Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૭

અને લાકડાની ને લોઢાની બેડી હોય તે કરતાં પણ સ્ત્રી ધનની બેડી મોટી છે. ને એ બેયથી ન દબાય એ તો માયાથી પર આવેલો હોય તે ન દબાય, બીજો તો દબાય, ને ઇંદ્રિયો અંત:કરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય. ૨૫૭ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૮

શ્વાન, સૂકર, બિલાડ, ખર, તેના ટોળા માંહિલો જંત, તેને મૂકે સંત કરી જો મળે સદ્ગુરુ સંત’ એમ કહીને કહ્યું : જે ‘વસ્‍તુ નહિ કોઇ સંત સમાના’ તે આપણને મળ્‍યા છે. ૨૫૮ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૯

અને મહારાજ કહેતા: કે ‘નામ કેનું લઇએ પણ આગળ તો કલ્‍યાણ કેવાં કર્યા છે ! તો પોતાના સામથ્‍ર્ય પ્રમાણે કર્યા છે, ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે.’ ૨૫૯ read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૦

અને ખટ્વાંગ રાજાનું બે ઘડીમાં કલ્‍યાણ કર્યું, તે સાધુ તો બહુ દયાળુ છે, તે એને તો ખબર ન પડે પણ સંબંધનું લખે છે એમ સમજવું. ૨૬૦ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૧

અને મઘ્‍યનું નવમું વચનામૃત વંચાવીને બોલ્‍યા : જે મહારાજને પુરુષોત્તમ જાણતો હોય, ને દેશકાળે સત્‍સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય તો બીજા ધામને પામે. ૨૬૧ read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬ર

અને મહારાજ કહેતા : જે ‘અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે, કેમજે એ એમ જાણે છે જે ‘કોઇક એક ભગવાન છે ને આ બીજો કેમ ભગવાન થાય છે ?’ માટે એ અમારો દ્રોહ કરતા નથી.’ ૨૬૨ read more
0 Views : 74

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૩

અને દેહ મૂકીને પામવા છે તે આ પ્રગટ વાતો કરે છે, પણ સર્વેને સમજાય નહિ ને જે ત્‍યાગ વૈરાગ્‍યની વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડાવવા સારું કરીએ છીએ, પણ સમજવાનું આટલું જ છે. ૨૬૩ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૪

વચનામૃતના અર્થ સમજાય એવા નથી, પણ બહુ અભ્‍યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે. ને આ જ્ઞાન મહારાજને સર્વે ને આપવું છે. ૨૬૪ read more
0 Views : 78
Powered By Indic IME