Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૭

અને ભગવાનની મૂર્તિને ચિંતામણિ કહી છે. તે એમ સમજાણું છે, કે નથી ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે ચિંતામણિ તો ખરી પણ બાળકના હાથમાં છે. ૨૯૭ read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૮

અને સ્‍વરુપનિષ્‍ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે ને બીજાં સાધન તો જાનને  ઠેકાણે છે ને વળી સમજણ છે એ તો બસેં બખતરિયાને ઠેકાણે છે, ને વિષય છે એ તો એક બારવટિયાને ઠેકાણે છે. ૨૯૮ read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૯

અને સત્‍પુરુષને સંબંધે કરીને જીવને જે સંસ્‍કાર થાય છે તે એક જન્‍મે, બે જન્‍મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. તેની વિકિત જે: એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે, વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અન્નજળ આપે, ઇત્‍યાદિક સંબંધ થાય, વળી જે ઝાડ તળે બેસે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ દહીં જમે, ઇત્‍યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય, તો તે સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રંગટનો સંબંધ બળવાન છે. અને પરોક્ષના સંસ્‍કારનું ફળ થાય જે ખાવા મળે, દેહે સાજો રહે, લોકમાં આબરુ વધે, ને ધર્મ રહે, એ પરોક્ષના આશરાનું ફળ છે. ૨૯૯ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૦

વિષયમાં તો વૈરાટ, પ્રધાનપુરુષ ને પ્રકૃતિપુરુષ સુધી સર્વે ગોથાં ખાય છે, પણ અક્ષરધામમાં વિષય નથી. ૩૦૦ read more
0 Views : 151

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૧

અને આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો સંકલ્‍પ રાખવો. ૩૦૧ read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦ર

અને આ વાતો તો જેના ભૂંડા આશય હશે તેને પણ દાખી દઇને ઉપર નીકળે એવી છે. ૩૦૨ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૩

આ લોકમાં અક્ષરનું સુખ તે શુ ? જે શુભ સંકલ્‍પ થાય ને અંતરમાં સુખ વરત્‍યા કરે એ જ. ને જમપુરીના જેવું દુ:ખ તે શું જે અંતરમાં ભૂંડા ધાટ થાય ને પીડા થાય એ જ. ૩૦૩ read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૪

કોટિ કલ્‍પ થયાં ભગવાન ખાવા આપે છે તોપણ જીવને ખબર ન મળે એ અજ્ઞાન છે, તે મહારાજ કહેતા : જે ‘અમને અન્નદાતા તો જાણજો વધારે મહિમા તો તે પછી. ૩૦૪ read more
0 Views : 109
Powered By Indic IME