Last Updated:
May 5, 2025

Click here to submit your article
શિક્ષાપત્રી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૧

અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડ ભવાઇ જોવા ન જવું અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. ।।૧૬૧।। read more
0 Views : 82

શિક્ષાપત્રી શ્લોક – ૧૬ર

અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવાં, રૂડાં વસ્ત્ર ન પહેરવાં, પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. ।।૧૬૨।। read more
0 Views : 105

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૩

હવે વિધવા સ્ત્રીઓનાં વિશેષ ધર્મ કહીએ છીએ.-અમારે આશ્રિત જે  વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિબુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા, પુત્રાદિક જે સંબંધિ તેમની આજ્ઞાને વિષે વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું.।।૧૬૩।। read more
0 Views : 91

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૪

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાનાં સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ કયારેય ન કરવો અને પોતાની યુવાવસ્થાને વિષે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે કયારેય પણ બોલવું નહિ. ।।૧૬૪।। read more
0 Views : 82

શિક્ષાપત્રી શ્લોક – ૧૬પ

અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી અને કોઇ અવશ્યનું કામકાજ પડે તેને વિષે કોઇક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી. ।।૧૬૫।। read more
0 Views : 88

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૬

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઇપણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાનાં દેહનું દમન કરવું.।।૧૬૬।। read more
0 Views : 91

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૭

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મ કાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. ।।૧૬૭।। read more
0 Views : 78

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૮

અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિષે સૂવું અને મૈથુનાસકત એવા જે પશુપક્ષી આદિક જીવ પ્રાણીમાત્ર તેમને જોવાં નહિ. ।।૧૬૮।। read more
0 Views : 105
Powered By Indic IME