Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૭

અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિષે ધર્મનું સ્થાપન કરવું. ।।૧૫૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 98

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૮

અને તે રાજા તેમણે રાજયનાં જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં અને તીર્થ જે ચાર મોકલ્યાનાં સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય જેમાણસ તથા દંડવા યોગ્ય નહિ એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. ।।૧૫૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 127

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૯

હવે સુવાસિની બાઇઓના વિશેષ ધર્મ કહીએ છીએ.-અમારે આશ્રિત જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તોપણ તેને ઇશ્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્યે કટુક વચન ન બોલવું. ।।૧૫૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 115

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૦

અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપ ને યૌવન તેણે યુકત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો. ।।૧૬૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 88

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૧

અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડ ભવાઇ જોવા ન જવું અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. ।।૧૬૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103

શિક્ષાપત્રી શ્લોક – ૧૬ર

અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવાં, રૂડાં વસ્ત્ર ન પહેરવાં, પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. ।।૧૬૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 125

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૩

હવે વિધવા સ્ત્રીઓનાં વિશેષ ધર્મ કહીએ છીએ.-અમારે આશ્રિત જે  વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિબુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા, પુત્રાદિક જે સંબંધિ તેમની આજ્ઞાને વિષે વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું.।।૧૬૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 116

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૪

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાનાં સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ કયારેય ન કરવો અને પોતાની યુવાવસ્થાને વિષે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે કયારેય પણ બોલવું નહિ. ।।૧૬૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101
Powered By Indic IME