Last Updated:
May 5, 2025

Click here to submit your article
શિક્ષાપત્રી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૧

અમે અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુકિત માની છે એમ જાણવું. ।।૧૨૧।। read more
0 Views : 105

શિક્ષાપત્રી શ્લોક – ૧રર

અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાઇ ભાઇ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે, કહેતાં સર્વ સત્સંગીમાત્રને  સરખા પાળવાના છે. અને હવે એ સર્વે ના જે વિશેષ ધર્મ  તેમને પૃથક્ પૃથક પણે કરીને કહીએ છીએ. ।।૧૨૨।। read more
0 Views : 84

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૩

હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ – અમારા મોટાભાઇ અને નાનાભાઇ તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ કયારેય ન કરવો. ।।૧૨૩।। read more
0 Views : 65

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૪

અને તે સ્ત્રીઓને કયારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઇ જીવને વિષે ક્રુરપણું ન કરવું અને કોઇની થાપણ ન રાખવી. ।।૧૨૪।। read more
0 Views : 80

શિક્ષાપત્રી શ્લોક – ૧રપ

અને વ્યવહારકાર્યને વિષે કેનું પણ જમાનગરૂં ન કરવું અને કોઇ આપત્કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્કાળને ઉલ્લંઘવો પણ કોઇનું કરજ તો કયારેય ન કરવું. ।।૧૨૫।। read more
0 Views : 71

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૬

અને પોતાના જે શિષ્ય તેમણે ધર્મનિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહિ અને તે અન્ન જુનું થાય તો તે જુનું કોઇકને દઇને નવું લેવું અને એવી રીતે જે જુનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય. ।।૧૨૬।। read more
0 Views : 80

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૭

અને ભાદરવા સુદી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી. ।।૧૨૭।। read more
0 Views : 85

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૮

અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુ જનને દીક્ષા આપવી. ।।૧૨૮।। read more
0 Views : 85
Powered By Indic IME