Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૧

અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. ।।૧૮૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 80

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૨

અને જો કયારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપત્કાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. ।।૧૮૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 79

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૩

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેશ તે ન ધારવો અને રસના ઇન્દ્રિયને જીતવી. ।।૧૮૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 80

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૪

અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું  નહિ અને જયાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. ।।૧૮૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 81

શિક્ષાપત્રી શ્લોક – ૧૮પ

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. ।।૧૮૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 86

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૬

અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઇએ પણ ચર્મવારી ન પીવું ને ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઇ પ્રકારે ન ખાવું. ।।૧૮૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 107

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૭

અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રીવિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ.(એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા.) ।।૧૮૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 95

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૮

હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. – અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓનાં દર્શન, ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા. ।।૧૮૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1207
Powered By Indic IME