Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૧

અને ભગવાનનું ને આવા સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઇ કરવું રહ્યું નથી, તે તો આંહી છે તો પણ અક્ષરધામમાં જ બેઠા છે. માટે પાંચ માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી. તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ એ બેને જીવમાં રાખવા. ને આપણે સાધનને બળે મોટાઇ નથી, આપણે તો ઉપાસનાના બળથી મોટાઇ છે. ૨૨૧ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨રર

અને આજ ભગવાન અક્ષરધામ સહિત આંહી પધાર્યા છે. તેના સ્‍વરુપનો પર ભાવ સમજાતો નથી એ જ મોટું પાપ છે. માટે જાદવ જેવા ન થાવું. પણ ઉદ્ધવજી  જેવા ભકત થાવું. ને મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા બીજાથી ઉતરતા જેવા કહેવા એ એનો દ્રોહ થાય છે ને આજ તો જેવી વાતો થાય છે ને સમજાય છે, તેવી કોઇ દિવસ સમજાણી નથી. ૨૨૨ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૩

આવાને આવા અક્ષરધામમાંથી આવ્‍યા છે, એવો પર ભાવ અખંડ જણાય તો અહો ! અહો ! સરખું રહે, ને જેવા સાધુ છે એવા ઓળખાતા નથી. ૨૨૩ read more
0 Views : 78

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૪

અને જીવનો ને દેહનો વ્‍યવહાર નોખો સમજવો. ને એમ ન મસજે તો આ પ્રાપ્‍તિ ભારે થઇ છે, તો પણ દુર્બળતા મનાય. ને ભગવાનની આજ્ઞાથી ગૃહસ્‍થાશ્રમ કર તો પણ નિર્બંધ છે. ૨૨૪ read more
0 Views : 69

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨રપ

કૃપાનંદ સ્‍વામી આદિક મોટા મોટા સાધુના જેટલું આપણામાં બળ નહિ, માટે મોટાની બરોબર સાધન કરવાનો વાદ મૂકીને અગિયાર નિયમ પાળવા, એટલે તેમના જેવા બળિયા થવાશે, શાથી જે આ સત્‍સંગમાં ઉપાસનાં, ધર્મ આદિક સર્વ છે, કાંઇ બાકી નથી. ૨૨૫ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૬

ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, ભગવાનના પાર્ષદ ને જીવ એ ચાર અવિનાશી છે. બાકી નાશવંત છે. તેમાં જીવ છે તે બદ્ધ છે. જેમ કોઇને બેડીમાં નાખે છે તે નીકળાઇ નહિ. તેમ જીવને પ્રકૃતિરુપ સ્ત્રી ને પુરુષ એ બેડી છે, તે કોઇ રીતે તૂટે તેવી નથી. તે તો જ્ઞાનથી તૂટે છે. નીકર દેહે કરીને ત્‍યાગ કરે પણ તૂટતી નથી. તે ઉપર પાવૈયાનું તથા બળદનું દ્ષ્‍ટાંત દીધું , જે એને દેહે કરીને ત્‍યાગ છે પણ વાસના ટળે નહિ. ૨૨૬ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૭

અને કોટિ સાધન કરે પણ આમ વાતો કરવી ને સાંભળવી તેની બરોબર થાય નહિ, ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહિ. ૨૨૭ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૮

આ જીવને માયાથી નિર્લેપપણું બે પ્રકારથી છે. એક જ્ઞાને કરીને અને બીજું ભગવાનની આજ્ઞાથી. બાકી તો નિયમે કરીને છે. પણ દેશકાળે તેનો ભંગ થાય તો ગ્‍લાનિ પામી જાય. ૨૨૮ read more
0 Views : 85
Powered By Indic IME