સ્વામીએ વાત કરી જે, ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં આવે નહિ, તે જેમ જળકૂકડીને જળ લોપે નહિ, તેમ એવા પુરુષ માયામાં આવે તોયે માયા લોપી શકે નહિ, તથા જેમ જળકાતરણી માછલી છે તે જાળમાં આવે નહિ, કેમ જે, બેય કોરે અસ્ત્રા જેવી ધારો હોય તે જાળને કાપીને નીસરી જાય. તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવોને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે તો આ પૃથ્વીનું વેજુ છે, તે શું ? તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ વિરાજે છે, એવું તમારું મોટું ભાગ્ય છે. તે ઉપર શેરડીની ગાંદળીનું દષ્ટાંત દીધું : જેમ શેરડીનો સાઠો હોય, તેનું થડિયું તે કઠણ હોય ને પીછું હોય તે મોળું હોય ને વચલી ગાંદળી હોય તે મીઠી હોય તેમ તમારે પ્રભુ ભજવામાં આજ સાનુકૂળ છે, કેમ જે, મોટા સંતનો યોગ છે. ને મોરે તો મારતા ને ખાવા મળતું નહિ, ને આજ તો સર્વ અંગે સાનુકૂળ છે, તે પ્રભુ ભજી લેવા પણ આળસંુ થાવું નહિ. ।।૨૭।।
read more