Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૧

અને સમાગમ કરવાની રીત કહી જે, ‘પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો. પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય તે ભગવાનના ગુણ સાધુમાં આવે ને તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે, પણ જીવ સારી પેઠે જોડે નહિ તો તેના ગુણ આવે નહિ અને એ વાત આજ કરો કે ગમે તો હજાર જન્મે કરો પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી.’ ।।૪૧।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪ર

અને આમ સમજાય તો આજ્ઞા પળે જે – થર થર ધ્રૂજત રહે વચનમેં ઇંદ્ર મુનીંદ્રા, થર થર ધ્રૂજત રહે વચનમેં અવનિ અહીંદ્રા ; થર થર ધ્રૂજત રહે વચનમેં શશિ અરુ સૂરા , થર થર ધ્રૂજત રહે રેન દિન કાળ હજૂરા ; હરિ  હર અજ  આદિ સબે રહત ભકિતરત જાહિકી, જન મુકુંદ મોહવશ મૂઢ નર કરે ન આગ્યા તાહિકી. એ આદિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે. વળી ‘સર્વત્ર જંતો ર્વ્યસનાવગત્યા’ એમ જીવ કર્મ વશ થઈને અનંત દુઃખ ભોગવે છે, એમ વિચારે તોપણ આજ્ઞામાં રહેવાય. એમ જ્ઞાનીને તો અનેક રીત છે. ને વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી; એ વાત એમ જ છે અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે, તે જેમ ચણા ને ઘઉં આદિકમાં હિમ પડે, તે ઉપરથી તો હોય એવું દેખાય પણ માંહીથી બીજ બળી જાય છે, એમ થાય છે. ।।૪૨।। read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૩

અને આ જીવને માથે શાસ્તા વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીડો થઈ રહે એવો છે. ।।૪૩।। read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૪

અને મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહ્યો જે, ‘રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઇને પણ આ સાધુનો સમાગમ કરીએ, નીકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નીકર ઉપવાસ કરીને પણ આ સમાગમ કરીએ, અથવા લીંબડો ખાઇને, નહિ તો વાયુ ભક્ષણ કરીને પણ આ સમાગમ કર્યા  જેવો છે. જેને કોઇક કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય, તે જો સમાગમ નહિ કરે તો તેને તો બહુ ખોટ જાશે. ’ અમે ઘણીક વાર્તા કરી. ।।૪૪।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪પ

આવા સાધુની વાતોની ગતિ તો કાળના જેવી છે તે દેખાય જ નહિ પણ અજ્ઞાન ટાળી નાખે, જેમ બાળકમાંથી જુવાન થાય છે ને તે વૃદ્ધ થાય છે તે દેખાતું નથી તેમ. બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે તેટલું કામ આંહીં એક દિવસે થાય છે. ને અક્ષરના મુકતને પણ સમજવામાં કસર રહી ગઇ હોય, તો તેને પણ આંહીં ભગવાનની ભેળું કસર ટાળવા આવવું પડે છે, માટે જેને કસર ટાળવી હોય તેને તો આ બરોબર બીજો કોઇ સારો યોગ નથી. ।।૪૫।। read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૬

શ્રીજીમહારાજે આઠ મહિના સુધી સારંગપુર, કારિયાણી, લોયા ને પંચાળા વગેરેમાં સંતને પણ ભેળા રાખીને વાતો કરી ને મંડળ ફરીને આવે તેને પણ પંદર દિવસ, મહિનો રાખીને વાતો કરતાં; એમ કરે ત્યારે જ્ઞાન થાય છે પણ તે વિના થાતું નથી. ।।૪૬।। read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૭

સંસારમાં સુખ જેવું જણાય છે પણ તેમાં તો દુઃખ છે. જેમ શેરડીના સાંઠામાં ઇયળ પડે તે સુખ માને છે, પણ ચિચોડામાં ભૂકા નીસરશે. તે જમે કાગડાને શ્રાદ્ધના સોળ દિવસનું સુખ ને પછી બંદૂકોની ગોળીઓ ખાવાની છે તેમ. ।।૪૭।। read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૮

અને ફિરંગી  નિત્ય કવાયત કરાવે છે તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે. તેમ જે કથાવાર્તા, પ્રશ્ન-ઉત્તર કરવાસાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે ને તેમાં બળ આવે, પણ તે વિના બળ ન આવે, પણ જે આળસુ થઇને બેસી રહે તેને શું સમાસ થાય ? ।।૪૮।। read more
0 Views : 154
Powered By Indic IME