુકતાનંદસ્‍વામી તથા ગોપાળાનંદસ્‍વામી આદિક સાધુને તેડાવ્‍યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્‍યે બોલ્‍યા જે “આપણા સત્‍સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્‍યયોગી તથા કર્મયોગી સર્વે સત્‍સંગીમાં પ્રર્વતે, તે સત્‍સંગમાં કુસંગ તે શું છે ? તો જે ‘વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે’ તે સત્‍સંગમાં કુસંગ છે. તે કેવીરીતે વાત કરે છે  તો એમ કહે છે જે, ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્‍યાણ કરશે.’ અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્‍વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઇ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય […] read more
0 Views : 215

ગઢડા પ્રથમ – ૧૮. વિષય ખંડનનું, હવેલીનું

ગઢડા પ્રથમ – ૧૮. વિષય ખંડનનું, હવેલીનું સંવત્ ૧૮૭૬ ના માગશર વદિ ૬ છઠને દિવસ રાત્રિ પાછલી પહોર એક બાકી હતી, ત્‍યારે સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજ્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં. પછી પરમહંસ તથા સત્‍સંગીને તેડાવ્‍યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્‍યા જે “એક વાત કહું તે સાંભળો” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે “મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએજ અને આ વાત છે તેને સમજીને તે પ્રમાણે વર્તે તેજ મુકત થાય છે અને તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ, અને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુકત થાય નહિ, તે વાત કહીએ તે સાંભળો જે, બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્‍પ ન હોય તો તેનો અમારે ખરખરો નહિ. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્‍યાગ કરીએ ત્‍યારે નિરાંત થાય, એવો અમારો સ્‍વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે ભગવાનના ભકતના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું […] read more
0 Views : 256

ગઢડા પ્રથમ – ૧૯. આત્મનિષ્ઠા આદિક ગુણની અપેક્ષાનું

ગઢડા પ્રથમ – ૧૯. આત્‍મનિષ્‍ઠા આદિક ગુણની અપેક્ષાનું સંવત્ ૧૮૭૬ ના પોષ સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ સંઘ્‍યા સમે શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “આ સત્‍સંગને વિષે પોતાના આત્‍યંતિક કલ્‍યાણને ઇચ્‍છતો એવો જે ભકતજન તેને એકલી આત્‍મનિષ્‍ઠાએ કરીને જ પોતાનું આત્‍યંતિક કલ્‍યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભકિત કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્‍ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્‍વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી; તે માટે એ આત્‍મનિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે, આત્‍મનિષ્‍ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઇ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્‍ય એવું મોટું ઐશ્વર્ય જે “માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય” તેને એ ભકત નથી પામતો અને શ્રીહરિને વિષે પ્રીતિ હોય પણ જો આત્‍મનિષ્‍ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ […] read more
0 Views : 233

ગઢડા પ્રથમ – ૨૦. અજ્ઞાની, પોતાના સ્વરૂપને જોવાનું

ગઢડા પ્રથમ – ૨૦. અજ્ઞાની, પોતાના સ્‍વરૂપને જોવાનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓશરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને ધોળી પાધ માથે બાંધી હતી ને તે પાધને વિષે પીળા ફુલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિષે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો. અને બે કાનને વિષે ધોળા અને પીળા પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢયોે હતો ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ બોલ્‍યા જે, ‘સાંભળો સર્વેને એક પ્રશ્ર્ન પુછીએ છીએ.” ત્‍યારે સર્વે હરિભકતે હાથ જોડીને કહ્યું જે ” પુછો” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે “અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની તે કોણ છે ?” પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શકયા નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે; “લ્‍યો અમેજ ઉત્તર કરીએ.” ત્‍યારે સર્વેએ રાજી થઇને કહ્યું જે, “હે મહારાજ ! તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુવે છે, કુરૂપને જાુવે છે તથા બાળ, યૌવન અને વૃઘ્‍ધપણાને જાુવે છે, એવાં અનંત પદાર્થને જુવે છે પણ જોનારો પોતે પોતાને જોતોનથી અને કેવળ બાહ્ય દષ્‍ટિએ કરીને પદાર્થને જોયા કરે છે […] read more
0 Views : 224

ગઢડા પ્રથમ – ૨૧. એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપ.

ગઢડા પ્રથમ – ૨૧. એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્‍વરૂપ. સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢયો હતો ને ધોળી પાધ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ ઝાંઝ, પખાજ લઇને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્‍સંગીની સભા ભરાઇને બેઠી હતી. પછી તે સર્વે ને શ્રીજી મહારાજે છાના રાખ્‍યા ને એમ બોલ્‍યા જે, “સર્વે સાંભળો એક વાર્તા કરીએ” એમ કહીને ઝાઝીવાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા, ને પછી બોલ્‍યા જે, “જે હરિભકતના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઇચ્‍છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્‍ઠા તથા આત્‍મનિષ્‍ઠાની અતિશે દઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વે પદાર્થને વિષે અરુચિ તથા ભગવાનને વિષે માહાત્‍મ્‍યે સહિત એવી નિષ્કામ ભકિત, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશે પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ અને એવા એકાંતિક ધર્મવાળા જે ભકત તે આ સમામાં આપણા સત્‍સંગમાં કેટલાક છે. અને જે ભગવાનનો ભકત હોય તેને ખાતાં, પીતાં. નાતાં, ધોતાં, ચાલતાં, બેઠતાં સર્વ ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું […] read more
0 Views : 249

ગઢડા પ્રથમ – ૨૨. સ્મૃતિ વિના ગાયું તે ન ગયા જેવું – એકડાનું

ગઢડા પ્રથમ – ૨૨. સ્‍મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું – એકડાનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૪ ચોથને દિવસ મઘ્‍યાહ્ન સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા હતાં ને પાધને વિષે ફુલનો તોરો ખોશ્‍યો હતો, ને બે કાન ઉપર પુષ્પના ગુચ્‍છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદિના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ-દેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સાંભળો એક વાત કરીએે.” ત્‍યારે સર્વે પરમહંસ ગાવવું રાખીને વાત સાંભળવા તત્‍પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્‍યાદિક વાજીંત્ર વજાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્‍મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજીંત્ર વજાડે છે પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામ રટણ કરવું તથા નારાયણ ધુન્‍ય કરવી ઈત્‍યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીનેજ કરવું . અને ભજન કરવા બેસે ત્‍યારે તો ભગવાનને વિષે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે ત્‍યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે, તો […] read more
0 Views : 184
Powered By Indic IME