Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૫
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮૧

વળી સંચિત , ક્રિયમાણ ને પ્રારબ્ધ તે પણ જાણવું, તેનિયમ ધર્યા તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યા  પાપ તે બળી જાય.ને ક્રિયમાણ કરવું નહિ, ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મુંઝાવુંનહિ; ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય. કેમજે, પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણો છે માટે ભોગવવા. તે ‘શૂળીનુંકષ્ટ કાંટે ઉગારે .’પછી સાધુ સર્વે તથા હરિભકત સર્વેએકહ્યુંજે,‘ઓહો !બહુ વાતો થાય છે, આ પ્રમાણે રહે તો કાંઇ દુઃખ જ આવેનહિ.’ પછી સ્વામી કહે જે, ‘હું એકેય ધારતો નથી, આફૂરી(સહેજે) માંહેથી કહેવાય છે.’ ત્યારે સાધુ કહે,‘ભગવાન પ્રવેશકરીને બોલાવે છે.’ તો કહે, ‘હા, એમ જ.’ તે જુઓને, એમજ થાય છે, તેમાંથી મોટા હરિજનોને મોટા સાધુનો, આચાર્યનોને મહારાજનો પણ અવગુણ આવે. પછી તેમાંથી મોડો વહેલોમરવા ટાણા સુધીમાં પણ વિમુખ થઇ જાય, માટે એ ન જકરવું. ।।૮૧।। read more
0 Views : 171

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮ર

વળી આત્મનિષ્ઠ થાવું, તે કાંઇ જોઇએ જ નહિ એ માર્ગમાંદુઃખ ન મળે, તે ઉપર ગુજરાતના પાણાનું કહ્યું. માટે એ માર્ગજ નિર્વિઘ્ન છે તે પાર પડે છે. ।।૮૨।। read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮૩

આપણને ભગવાન ભજવામાં વિઘ્ન કરનારની વિકિત જે,એક તો લોક, બીજા સગાં, બાયડી, છોકરાં, મા-બાપ, રૂપિયાને દેહ એ સર્વે છે. તે જો બળિયો મુમુક્ષુ હોય તો ન ગણે;પણ આ અંતઃકરણ ઇન્દ્રિયોરૂપે જે માયા છે તે બહુ કઠણ છે,તે અનંત ભાતે કરીને ફેર પડાવી નાખે, માટે તેને ન માનીનેતેનો નિષેધ કરીને આત્મનિષ્ઠ થાય ત્યારે સુખે ભજન કરવાદે છે;નીકર તો વાસના રહી જાય; તે સો વરસે કે હજાર વરસેબાયડી જોઇએ. તે ઉપર સૌભરિ આદિકનાં દષ્ટાંત દીધાં.વાસના હોય તો ભગવાન તેડી તો જાય, પણ ઇલાવ્રત ખંડમાં મૂકે છે. તે ઉપર લવાનું કહ્યું જે, મહારાજ તેડવા આવ્યા ત્યારેકહ્યું જે, ‘હમણાં તો મેં કરકું (સ્ત્રી) કર્યું છે, તે નહિ આવું.’એમ થાય છે, માટે એ વાત જ એવી છે, તેનો કોઇ પ્રકારેવિશ્વાસ કરવો નહિ. કેમ જે, મશાણના લાડવામાં એલચીનીવાસ હોય જ નહિ , એતો સ્થાનક જ એવાં છે. રહો તો રાજા રસોઇ કરું, જમતા જાઓ જોગી રાજજી ; ખીર રે નિપજાવું ક્ષણ એકમાં, તેતો ભિક્ષાને કાજજી…જંગલ. એણે એમ વિચાર્યું જે, ખીર ખવરાવું તે હજાર બાયડીહૈયામાં ભરાય જાય. એનો એવો ઠરાવ ને ઓલ્યાનો એમજે,આહાર કારણે ઊભો રહે, કરી એકની આશજી; તે જોગી નહિ ભોગી જાણવો, અંતે થાશે વિનાશજી… જંગલ. માટે એનું કોઇ વાતે ન માનવું. એ વાતનો કતોહળ પ્રકૃતિપુરુષ સુધી છે. ને બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપ એ બેમાં નહિ;ને […] read more
0 Views : 193

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮૪

વળી જ્ઞાનના શબ્દ પાડવા; કેમ જે, શબ્દે કરીને તો દેહબંધાય છે. તે ‘કાટવી’ એમ કહે, ત્યાં ઓલ્યું બકરું બોલે એમથાય. ને ગાયનો વાઘ કરી દે એવા માણસો હોય.તે ઉપર વાત કરી જે, ચાર ચોરે શણગારેલી ગાય દીઠી.તે લઇ લેવા ધાર્યુ. પછી ઓલ્યા બ્રાહ્મણને કહે ‘તુંને તો એણે બાપ મર્યા કેડે વાઘ દીધો.’ ત્યારે તે બ્રાહ્મણ કહે ‘આ તો ગાય છે ને શું ?’ પછી આઘે જતાં વળી બીજાએ કહ્યું જે,‘અરે !આ વાઘ લઇને કયાં જાય છે ?’ ત્યારે તેને ભ્રાંતિ પડી પછી ત્યાંથી આઘે જતાં ત્રીજાએ પણ એમ કહ્યું ત્યારે તો ઘણી જ ભ્રાંતિ પડી ને છેટે છેટે ચાલવા લાગ્યો. પછી આઘે જતાં ચોથે જણે કહ્યું, ત્યારે કહે :‘હા ભાઇ સૌ કહે છે તે એ વાઘ જ હશે.’ પછી મૂકી દીધી.એમ આપણામાં કૈંક કહેશે જે,‘તમારું આમ વાકું બોલેછે.’ તે જયાં મહિનો એમ કહે, ત્યાં ખરું મનાઇ જાય. માટે શબ્દ તો આકાશનો ભાગ છે, તે આકાશમાં લીન થઇ જાયછે, એમ સમજવું ને આત્મનિષ્ઠ થાવું, પછી તેને લાગે જ નહિ.એમ ડાહ્યા માણસને વિવેક જોઇએ ને આપણને કોઇક સનકાદિકજેવા કહે, તો શું કાંઈ સનકાદિક જેવાં થઇ ગયા ? ને કોઇક લંબકરણ જેવા કહે, તો શું તેવા થઇ ગયા ? એમાં શું એતો જીવનો સ્વભાવ તે ગમે તેમ કહે, જો એમ જ મનાશે, તો […] read more
0 Views : 175

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮પ

અને ભગવાન રાખવામાં બે દુઃખ છેઃ ખાવા ન મળે નેમાર પડે, તે તો અમારી વારીમાં હતું. ને હવે તો અવિદ્યા હતી તે તો નાશ થઇ ગઇ છે ને મારતા તે પગે લાગે છે નેકેટલાક કુળે સહિત નાશ થઇ ગયા. હવે તો કયાંય જાયગા નથી,એટલે સત્સંગમાં અવિદ્યા આવી છે; તે માંહોમાંહી વેર કરે છે,ને મળે તે પણ ગરાસિયાની પેઠે છે. ને કોઠારી તથા ભંડારીએ બે સાથે વેર તે કાંઇ સાધુનો માર્ગ નહિ, સાધુનો માર્ગ તોક્ષમાશીલાઃ ધૈર્યશીલાઃ બોધને નિપુણાઃ એ સર્વે છે. ને આકુતિચતિ-ચાપલ્યરહિતાઃ નિષ્પરિગ્રહાઃ એ છે, માટે મોક્ષને માર્ગેચાલ્યા છઈએ તે ‘શ્રેયાંસિ બહુવિઘ્નાનિ’ તે સો સો વાતો સાચવીનેભગવાન ભજવા.‘શિરાપુરી ખાય બને રહે પઠ્ઠિયે , આવત માંહોમાંહી કેલઠ્ઠા લઠ્ઠિયે.’ પણ એમ ન કરવું. ।।૮૫।। read more
0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮૬

વળી, મોટા સાધુનો સિદ્ધાંત એ છે જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યસહિત એક રહેણીએ મરવું પણ ‘ક્ષણે રુષ્ટાઃ ક્ષણે તુષ્ટાઃ , રુષ્ટાઃતુષ્ટાઃ ક્ષણે ક્ષણે’ એમ ન કરવું. જુઓ પૂરું કોઇનું થયું છે ?સૌને ચેલા બરોબર નથી થયા; લૂગડાં બરોબર નથી થયા;ધાબળી, ખાવું, હવેલી, ગાડી, ઘોડું એ કોઇને પૂરાં નથી થયાં.ને ત્રિલોકમાં કોઇને સવારના પહોરમાં ભગવાન ભજવા કે કથાકરવી એમ ન મળે ને બીજુ સર્વે કરે પણ કથા ન કરે, ને રૂપિયા,હવેલી, વિવાહ, ખાવું મજૂરી એમાં સવારમાંથી મંડે છે. અને આ તો એમ જેમ ફિરંગી કવાયત કરે છે તેમ કરીએ છીએ,ને કેટલાક કામ મરડીને આ કરીએ છીએ, નીકર થાય તેવુંકયાં છે ? જે ઘડીએ થઇ રહે છે તે ઘડીએ માણસ મંડી પડેછે. આ તો વૃત્તિને રોકીને કરીએ છઈએ, કરવાનું તો એ જ છે ને એ કર્યે જીવ વૃદ્ધિ પામતો જાય છે. ।।૮૬।। read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮૭

અને નિર્મળ અંતઃકરણે કરીને એમ જોવું જે, જે જે વાતથાય છે તે તે આ સાધુથી જ થાય છે. તે આ સત્સંગ ઓળખાણોને ભગવાન તથા સાધુ ઓળખાણા એ જ મોક્ષનું દ્વાર કહ્યું છેપ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુષુકૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ।। એ શ્લોક બોલીને કહ્યું જે,‘દ્વાર વિના ભીંતમાં માથુ ભરવોજોઇએ ! જવાય નહિ; માટે તેવા સાધુ સાથે જીવ જોડવો, નેયોગ વિના ભેળા ન થવાય ને યોગવાળો ભગવાન અખંડ ધારે,પણ જો આવો યોગ હોય તો તો ઠીક; ને તે ન હોય ત્યારેસાંખ્યનું કામ પડે છે, ને પ્રકૃતિ સુધી તેના રૂપને જાણી મૂકે ત્યારેનિર્વિધ્ન રહેવાય;’ તે ઉપર યોગ ને સાંખ્યનું (મધ્યનું ૨૪)મુંવચનામતૃ વંચાવ્યુંનેકહ્યુંજે,‘તે સારુ એ શીખી રાખવું ’ત્યારે કોઇકે પૂછ્યું જે,‘એવા શબ્દ પડે છે પણ રહેતું કેમનથી ?’ એટલે સ્વામી કહેઃ ‘અનંત કાળ થયા ગોટા ને ગોટાવાળ્યા છે, ને હમણાં પણ ઘણું ખરું એ જ થાય છે. ને આતોપા આનો કોઇકે કર્યું છે, તે ધીરે ધીરે બહુ શબ્દે થાશે. સર્વત્રજન્તોર્વ્યસનાવગત્યા સર્વ જોવું જે, કેટલાકને દાણાં નથી મળતાંને ભગંદર, જળોદર, કઠોદર એવા અનંત રોગ થાય છે નેવણથળીના બળદનું, મારવાડાના ઊંટનું ને પિશોરીના ગધેડાનુંએ સર્વેનાં દુઃખ જોવા; ને ઢોરને ઉનાળામાં ચાર મહિના ચાંદ્રાયણથાય છે. એવાં જન્મમરણ, ગર્ભવાસ, ચોરાશી, જમપુરી એવાંહજારો દુઃખ છે તે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખદોષાનુદર્શનમ્ એમ જોઇને વિચારવું જે, હમણાં સારો દેહ […] read more
0 Views : 156

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮૮

અને સાંખ્યવાળા રામદાસજી તે પોતે સુખિયા રહેતા નેઆગલ્યાને વાતે કરીને સુખિયા રાખતા; ને બીજા તો જેમ લોકમાંહોમાંહી વઢે એમ આંહીં માંહોમાંહી કજિયા કરે છે. તે પોતેલઘુશંકા જેવા પણ ન હોય; જેમ કૂતરાને હડકારી કાઢી મૂકીએએવા હોય, પણ એમ કરે. તે માટે એમ ન કરવું, નીકર ભૂંડુંથઇ જશે. ।।૮૮।। read more
0 Views : 237
Powered By Indic IME