Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૮

અને પૂર્વનો સંસ્‍કાર એવું કહેવાય છે, તે પૂર્વનો સંસ્‍કાર તે પૂર્વજન્‍મનું કરેલું હોય તેને કહેવાય, પણ એમ ન સમજવું. ત્‍યારે પૂર્વનો સંસ્‍કાર તે શું ? જે આજ જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય, એમ સમજવું. માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. ૩૩૮ read more
0 Views : 1260

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૯

અને આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભારી રાખવી : જે : ‘ઉધો ! સંત સુખી રહે સંસારમેં, રાજા બી દુ:ખિયા રંક બી દુ:ખિયા, ધનપતિ દુ:ખિત વિકારમેં, બિના વિવેક ભેખ સબ દુ:ખિયા, જુઠા તન અહંકારમેં – ઉધો..’ માટે સમજણવાળાને સંત કહે છે. તે અંબરીષ, પ્રહ્લાદ ને જનકાદિક રાજા હતા, પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું. ૩૩૯ read more
0 Views : 1250

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૪૦

અને જ્ઞાન જ્ઞાનમાં પણ ઘણા ભેદ છે. કેની પેઠે ? જે એક ગુજરાતનું ઘોડું હોય તેની સામી લાકડી ઉગામીએ તો ભાગી જાય, ને એક તો કાઠિયાવાડનું પળોટેલ ઘોડું હોય તે તો તરવારો, બરછીઓ, બંદૂકોનો વરસાદ થાતો હોય તેમાં પણ સામું ચાલે, એ રીતે જ્ઞાન જ્ઞાનમાં ભેદ છે. ૩૪૦ read more
0 Views : 1245

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૪૧

અને આગળ જે ભકત થઇ ગયા તે કોઇની આજ સત્‍સંગમાં ઉપમા દેવાય નહિ, કેમ જે આગળ થયા તે કોઇ અક્ષરધામના નિવાસી નથી, ને આજ તો પુરુષોત્તમના આશ્રિત છે તે સર્વે અક્ષરધામના અધિકારી છે. ૩૪૧ read more
0 Views : 1280

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૪ર

અને કથા કરે, કીર્તન કરે, ને વાતો કરે, પણ ‘આ દેહ હું નહિ’ એમ માને નહિ, માટે આઠ પહોર ભજન કરવું – જે હું દેહ નહિ ને દેહમાં હહ્યો એવો જે હું તે આત્‍મા છું. બ્રહ્મ છું, અક્ષર છું. ને મારે વિષે પરમાત્‍મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે તો સર્વ અવતારના અવતારી છે સર્વ કારણના કારણ છે, ને સર્વ થકી પર છે, તે પ્રગટ પ્રમાણ આ મને મળ્‍યા છે. આ વાતમાં સાંખ્‍ય ને યોગ બેય આવી રહ્યા. ૩૪૨ ઇતિશ્રી સહજાનંદ સ્‍વામીના શિષ્ય ગુણાતીતાનંદ સ્‍વામીએ કરેલી વાતોમાં ભગવાનનો તથા સંતનો મહિમા કહ્યો એ નામે પ્રથમ પ્રકરણ સમાપ્‍ત. ૧ read more
0 Views : 1335
Powered By Indic IME