Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

ધીરજાખ્યાન કડવું:– ર૩

રાણી રોહીદાસનું દ્વિજ દઈ ધનજી, તેડી ગયો તેહને નિજ ભવનજી હરિશ્ચંદ્ર એક રહ્યો રાજનજી, તે પણ વેચાણો શ્વપચને સદનજી શ્વપચ ઘેર રાજા રહ્યા, દ્વિજ ઘેરે રહ્યા રોહિદાસ ।। તારા તે પણ દ્વિજનું, કરે કામ કરી ઉલ્લાસ ।। ૨ ।। તારા ખાંડી દિયે તાંદુલા, પીસી દિયે ગોધૂમ આદિ અન્ન ।। જળ ભરે વાળે ઘર આંગણું, લીપે સદન ધુવે વસન ।। ૩ ।। રોહિદાસ પણ એહ જ રીતે, કરે બ્રાહ્મણનું કામ ।। પુષ્પ પર્ણ તૃણ ઈન્ધણ આણે, ચાંપે ચરણ ચારુ જામ ।। ૪ ।। શ્વપચે સોંપ્યું હરિશ્ચંદ્રને, લેવો મડદે મડદે લાગ ।। આપે ખાપણ લઈ પઈસો, ત્યારે મૂકવા દેવી આગ ।। ૫ ।। ત્યારે હરિશ્ચંદ્ર ધારી હૈયે, જાય સહુથી મો’રે મશાણ ।। દિયે દોટું લેવા લાગને, વળી પાડે બહુ બુંબરાણ ।। ૬ ।। ખાપણ પઈસો લઈશ ખરો, ત્યારે તે આપીશ બાળવા ।। આપ્યા વિના રખે આગ મૂકો, આવ્યો છું હું ખાળવા ।। ૭ ।। મોટું શહેર મરે ઘણાં, બાળે અળગાં એક એકથી ।। હમેશ ઊઠી દિયે હડિયું, નિરાંત લવલેશ નથી ।। ૮ ।। મડદે મડદે મશાણમાં, રડવડે રાત ને દન ।। જળ ટાણે જળ ન મળે, અન્ન ટાણે ન મળે અન્ન ।।૯।। એવા કામમાં રાજા રહ્યાં, તિયાં ગયા વહી કંઈ દન ।। નિષ્કુળાનંદ ન થાય બીજે, જેવું કર્યું એહ રાજન ।।૧૦।। read more
0 Views : 157

ધીરજાખ્યાન કડવું:– ર૪

વિપ્ર કહે સુણ્ય રોહિદાસ સુભાગ્યજી, સુગંધી ફૂલ લાવ્ય જઈ બાગજી ગયા ત્યારે ત્યાં ડશ્યો કાળો નાગજી, તેણે કરી તર્ત કર્યું તન ત્યાગજી ત્યાગ્યું તન જન જોઈને, કહ્યું વિપ્રને તે વાર ।। તેહના દેહને દાહ દેવા, મોકલ્યા સેવક ચાર ।। ૨ ।। તે શબ લાવ્યા ગંગાતટે, ચે’ રચી મૂકે છે આગ ।। ત્યારે હરિશ્ચંદ્ર કે’ મ મૂકીશ અગ્ન, આપ્યા વિના મારો લાગ ।। ૩ ।। આપી લાગ લગાડી ચિતા, થયું અર્ધબળ્યું જયારે તન ।। ત્યારે નાખી ચે’ ઓલવી, ઘણો ઘણો વરષી ઘન ।। ૪ ।। ત્યારે આવી છે તારા તિયાં, લીધું મડદું તે ખોળામાંય ।। ત્યાં આવ્યા ઋષિ કહે આપું છરી, રાખો ભૂતભય ન રહે કાંય ।। ૫ ।। આપી છરી કહ્યું જઈ રાયને, એક વાત કહું કાને ધરિયે ।। મશાણે મરકી મનુષ્યને, ખાય છે કાપી કાપી છરિયે ।। ૬ ।। ત્યારે ભૂપ કહે તેડી ભંગિયો, જાઓ મારો ગરદન એહને ।। ઝાલી લીધી પછી જટિયે, મારવા સારુ તેહને ।। ૭ ।। ઢીકા ગડદા પાટુએ વળી, મારી કરી છે અધમુઈ ।। મારો મારો કહે શું વિચારો, કરો મુંડ ધડ થકી જુઈ ।। ૮ ।। એવાં દુઃખ આવી પડિયાં, જેહ સહ્યાં ન જાય શરીર ।। સુત મુવાનો અતિ શોક છે, તોય ધરી રહ્યાં છે ધીર ।।૯।। પછી હરિશ્ચંદ્રને હુકમ કર્યો, આવ્યો મારવા ગરદન […] read more
0 Views : 134

ધીરજાખ્યાન પદ:– ૬

રાગ:-સિંધુ રાણી વાણી જાણી તાંણી તીખી કહે, કાઢ કાઢ કાઢ કરવાળ તારી; ગ્રહે અતિ ગાઢ ગાઢ ગાઢ મને, વાઢ વાઢ વાઢ વળી મુંડ મારી.  રાણી ।। ૧ ।। રખે અડર નર ડરે ડરતો, થરથરથર કર કરીશ મા જો; ધરી ધીર શરીર શૂરવીર થઈ, નાથ હાથ વાળતા દિલે ડરીશ મા જો.  રાણી ।। ૨ ।। ત્યારે અચાનક ચાનક ચિત્તે ચડી, દડવડી ડગ ભરી દોટ દીધી; અતિ વિકરાળ કરવાળ જવાળ જેવી કહીએ, તે ભૂપાળ ઉતાળ તતકાળ લીધી.  રાણી ।। ૩ ।। કાઢ્યું ખડગ થડક ધડક નથી, થડક થડક તે થડક ટળી; ફડક ફડક ફડકતી નથી, ઝડક ઝડક કહે મને માર વળી.  રાણી ।। ૪ ।। તીખી તરવાર માર માર માર કરે, ધારે ધારે ધારે ધીરજ ન રહે; તારે તારે તારે તારા ભણે, માર માર માર એમ સ્વમુખે કહે.  રાણી ।। ૫ ।। સુર નર સાથ સાથ સાથ મળ્યા, પાથ પાથ પાથ પડે રડે રહ્યાં; નિષ્કુળાનંદ અનાથનાથ નાથ, હાથે હાથ હાથ ગ્રહી લીધો છે તિયાં.  રાણી ।। ૬ ।। read more
0 Views : 138

ધીરજાખ્યાન કડવું:– રપ

માગો હરિશ્ચંદ્ર આપું તુજનેજી, તમથી વા’લું નથી બીજું મુજનેજી તમને પીડ્યા સુણી સુરેશની ગુજનેજી, ઘટે એવું કામ કરવું અબુજનેજી અબુજ એવું કામ કરે, જેને ડર નહિ હરિતણો ।। માટે માગો મુજ પાસથી, હું તો રાજી થયો ઘણો ।। ૨ ।। ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા, ધન્ય તમે થયા પ્રસન્ન ।। એથી અધિક બીજું નથી, મને સર્વે મળ્યો માલ ધન ।। ૩ ।। એમ કરતાં હોય આપવું, તો માગું છું મારા શ્યામ ।। અમે અમારી રૈયત સહિત, રાખો તેડી તમારે ધામ ।। ૪ ।। ત્યારે વિષ્ણુએ એ વર આપિયો, આપ્યો વૈકુંઠે તમને વાસ ।। એહ વાત હરિશ્ચંદ્રની કહી, સહુ સુણી લેજો હરિદાસ ।। ૫ ।। એવી ભકત આદરવી ખરી, જાણો જેવી હરિશ્ચંદ્રે કરી ।। તેહ વિના તન મન તાને, નથી રીઝતા શ્રીહરિ ।। ૬ ।। કાલાવાલાનું કામ નથી, આ તો શીશ સાટાની વાત છે ।। તેહ વિના કોઈ કરે વલખાં, તે તો કાળી કામળિયે ભાત છે ।। ૭ ।। જેમ હવા ખાવાનું સુણી હૈયાટળ, ચાલે કોઈ ચપણ લઈ ।। પણ પેટ ભર્યાનાં છે પાંપળાં, તે જાલમ નર જાણે નઈ ।। ૮ ।। જેમ કાની કોટે ઘાલી ગાળિયું, જઈ સૂતી સોડ તાણીને ।। મનમાં જાણે હું મરી ગઈ, એવું કામ ન કરવું જાણીને ।।૯।। શીદ ત્રોડી સંસારથી, રહેવું હતું ઘરમાંય ગરી ।। નિષ્કુળાનંદ કહે […] read more
0 Views : 114

ધીરજાખ્યાન કડવું:– ર૬

જયારે જાય વો’રવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કરવો મનમાંય તોલજી દેશે ત્યારે જયારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ વાત કહી કથી નથી એમાં ભૂલ્યજી ભૂલ્યે કરે મનસૂબો મનમાં, તે વિના પૈસે પૂરો ન થાય ।। તેમ શ્રદ્ધાહીનની ભગતી, તે પણ તેવી કે’વાય ।। ૨ ।। નથી વિત્ત વો’રે અજિયા, કરે હાથી લેવાની હોંશ ।। તે તો પામ્યાનાં પાંપળાં, અમથો કરે અપસોસ ।। ૩ ।। જેમ વર જાનૈયા જાનમાં, વળી જાય જોડા જોડ ।। જાનૈયા તો જમે રમે, ધરે વર શિરપર મોડ ।। ૪ ।। માટે જોઈ અધિકાર આપણો, પછી દિલમાં કરવો ડોડ ।। પ્રહલાદ ધ્રુવ હરિશ્ચંદ્ર જેવો, કયાંથી પૂરો થાય મન કોડ ।। ૫ ।। જેમ પંચ અસવાર પંથે જાતાં, છઠ્ઠો ભેળો થયો નર ખરે ચડી ।। તેની પોં’ચવાની પ્રતીત કરવી, એ પણ ભૂલ્ય મોટી પડી ।। ૬ ।। જેમ બક હંસ બરોબરી, વળી ઊજળા એક જ વાન ।। તેમ સાચા કાચા સંત સરિખા, એમ જાણવું એ જ અજ્ઞાન ।। ૭ ।। શરીર સુખને સંભારતાં, નિશદિન નવરાં નવ રહિયે ।। મહા સુખ મહારાજનું, કહો તે કઈ રીતે લઇયે ।। ૮ ।। કાયરને કેમ ધીરજ થાવું, એ પણ અટપટી વાત છે ।। વેષ લેતાં શૂરવીરનો, જન જાણો ઘટની ઘાત છે ।।૯।। પેખી ભકત પૂરવના, હૈયે રે’તી નથી વળી હામ ।। નિષ્કુળાનંદ […] read more
0 Views : 123

ધીરજાખ્યાન કડવું:– ર૭

સુણો વળી કહું રંતિદેવની રીતજી, ભકત પ્રભુનો પૂરો પુનિતજી સહ્યાં તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઈ ચિત્તજી કહું વાત રંતિદેવની, કરે નિજ નગરનું રાજ ।। પોતે પોતાની પ્રજા પાસે, રખાવે બહુ અનાજ ।। ૨ ।। એમ કરતાં આવી પડ્યો, બાર વરસનો વળી કાળ ।। એકાદશ વરસ અન્ન પોં’ચિયું, દ્વાદશનો થયો જંજાળ ।। ૩ ।। ત્યારે રાયે અન્ન આપિયું, તે પણ પોં’ત્યું દશ માસ ।। પછી લાગ્યા છે પડવા, ઉપરા ઉપર ઉપવાસ ।। ૪ ।। કળકળે જન અન્ન વિના, બહુબહુ પાડે છે બકોર ।। તે સુણી રાય ચાલિયા, સંગે રાણી સુત વધૂ ભોર ।। ૫ ।। ઉપવાસ ચોખા ચારેને પડ્યા, એકે ઓછા પૂરા પચાસ ।। ત્યાં અણઇચ્છાયે અન્ન મળ્યું, બેઠાં જમવા પાસોપાસ ।। ૬ ।। પાશેર પાશેર પાણિમાં, વળી આવ્યું હતું જે અન્ન ।। ઉપવાસ ઓગણ પચાસમે, કરવા બેઠાં ભોજન ।। ૭ ।। અભ્યાગત અન્નાર્થી, તેહની વાટ જુવે છે વળી ।। આપીએ એને આ માંયથી, એમ વિચારે છે ચારે મળી ।। ૮ ।। તિયાં અઘોરી એક આવિયો, સંગે લઈને વળી શ્વાન ।। ભૂખ્યો ભૂખ્યો એમ બરકે, કોઈ આપો ભોજન પાન ।।૯।। ત્યારે આપ્યું અન્ન જળ એહને, રાય રાણી સુત સુતભામ ।। નિષ્કુળાનંદ પાણી પી અઘોરિયે, ઠેલ દઈ ફોડ્યું જળ ઠામ ।।૧૦।। read more
0 Views : 107

ધીરજાખ્યાન કડવું:– ર૮

ફૂટ્યું જળ ઠામ કૂપ ઊંડો અપારજી, પ્યાસા રહ્યાં એહ રાજા સહિત ચારજી પડ્યું દુઃખ એવું તોય પામ્યાં નહિ હારજી, વળતો રાયે એમ કર્યો વિચારજી વિચાર કરી એમ બોલિયા, મળ્યું અન્ન કેટલેક દન ।। ભલે આવ્યું અર્થ અભ્યાગતને, એમ કહી થયા પ્રસન્ન ।। ૨ ।। ત્યારે ટળી અઘોરી તર્ત થયા, ધર્મદેવ મૂરતિમાન ।। માગ્ય માગ્ય રાજા મુજ થકી, આપું તને તે વરદાન ।। ૩ ।। ત્યારે રાય કહે ધન્ય ધન્ય ધર્મ, માગું રાજી થયા જાણી તમને ।। સુખી રહે સહુ પ્રાણધારી, એની આવે પીડા અમને ।। ૪ ।। ત્યારે ધર્મ કહે પરની પીડા લિયે, તેને અંગે પીડા આવે નહિ ।। એહ વિના વણમાગ્યે આપું છું, અવિનાશ ધામે વસશો જઈ ।। ૫ ।। ધન્ય એ રાયની ધીરજને, ધન્ય સત્યવાદી દયા ઘણી ।। એવી અનાદિની રીત જોઈ જન, પછી વિચારવી રીત આપણી ।। ૬ ।। એના જેવી હોય આપણી, તો ઠરી બેસવું એહ ઠીક છે ।। નહિ તો કસર કાઢવી, એહ જ રૂડો વિવેક છે ।। ૭ ।। પણ ખજિને ખોટ્ય ન આણવી, જાણવી એ પણ વાત ।। બીજે બગડ્યે શું બગડે, એહ સમજવું સાક્ષાત ।। ૮ ।। બીજાં કામ તો કૈંક કર્યા, કેડે રાખ્યું એક કરવું કલ્યાણ ।। એને સમઝું સમઝવું, એ પણ જાણ તે અજાણ ।।૯।। આપે જમ્યા વિના આપણી, ભૂખ […] read more
0 Views : 115

ધીરજાખ્યાન પદ:– ૭

રાગ:-સિંધુ કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા; જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા.  કઠણ ।। ૧ ।। જેણે પાડી છે આંટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું; ભર અવસર પર ધરધરી, ફરી ખરી હાક વાગ્યે નથી જ હટવું.  કઠણ ।। ૨ ।। અનેક દેહ ખોયા અણઅરથે, તેહ દેહ કાંયે નાવ્યા કામે; હવે આ દેહ હરિઅરથે કરી, રાખવું છે અચળ તે આઠું જામે.  કઠણ ।। ૩ ।। એમ દઢ ધીરજ ધરી કરીને, ભજે છે જેહ ભગવાન ભાવે; નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અરથ પણ એ જ આવે.  કઠણ ।। ૪ ।। read more
0 Views : 123
Powered By Indic IME