Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૩

પાંચ પ્રકારે સ્ત્રી ભોગવાય છે તેની વિકિત જે, ત્વચાએ, નેત્રે, કાને, જીભે ને મનમાં સંકલ્પે. ।।૫૩।। read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૪

સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહિ ને બરોબરિયા થાવું નહિ; ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે. ।।૫૪।। read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પપ

કોઇ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષયમાર્ગથી રક્ષા કરે. અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઇઅ; તેને નમી દઇએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ એ તો કઠણ નથી; જો આપણે એના થઇ જાઇએ તો તે આપણા થઇ જાય. ।।૫૫।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૬

તપાસીને જુઓ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે. પણ દેહ ગુજરાન ઉપર સૂરત રહેતી નથી અને અવશ્ય હોય એટલું તો કરવું પડે; પણ આ તો પ્રકૃતિને વશ થઇને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઇ રહે છે ઇત્યાદિક સુવાણ  કરે છે પણ તેનો તપાસ કરતો નથી, તેને દરવાજાવાળા  દેખે છે ને બીજાને તો ગમ જ નથી. માટે અવશ્ય ઉપર સૂરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દષ્ટિ થાય; ને પદાર્થના તો દિવસે દિવસે ઢગલા થાય છે વળી થાશે, તે તો બંધ નહિ થાય; ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે ને ન ભોગવવું એ તો જોડા સીવડાવીને પહેરવા જેવું સુગમ છે, એ વિના બીજો ઉપાય નથી. ।।૫૬।। read more
0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૭

અને સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મનધાર્યુ કરવું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય, તોપણ તે ન્યૂન છે, ને તેને કોઇક દિવસ વિઘ્ન છે. અને જે ત્રણ ટાણાં ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય એવી રીતના દોષે યુકત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અર્ધા તો મનગમતું કરતા હશે ને ગૃહસ્થ પણ કેટલાક મનનું ધાર્યુ કરે છે, ને જેનું દસ જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, ને એકનું કહ્યું પ્રમાણ નહિ. ।।૫૭।। read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૮

સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનાર ને કરનાર એવા તો કોઇક જ હોય. બાકી એની તો પુષ્ટિ જ થાશે, કેમ જે એમાં સર્વે વિષય રહ્યાં છે ને સત્સંગનો વ્યવહાર પણ એથી જ ચાલે છે. માટે એને ખોટું કરાવનાર નહિ જ મળે પણ એને ખોટું કરવું. તેમાં નિત્યે એમ વિચાર કરવો જે, એ પણ એક દિવસ મૂકવું પડશે. ।।૫૮।। read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૯

સ્ત્રી એ વીંછીનો કરડ  છે ને દ્રવ્ય એ સર્પનો કરડ છે. ને શાસ્ત્રમાં વાત તો બીજમાત્ર હોય પણ તેનું જ્ઞાન તો ગુરુ થકી જ સમજાય છે. ।।૫૯।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૦

અને શાસ્ત્રમાં શ્રદ્ધા કહી છે પણ તેમાં કેટલાક ભેદ છેરાજસી, તામસી ને સાત્ત્વિકી, તે ગઢ, કોઠા કરાવે છે ઇત્યાદિક અનકે અનકે કામ કરે એ પણ શ્રદ્ધા કહેવાય; પણ તે શા કામની ? માટે શાસ્ત્ર થકી પણ પોતાને જાણે તો સમજાય જ નહિ, માટે સત્પુરુષ અધિક છે. ।।૬૦।। read more
0 Views : 92
Powered By Indic IME