Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૩ વચનવિધિ
Per Page :

વચનવિધિ કડવું:- ૪૬

પ્રભુ પાસ વાસ કરવા આશ જેનીજી, અતિ મતિ અવળી ન જોયે તેનીજી જે સુખનિયે શીખ ન લેવી કેનીજી, શી ગતિ થાશે તપાસું છું તેનીજી તપાસું છું હું તને મને, શી થાશે ગાફલ નરની ગતિ ।। અવળું કરવા છે ઉતાવળો, નથી સવળું કરવા શ્રદ્ધા રતિ ।। ર ।। શરીરના સુખ કારણે, તતપર રહે છે તૈયાર ।। હરિ આજ્ઞામાં હાલતાં, પગ ભાંગી પડે છે તે વાર ।। ૩ ।। પ્રભુ આજ્ઞામાં થયો પાંગળો, પંડ પોષવામાં પાંખો મળી ।। ખરી કરી રાખી વાતો ખોટિયું, સાચી વાત સર્વે ગયો ગળી ।। ૪ ।। જેમ હોય કોઈ અતિ અમલી, આફૂ પૂરું શેર પીનાર ।। તેને પૈસાભાર પચાવતાં, સહુ સમજો છે શિયો ભાર ।। પ ।। તેમ અનેક શાસ્ત્ર સાંભળ્યાં, સર્વે ગટકાવી ઉતાર્યા ગળે ।। તેને અલપ સલપ ઉપદેશથી, કહો અજ્ઞાન કેમ ટળે ।। ૬ ।। ગમતું કરવા ગોવિંદનું, જેના જીવમાં જરાયે નથી ।। તેને આગે વાતો ઉપદેશની, કેટલીક કહીએ કથી ।। ૭ ।। મનમુખી કે’છે સૌ મુખ ઉપરે, નથી કે’તા વાત વળી વાંસળ્યે ।। નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળ્યે ।। ૮ ।। read more
0 Views : 124

વચનવિધિ કડવું:- ૪૭

પ્રભુ પાસ વાસ કરવા વિગત્યજી, વચન વા’લાનાં સર્વે માનવા સત્યજી સુખ દુઃખ પડ્યે ન હારવી હિમત્યજી, માન અપમાને રાખવી એક મત્યજી મતિ એક રતી નવ ફરે, આવે કાયાયે કોટિ કલેશ ।। વ્યાકુળ થઈ વિપત્તિમાંહી, લોપે નહિ વચનને લેશ ।। ર ।। જેણે સાબિત કીધું છે શીશ સાટે, હરિમરજીમાં મરી મટવા ।। એવા જનને જોઈને, હરિ નહિ દિયે પાછો હટવા ।। ૩ ।। પણ દેહાભિમાની દાસનો, ના’વે વાલમને વિશ્વાસ ।। જાણે ખરું કે’તાં ખમી નહિ શકે, કાં જે નથી વચનમાં વાસ ।। ૪ ।। હરિવચનમાં પડે વસમું, તો લોપતાં લેશ ભૂલે નહિ ।। સુખ સદા રહે શરીરમાં, એમ સાબિત કીધું છે સહિ ।। પ ।। તેને વચનમાં વરતતાં, કઠણથી કઠણ પડે ઘણું ।। જેને લેવું છે સુખ આ લોકનું, નથી લેવું સુખ શ્રીહરિતણું ।। ૬ ।। જેમ પશુઘાતકી ઘરનું પશુ, નીલી ચાર્ય પર નજર છે ।। પણ કાતે કરી કંઠ કાપશે, તેની તેને કાંઈ ખબર છે ? ।। ૭ ।। તેમ પશુવત પામર નરને, વિષયરૂપ ચાર્ય મળી ।। નિષ્કુળાનંદ નિરભાગી નરને, દુઃખમાં સુખ મનાણું વળી ।। ૮ ।। read more
0 Views : 112

વચનવિધિ કડવું:- ૪૮

વળી વચનદ્રોહી મતિમંદજી, પંચવિષયમાંહિ માન્યો છે આનંદજી તે કેમ ટાળશે માથેથી ભવફંદજી, જેણે હરિ વચનમાં માન્યું દુઃખ દ્વન્દ્વજી દ્વંદ્વ દુઃખના વચનદ્રોહીને, હરિવચનમાં રે’તાં વળી ।। અલપ સુખને અરથે, વાત બગાડે છે સઘળી ।। ર ।। જે વચનથી મોટપ્ય મળે, વળી આવે વચનથી સુખ ।। તે સમજયા વિના શઠપણે, વરતે છે વચનથી વિમુખ ।। ૩ ।। જે વચને નર અમર સુખી, અહિ અજ ઈશ અમરેશ ।। જે વચને શશી સૂર્ય સુખી, ગીરા ગજાનન મુકત મુનેશ ।। ૪ ।। એવા વચનને ઉલ્લંઘી, બીજા આગળ કહે છે વાત ।। હું તો આવ્યો હતો ભારે ભીડ્યમાં, પણ ભલી ઊગરિયો એ ઘાત ।। પ ।। ખાવું પીવું ને પે’રવું એહ, મુકાવ્યું હતું મનગમતું ।। એ મોટા દુઃખમાંથી નીસર્યો, હવે મનને રાખશું રમતું ।। ૬ ।। ભલું થયું એહ આડ્ય ભાંગી, હવે મોકળે મને મા’લશું ।। દુઃખ દેખશું જયાં દેહને, તો ત્યાંથી તરત ચાલશું ।। ૭ ।। એવા અભાગી નર અમરને, સુખ નહિ આવે સ્વપ્ને ।। નિષ્કુળાનંદ કહે જો એમ હોય તો, શીદ કરે કોઈ તપને ।। ૮ ।। read more
0 Views : 113

વચનવિધિ પદ:- ૧ર

રાગ-કેદારો:- ‘પ્રાણ મ રહેજો પ્રિતમ વિના’ એ ઢાળ. તપ જેવું વા’લું છે વાલમને, તેવું વા’લું નથી બીજું કાંઈ; વચનમાં રહી ને જે તપ કરે રે, તે તો સુખ પામશે સદાઈ. તપ૦ ।। ૧ ।। નારાયણ વચનથી વિધિએ, આદરિયું તે તપ અનુપ; તેણે કરી રમાપતિ રીઝિયા રે, આપ્યો વર સારો સુખરૂપ. તપ૦ ।। ર ।। શ્વેતદ્વીપમાંહિ મુનિ રહે, નિરન્નમુકત છે જેહનું નામ; અન્ન પાન વિના કરે તપ આકરું રે, રાજી કરવા ઘણું ઘનશ્યામ. તપ૦ ।। ૩ ।। બદ્રિકાશ્રમે બહુ મુનિ રહે, દમે છે કોઈ દેહ ઇન્દ્રય પ્રાણ; સુખ સર્વે તજી શરીરનાં, થઈ રહ્યાં વા’લાના વેચાણ. તપ૦ ।। ૪ ।। એને ન સમજો કોઈ અણસમજુ, તજયાં જેણે શરીરનાં સુખ; પામરને પ્રવીણ ન પ્રીછવા, જે કોઈ રહ્યા હરિથી વિમુખ. તપ૦ ।। પ ।। વચન વિમુખથી જેહ સુખ મળે, તેહ સુખ સર્વે જાજો સમૂળ; નિષ્કુળાનંદ એવું નવ કરો રે, જેમાં આવે દુઃખ અતુળ.તપ૦ ।। ૬ ।। read more
0 Views : 142

વચનવિધિ કડવું:- ૪૯

અતોળ રોળ રહ્યા છે જેમાંજી, શીદને તૈયાર રહો છો તેમાંજી અણુ એક ભાર નથી સુખ એમાંજી, દુઃખ દુઃખ દુઃખ છે દુઃખની સીમાજી સીમા છે સરવે દુઃખની, હરિ વિમુખનો વળી સંગ ।। મહાપ્રભુ મળવાને મારગે, જાણું આડો ઊતર્યો ભોયંગ ।। ર ।। જેમ આવ્યો દિન આનંદનો, ત્યાં મૂવો મોટેરો સુત રે ।। તેમ અવસર આવ્યો હરિભજયાનો, ત્યાં મળ્યો જાણો યમદૂત રે ।। ૩ ।। જેમ ભોજન બહુ રસે ભયાર્ં, કયાર્ં જુગત્યે જમવા જેહ ।। તેમાં પડી મૂઈ માખિયો, કહો કેમ ખવાય તેહ ।। ૪ ।। તેમ મનુષ્ય દેહ મહામોંઘામાંહિ, વચન પડ્યાં વિમુખનાં ।। સુખ ન આવે સ્વપને, એ તો દેનાર છે દુઃખના ।। પ ।। દૈત્ય દાનવ દનુજ  થયા, યક્ષ રાક્ષસ ભૂત પલીત ।। તે સર્વે વિમુખના સંગથી, બીજી મા જાણજો કોઈ રીત ।। ૬ ।। જેવી વચનદ્રોહીથી વાત વણસે, તેવી વણસે નહિ વેરી થકી ।। વેરી કાપે એક કંઠને, આ તો કોટિ કંઠે નથી નકી ।। ૭ ।। એને સંગે એવા દુઃખ મળે, ત્યારે તેનાં તે દુઃખ કેવાં કહિયે ।। નિષ્કુળાનંદ ન કહિયે ઘણું, એ તો મનમાં સમજી લહિયે ।। ૮ ।। read more
0 Views : 114

વચનવિધિ કડવું:- પ૦

વિમુખ તે મરી થાશે વૈતાળજી, ક્ષુધા પિપાસા વધશે વિશાળજી જળાશયે જાતાં રોકશે વરુણ રખવાળજી, ત્યારે સર્વ દુઃખનો મળશે તાળજી તાલ મળશે તે જાણજો, પીવું પડશે પેશાબને ।। તે વિના જળ નહિ મળે, જયારે હરિ લેશે હિશાબને ।। ર ।। ભૂત પલિતને ભોજન કરવા, નથી વિષ્ટા વિના બીજું વળી ।। એવાં સુખ છે વિમુખનાં, લીધાં છે શાસ્ત્રેથી સાંભળી ।। ૩ ।। વ્યોમ  વસુંધરા  વચ્ચમાં, વસવા છે વાયુ ભૂતને ।। ઘાટ  વાટ  ઊજડ  અગારે,  કહ્યું રે’વાનું કપૂતને ।। ૪ ।। ઝાડ પા’ડ નિરજળ દેશે, વસશે વસમા સ્થાનમાં ।। અશુદ્ધ જળ ઉતાર અન્નને, ખાઈ ખુશી રે’શે ખાન પાનમાં ।। પ ।। એવાં દુઃખ ભોગવશે, વચન દ્રોહી વિમુખ જન જો ।। ત્યાં નથી ઉધારો એહનો, તૈયાર છે મુકતા તન જો ।। ૬ ।। હમણાં તો જાણે ખાટ્યા ખરા, વિમુખ થઈ રહ્યાં વેગળા ।। પણ ખાધી મોટી ખોટ્યને, જયારે પ્રજળશે પાપની પળા૯ ।। ૭ ।। આજ તો થયું છે અટપટું, વર્તતાં વા’લાના વચનમાં ।। નિષ્કુળાનંદ કહે પછી વિમુખને, થાશે મૂંઝવણ્ય મનમાં ।। ૮ ।। read more
0 Views : 145

વચનવિધિ કડવું:- પ૧

તે સારુ ડરતા રહે સૌ જન દિન રાતજી, રખે કોય વચન લોપી થાય વાતજી ત્યારે તો જાણવું ઘણી થઈ ઘાતજી, હવે કેમ રે’શે હરિ રળિયાતજી રળિયાત કેમ રહેશે હરિ, ફરી ફરી વિચારે વાતને ।। સુખ સર્વે પરહરે પરાં, જાણી જગજીવન કળિયાતને ।। ર ।। હરિ રાજી કરવા હૈયામાં, મનસુબો બહુ મનને ।। તન ધન સુખ સંપત જાતાં, રાજી કરે ભગવાનને ।। ૩ ।। પ્રસન્ન કરવા મહાપ્રભુને, રહે તનમાં બહુબહુ તાન ।। બીજું જાયે મર બગડી, તેનું જરાય ન માને જયાન ।। ૪ ।। સુખ નર નિરજરનાં,  મર જાયે સમૂળાં સૌ મળી ।। હરિ કુરાજિયે કામ ન આવે, એવી વિચારે વાત વળી ।। પ ।। બીજા રાજી કુરાજિયે કરી, નથી ખાટ્ય ને ખોટ્ય ખરી ।। માટે ગમતું કરવું ગોવિંદનું, બીજાનું મૂકવું પરહરી ।। ૬ ।। તે જ સમજુ સંત શાણા, વળી તે જ બહુ બુદ્ધિવંત ।। તે જ ચતુર પરવીણ ડાહ્યા, જેણે રાજી કર્યા ભગવંત ।। ૭ ।। કરી લીધી એણે સર્વ કમાણી, કેડ્યે ન રાખ્યું કરવું ।। નિષ્કુળાનંદ હરિ રાજિયે, ફરી ન રહ્યું પાછું ફરવું ।। ૮ ।। read more
0 Views : 1265

વચનવિધિ કડવું:- પર

વચનવિધિ આ ગ્રંથ છે રૂડોજી, હરિવિમુખને લાગશે કૂડોજી જેને પેરવો છે પરનરનો ચૂડોજી, તે તો કે’શે આ કવિ કાલૂડોજી કાલુડાઈમાં ગ્રંથ કર્યો, તેમાં વગોવ્યા વિમુખ અતિ ।। દીઠા દુઃખિયા વિમુખને, ત્યારે સનમુખ શી પામ્યા ગતિ ।। ર ।। એમ કહી અભાગિયા, કોઈ વિમુખપણું તજતા નથી ।। વચનદ્રોહીપણું દઢ કરી, હરિ કોઈ ભજતા નથી ।। ૩ ।। હરિ ભજશે જન હરિના, માની મનમાં મોટા સુખને ।। સદા રહેશે સત્સંગમાં, નહિ વસે પાસ વિમુખને ।। ૪ ।। વિમુખથી રહી વેગળા, કરી લેશે પોતાના કામને ।। સાચા સંતની શીખ લઈ, પામશે પ્રભુના ધામને ।। પ ।। જે ધામને શુક સનકાદિક, વખાણે છે વારમવાર ।। તે ધામને પામશે, વામશે સરવે વિકાર ।। ૬ ।। અવશ્ય કરવાનું એ જ છે, તે કરી લેશે કારજ ।। છેલ્લી શિખામણ સાંભળી, તેમાં ફેર નહિ રાખે એક રજ ।। ૭ ।। પૂરણ સુખને પામવા,  એટલું  તો  ધારવું  ઉર ।। નિષ્કુળાનંદ નિશ્ચે કરી, જોઈએ આ વાત જાણવી જરૂર ।। ૮ ।। read more
0 Views : 1257
Powered By Indic IME