Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૦

અને જ્ઞાનીને ભગવાને પોતાનો આત્‍મા કહ્યો છે તે ઉદ્ધવ જ્ઞાની, ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા પણ જ્ઞાન વિના અધુરું, ને સચ્‍ચિદાનંદ સ્‍વામીને તરસ લાગી તેથી મહારાજને તરસ છીપે નહિ, પછી સચ્‍ચિદાનંદ સ્‍વામીને પાણી પાયું, ત્‍યારે મહારાજને તરસ છીપી. તો પણમહારાજનો મત ‘નિજાત્‍માનં બ્રહ્મરુપં’ માનવું એમ છે. ૩૩૦ read more
0 Views : 1242

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૧

અને પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહિ, એને તો જ્ઞાને કરીને હેત થાય, ને ‘કૃપાનંદ સ્‍વામી ને નિષ્કુળાનંદ સ્‍વામીનું હેત સ્ત્રીના જેવું’ એમ મહારાજ કહેતા. ૩૩૧ read more
0 Views : 1235

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩ર

અને જડભરત આ લોકના વ્‍યવહારમાં જોડાણા નહિ તે શા સારુ ? જે પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારુ ગાંડા કહેવાણા. ને બીજા આ લોકમાં લઇ મંડે તેને માણસ ડાહ્યા કહે છે, પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં એ ડાહ્યા નથી. ૩૩૨ read more
0 Views : 1246

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૩

અને ભગવાનની કથા તો કેવી છે ? તે ચોકિયાત આવીને કહે જે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય તેમ કથા એવી છે. ૩૩૩ read more
0 Views : 1241

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૪

શિક્ષાપત્રી છેલ્‍લો શ્લોક નિત્‍યે બોલે છે તેમાં કહ્યું છે : જે – નિજાશ્રિતાનામ્ સકલાર્તિહંતા, સદ્ધર્મભકતેરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં, તનોતુકૃષ્ણોડખિલ મંગલમ્ ન: પોતાના આશ્રિત જે ભકતજન તેમની સમગ્ર પીડાના નાશ કરનારા એવા ને ધર્મ સહિત જે ભકિત તેની રક્ષાના કરનારા ને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્‍તારો. ૩૩૪ read more
0 Views : 1233

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩પ

અને એક રુચિવાળા બે જ હોઇએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના હજારો ને લાખો હોઇએ તો પણ એ કલા જ છીએ એમ સમજવું. ૩૩૫ read more
0 Views : 1235

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૬

અને ભગવાનને પોતાના ભકતને મારીકૂટીને પણ બ્રહ્મરુપ કરવા છે. ૩૩૬ read more
0 Views : 1294

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૭

અને શાસ્ત્રમાં કહ્યું છે : ‘શ્રેયાંસિ બહુ વિઘ્‍નાનિ’ ને લોકમાં કહે છે : જે ‘સારા કામમાં સો વિઘ્‍ન’ માટે પરમેશ્વર ભજવામાં ને પરમેશ્વરનું સ્‍વરુપ સમજવામાં બહુ અંતરાય છે, તે અંતરાયને ઓળખીને તેથી મુકાઇને બહુ ખપવાળો હોય તે પરમેશ્વર સંમુખ ચાલે, નીકર ચલાય એવું નથી, કેમ જે આ લોકમાં અનેક અંતરાય છે. ૩૩૭ read more
0 Views : 1220
Powered By Indic IME