ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, ભગવાનના પાર્ષદ ને જીવ એ ચાર અવિનાશી છે. બાકી નાશવંત છે. તેમાં જીવ છે તે બદ્ધ છે. જેમ કોઇને બેડીમાં નાખે છે તે નીકળાઇ નહિ. તેમ જીવને પ્રકૃતિરુપ સ્ત્રી ને પુરુષ એ બેડી છે, તે કોઇ રીતે તૂટે તેવી નથી. તે તો જ્ઞાનથી તૂટે છે. નીકર દેહે કરીને ત્યાગ કરે પણ તૂટતી નથી. તે ઉપર પાવૈયાનું તથા બળદનું દ્ષ્ટાંત દીધું , જે એને દેહે કરીને ત્યાગ છે પણ વાસના ટળે નહિ. ૨૨૬
read more