Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦પ

પ્રથમ પ્રકરણનું ત્રેસઠમું વચનામૃત વંચાવીને મહિમાની વાત બહુ કરી, જે આમાં કહ્યું છે એમ સમજાય નહિ તેથી જીવ દૂલળો રહે, પણ ભગવાનને પ્રતાપે કામ, લોભ, સ્‍વાદ, સ્‍નેહ ને માન તે સમુદ્ર જેવા છે પણ ગાયના પગલા જેવા થઇ જાશે. માટે આવો મહિમા છે તે સારુ કોઇ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહિ, ને લક્ષ્િમ ને ભગવાન તો આપણી સેવામાં છે. કેમ જે માબાપ તો છોકરાની સેવામાં જ હોય. ને આપણે તો કરીએ તે થાય, પણ જાણીને દબાવી રાખ્‍યું છે, ને આ પ્રાપ્‍તિ તો મોટા ઇશ્વરને પણ દુર્લભ છે. ૩૦૫ read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૬

અને અક્ષરધામમાં કેમ સુખ છે ? જે જેમ રાજાનો છોકરો ગમે તેમ ફરતો ફરે પણ રાજનો ધણી છે, એમ સુખ છે. ને કેટલાક મુકત તો નિર્વિકલ્‍પપણે જોડાઇ રહ્યા છે ને કેટલાક મુકત તો વાતો-મહિમા કહે છે ને સાંભળે છે, જેમ આંહીં છે તેમજ ત્‍યાં છે એમાં લગારે પણ ફેર નથી. ૩૦૬ read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૭

આપણામાં વિષયની અરુચિ તો નિષ્કુળાનંદ સ્‍વામી, કૃપાનંદ સ્‍વામી, માવો ભકત તથા રણછોડજી ઉનાવાળા એવા ઘણાકને હશે, ને બાકી તો આપણું ધર્મે કરીને શોભે છે, ને મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્‍ઠા છે. ૩૦૭ read more
0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૮

અને ભગવાને જે જે નીરમ્‍યું છે તે તેમજ થાય છે. તે ભગવાને નીરમ્‍યું છે તે કંચન ને સ્ત્રીમાં સહુ વધુ તણાય છે ને મનુષ્ય ને મૈથુનનો નિયમ નથી ને પશુપક્ષીને છે, એ આદિક અનેક કળા ચડાવી મૂકી છે તે તેમજ થાય છે. ૩૦૮ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૯

અને કારિયાણીનું સાતમું વચનામૃત વંચાવીને વાત કરી : જે નિશ્વય છે એ જ આત્‍યંતિક કલ્‍યાણ છે, ને નિશ્વય છે એ જ સિદ્ધ દશા છે, ને દેખવાનું કહ્યું છે, તે પણ જ્ઞાને સહિત જાણવું તેને જ કહે છે, ને તે વિના તો દેખાય છે તો પણ ન્‍યુન છે. ને વિષય ખોટા કરવા એ તો સાંખ્‍ય સમજવું. ને ‘એક ભગવાન ભાસે’ એમ કહ્યું છે, તે પણ નિર્વિકલ્‍પ નિશ્વયરુપે ભાસે. ૩૦૯ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૦

અને કોઇક વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી, ને આપણે તો બળિયા નહિ ને એ તો બળિયા તે એને રક્ષા કરતાં આવડે, જેમ પ્રહ્લાદની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. ૩૧૦ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧ર

આપણે તો સો બસો માણસને પાંખમાં લઇને ઉડી જાઇએ એવા છીએ, ને તે કરતાં બ્રહ્માંડ આખાના જીવને લઇને ઊડી જાઇએ એવા છીએ, પણ એવું મનાય નહિ : તે શાથી જે મનુષ્યાકૃતિ છે. ૩૧૨ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૩

અને જીવની અવળાઇ તે શું કહીએ ! જીવ તે જીવ જ. તે કહ્યું છે: જે ‘ઊટ તો સર્વે અંગે વાંકું’ એવો જીવ અવળો, વળી લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાનને સારું કરવું. ૩૧૩ read more
0 Views : 89
Powered By Indic IME