Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૩

જેના હૈયામાં જગત પ્રધાન હોય તે બીજાના હૈયામાંથી જગત શું કાઢશે ? નહિ જ કાઢે. ને તે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે; ને સૌને એમ છે જે મારા જેવું સમજે તો ઠીક. ।।૩૩।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૪

અને સંગ કરવામાં ને સત્સંગ કરવામાં પણ બહુ ભેદ છે, કેમ જે, મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગૃહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. જેમ ગાયના આઉમાં  ઇતરડી  રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી ને વાછરું છે તે છેટે રહે છે તોપણ તેને દૂધનો સ્વાદ આવે છે. ।।૩૪।। read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩પ

અને નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવું જે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું ? એમ જોયા કરવું. ।।૩૫।। read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૬

અને સત્સંગ કરવામાં ને સમજણમાં ઘણી કસર રહી જાય છે; કેમ જે, શ્રીજીમહારાજ બિરાજતા ત્યારે દર્શન થાતા હોય એટલી વાર દસ-વીસ સાધુ તો ઘડી છેટે જાતા નહિ, ને ગમે એટલો થાક લાગ્યો હોય, પણ રાતે દર્શન થાતાં હોય તો આખી રાત દર્શન કરતા, ને કેટલાક સુખે સૂઇ રહેતા; એમ સમજણમાં ઘણાં ભેદ છે. ।।૩૬।। read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૭

મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા  જોઇએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકર તો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય. ।।૩૭।। read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૮

અને બ્રહ્મર્ષિ ને રાજર્ષિ, તેમાં બ્રહ્મર્ષિનો માર્ગ ઉત્તમ છે પણ તે કઠણ છે ને રાજર્ષિનો માર્ગ મુખ્ય છે ને બહુધા એ જ પાર પડે એવો છે. ને વિદ્યાઓ તો ઘણી છે પણ ભણવા જેવી તો બ્રહ્મવિદ્યા  છે, ને એમાં જ માલ છે, ને અંતે એમ કર્યા વિના છૂટકો નથી, પણ જીવ એ માર્ગે ચાલતા નથી. ।।૩૮।। read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૯

મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતા પણ અધિક છે; કેમ જે, ભગવાન તો મનુષ્યચરિત્ર કરે તેથી સમજણની કસર હોય તો સંશય થઇ જાય ને અવળું પડે, માટે સાધુનો સમાગમ અધિક છે. ને દસ હજાર રૂપિયા ખરચે તે કરતાં મંદિરના રોટલા ખાઇને સાધુનો સમાગમ કરે ને સમજવા માંડે તે અધિક છે; કેમ જે, ઓલ્યાને દેશકાળ લાગે. પણ આને ન લાગે, તે મહારાજે પણ કહ્યું છે જે, “સત્સંગે કરીને વશ થાઉં છું એવો બીજે સાધને કરીને વશ થાતો નથી.” ને સત્સંગ કરે તો સંસારમાંથી પણ મુકાઇ જાય. ।।૩૯।। read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૦

અને લખવું, ભણવું તે તો ઠીક છે ને ભકિતનું તો કાંઇ સરું  આવતું નથી, પણ નિયમ રાખીને બબ્બે ઘડી આત્માઅનાત્માનો વિચાર કરવા માંડે ને બબ્બે ઘડી રટણ કરે ને બબ્બે ઘડી વૃત્તિઓ રૂંધીને  બંધ કરે ને બબ્બે ઘડી ભકિત કરે, તો એમ જણાય જે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો, ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. ।।૪૦।। read more
0 Views : 92
Powered By Indic IME