મનમુખી દુઃખી ભેળા થાય જયારેજી, પરસ્પર નર કરે વાત ત્યારેજી; હું તો નીસર્યો વચનથી બા’રેજી, સર્વ અંગે સુખ પામ્યો તે વારેજી. સુખ પામ્યો સાંકડ્ય ટળી, નીસર્યો બંધનથી બારણે ।। કૈક ઉપાય કર્યા’તા કહું છું, મુજને રાખવા કારણે ।। ર ।। ડાહ્યા સાધુએ આપ ડા’પણે, વળી રાખ્યો’તો મને રોકીને ।। પણ કેણ ન માન્યું મેં કોઈનું, આવ્યો હું મંડળી મૂકીને ।। ૩ ।। માહાત્મ્ય મહિમા મોટપ્ય દેખાડી, જકડી બાંધ્યો’તો મારા જીવને ।। નીસર્યાનું નો’તું બારણું, કોણ જાણે કર્યું કેમ દૈવને ।। ૪ ।। ઠામોઠામ મારા ઠાઉકા, ઓડા બાંધ્યા’તા અતિ ઘણા ।। પાસલામાં મને પાડવા, રાખી નો’તી કાંઈ મણાં ।। પ ।। પણ સમો જોઈને હું સબકયો, પાછો ખોળતાં ખોજ નવ જડ્યો ।। ઝાઝી જતન રાખતાં પણ, એના પેચમાં હું નવ્ય પડ્યો ।। ૬ ।। અર્ધી રાતે હું ઊઠિયો, લખ્યાં હતાં તે પુસ્તક લઈને ।। સુતાં મૂકી હું સહુને વળી, આવ્યો છું દાંતુંમાં દઈને ।। ૭ ।। એમ વિમુખ જન કરે વડાઈ, વિમુખ જનને આગળ્યે ।। નિષ્કુળાનંદ કહે નિશ્ચે જેને, જાવું છે જમની ભાગળ્યે ।। ૮ ।।
read more