Last Updated:
May 5, 2025

Click here to submit your article
શિક્ષાપત્રી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૩૭

અને જે સ્ત્રીને કોઇ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઇ પ્રકારે પણ ન કરવો. ।।૧૩૭।। read more
0 Views : 93

શિક્ષાપત્રી શ્લોક – ૧૩૮

અને તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથી તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. ।।૧૩૮।। read more
0 Views : 91

શિક્ષાપત્રી શ્લોક – ૧૩૯

અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા, પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઇ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપયર્ંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. ।।૧૩૯।। read more
0 Views : 94

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૦

અને વળી પોતાનાં વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. ।।૧૪૦।। read more
0 Views : 86

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૧

અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્ય પુળાનો સંગ્રહ કરવો. ।।૧૪૧।। read more
0 Views : 92

શિક્ષાપત્રી શ્લોક – ૧૪ર

અને ગાય, બળદ, ભેંશ, ઘોડા આદિક જે પશુ તેમની તૃણ-જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવાં અને જો સંભાવના ન થાય તો ન રાખવાં. ।।૧૪૨।। read more
0 Views : 109

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૩

અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણદેણે કરીને વ્યવહાર જે તે કયારેય ન કરવો. ।।૧૪૩।। read more
0 Views : 111

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૪

અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. ।।૧૪૪।। read more
0 Views : 116
Powered By Indic IME