તપાસીને જુઓ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે. પણ દેહ ગુજરાન ઉપર સૂરત રહેતી નથી અને અવશ્ય હોય એટલું તો કરવું પડે; પણ આ તો પ્રકૃતિને વશ થઇને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઇ રહે છે ઇત્યાદિક સુવાણ કરે છે પણ તેનો તપાસ કરતો નથી, તેને દરવાજાવાળા દેખે છે ને બીજાને તો ગમ જ નથી. માટે અવશ્ય ઉપર સૂરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દષ્ટિ થાય; ને પદાર્થના તો દિવસે દિવસે ઢગલા થાય છે વળી થાશે, તે તો બંધ નહિ થાય; ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે ને ન ભોગવવું એ તો જોડા સીવડાવીને પહેરવા જેવું સુગમ છે, એ વિના બીજો ઉપાય નથી. ।।૫૬।।
read more