અને અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવીએ પણ ક્રિયારુપ થાવા દઇએ નહિ ને તેમાં બંધાવા દઇએ નહિ, ને તેનો નિષેધ કર્યા કરીએ. ને બીજા ક્રિયા કરાવે તેતો તેમાં જોડી દિયે, તે ક્રિયારુપ થઇને ક્રિયા કરે, ને ક્રિયામાંથી નિવૃત્તિ પામે તો પણ તેના મનસૂબા કરે, ને અમારો મત એવો : જે ક્રિયા કરાવવામાં પણ ક્રિયારુપ ન થાવું ને ક્રિયા મૂકીને પણ તેના મનસુબા ન કરવા. ને વ્યવહાર આવ્યો તે ક્રિયા પણ કરવી પડે, તેણે કરીને જ પૂર્ણપણું માનવું નહિ. ૩૧૮
read more