આ પૃથ્વીના સર્વ જીવ પ્રાણી માત્ર રાજા પ્રજા આદિક છે, પણ ઇન્દ્ર વરસાદ ન વરસાવે તો સર્વે મરી જાય, ને તે ઇન્દ્ર છે તે બ્રહ્માં, વિષ્ણુ ને શિવની આગળ ગણતીમાં નથી, ને એ સર્વે વૈરાટની આગળ ગણતીમાં નથી, ને તે વૈરાટપુરુષ પ્રધાનપુરુષની આગળ ગણતીમાં નથી, ને તે પ્રધાનપુરુષ પ્રકૃતિપુરુષની આગળ ગણતીમાં નથી, ને એ સર્વે અક્ષરની આગળ ગણતીમાં નથી, ને તે અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન તે આજ આપણને સાક્ષાત મળ્યા છે : માટે તેનું બળ રાખવું ૨૧૮
read more