વચનદ્રોહીનો વિશ્વાસ કરતાંજી, પાર ન આવે ચોરાસી ફરતાંજી મહાદુઃખ પામિયે જનમતાં મરતાંજી, માટે દિલમાં રહિયે એથી સદાયે ડરતાંજી ડરતા રહિયે અતિ દુષ્ટથી, દગે દેખી લૈયે દગાદાર ।। સમો આવે તો શત્રુપણું, વાવરતાં ન કરે વાર ।। ર ।। જેમ ચિત્ર ચાપ આપે નમે, પણ લિયે બીજાના પ્રાણ ।। તેમ વિમુખ મુખે મીઠું વદે, પણ ફેરવે ચારે ખાણ ।। ૩ ।। જેમ ભરી બંદૂક બરિયાનમાં, કપિ કળી વળી મૂકે કાનમાં૯ ।। અડાડીને રહે અળગો, પણ સામાને રોળે રાનમાં ।। ૪ ।। સમજી સુંવાળા સર્પને, કોઈ સુવે વળી લઈ સોડ્યમાં ।। માનજો મને તેને મારશે, અવશ્ય કરડી ઓડ્યમાં ।। પ ।। વિકટ અટવિ વાટમાં, વેરી લિયે વળાવડે ।। તેને કહો કુશળ રે’વાની, પ્રતીતિ તે કેમ પડે ।। ૬ ।। તેમ વચનદ્રોહીનો વિશ્વાસ કરે, રાખે હરિવિમુખશું હેત ।। તેને સુખ થાવા શીદ પૂછવું, જે વશ્યો દુઃખનિકેત ।। ૭ ।। માટે સર્વે પ્રકારે સમજો, વર્જો સંગ વચનદ્રોહીનો ।। નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, રાખો સંગ સંત નિર્મોહીનો ।। ૮ ।।
read more