Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૩ વચનવિધિ
Per Page :

વચનવિધિ કડવું:- ૧

રાગ:- ધન્યાશ્રી સમરો સુખદ શ્રીહરિદેવજી, જેથી પામીએ આનંદ અભેવજી જેહ આનંદનો નાવે કેદી છેવજી, તેહ સુખ આપે હરિ તતખેવજી ઢાળ:- હરિ હરખી સુખ આપે, જો વર્તીએ વચનમાંય ।। મેલી ગમતું મનતણું, રહીએ શ્યામ ગમતે સદાય ।। ર ।। પૂરણ સુખને પામવા, રહીએ હરિઆજ્ઞા અનુસાર ।। તે વિના મોટપ્ય નવ મળે, જન જોવું કરી વિચાર ।। ૩ ।। ભવ બ્રહ્મા આ બ્રહ્માંડમાં, મહા મોટા કહે સહુ કોય ।। તે મોટપ્ય શ્રીમહારાજથી, એહ સમજવું જન સોય ।। ૪ ।। શશી સૂર્ય સમર્થ સહી, કરે સર્વે લોકે પ્રકાશ ।। તે પ્રસન્ન કરી પરબ્રહ્મને, અંગે પામ્યા એવો ઉજાસ ।। પ ।। શેષ સુરેશ ને શારદા, ગણપતિ ગુણના ભંડાર ।। રામ રાજિયે હનુમાન હુવા, અતિ મોટા પરમ ઉદાર ।। ૬ ।। ભૂત ભવિષ્ય વર્તમાનમાં, હરિ રાજીપામાં જે રહ્યા ।। દેવ દાનવ માનવ મુનિ, તે સર્વે મોટા થયા ।। ૭ ।। મોટું થાવાનું હોય મનમાં, તો હરિવચનમાં હમેશ રૈ’યે ।। નિષ્કુળાનંદ કહે ન લોપિયે, વાલમનું વચન કૈયે ।। ૮ ।। read more
0 Views : 1506

વચનવિધિ કડવું:- ર

વચને કરી છે વર્ણાશ્રમજી, વચને કરી છે ત્યાગી-ગૃહી ધર્મજી વચને કરી છે કર્મ અકર્મજી, એહ જાણવો જન મને મર્મજી મર્મ એમ જન જાણીને, રહેવું વચન માંહે વળગી ।। વચન લોપી જાણે સુખ લેશું, એવી અવિદ્યા કરવી અળગી ।। ર ।। વચને ઇન્દુ અર્ક ફરે, હરે તમ કરે પ્રકાશ ।। વચને ઇન્દ્ર વૃષ્ટ કરે, માની વચનનો મને ત્રાસ ।। ૩ ।। શેષજી શિરે ધરી રહ્યા, ચૌદ લોક ભૂમિનો ભાર ।। વચને કાળ શકત કરે, ઉત્પત્તિ સ્થતિ સંહાર ।। ૪ ।। વચને બાંધ્યો સિંધુ રહે, પાળ વિનાનું પાણી વળી ।। તેણે કરી શું તુચ્છ થયા, એહ આદ્યે સરવે મળી ।। પ ।। વચન માંહી વર્તતાં, વણતોળી મોટપ્ય મળે ।। વચન વિરોધી વિમુખ નર, તાપત્રયમાં  તેહ બળે ।। ૬ ।। વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ, વચને બદ્ધ મુકત કહિયે ।। તે વચન શ્રીહરિ મુખનાં, સુખદાયક સરવે લહિયે ।। ૭ ।। એમ સમજી સંત શાણા, વર્તે છે વચન પ્રમાણ ।। નિષ્કુળાનંદ તે ઉપરે, સદા રાજી રહે શ્યામ સુજાણ ।। ૮ ।। read more
0 Views : 1492

વચનવિધિ કડવું:- ૩

વચનમાં વરતે સંત શાણાજી, દેહ ગેહ સુખમાં જે ન લોભાણાજી મન કર્મ વચને હરિ બોલે બંધાણાજી, એવા જન જેહ તેહ મોટા ગણાણાજી મોટા ગણાણા તે માનવું, કર્યું ગમતું જેણે ગોવિંદતણું ।। તે વિના મોટપ્ય નવ મળે, ફરી ફરી શું કહિયે ઘણું ।। ર ।। રાધાજિયે રાજી કર્યા, શ્રી કૃષ્ણ કૃપાનિધાન ।। તેણે કરીને મોટપ્ય મળી, વળી પામિયા બહુ સનમાન ।। ૩ ।। કમળાએ કૃષ્ણને રીઝવ્યા, રીઝ્યા અલબેલો અવિનાશ ।। તેણે કરીને તેહ પામિયાં, હરિ ઉરે અખંડ નિવાસ ।। ૪ ।। વૃંદા વચનમાં વરતી, કર્યા પ્રભુને પ્રસન્ન ।। તેણે કરી હરિ અંઘ્રિમાં, રહ્યાં કરી સુખ સદન ।। પ ।। વ્રજવનિતા વચને રહી, વળી વા’લા કર્યા વ્રજરાજ ।। તેણે કરીને તોલે તેને, ના’વે શિવ બ્રહ્મા સુરતાજ ।। ૬ ।। પંચાલિયે પ્રસન્ન કર્યા પ્રભુને, આપી ચીરી ચીંથરી ચીરતણિ ।। તેણે કરી તને નગ્ન ન થયાં, વળી ભકત કા’વ્યાં શિરોમણિ ।। ૭ ।। એહ રીતે મોટપ્ય મળે, પહેલા રાજી કર્યે પરબ્રહ્મ ।। નિષ્કુળાનંદ કહે તે વિના, ઠાલો પડે જાણો પરિશ્રમ ।। ૮ ।। read more
0 Views : 1431

વચનવિધિ કડવું:- ૪

માની વચન મોટા થયા કઈજી, જે મોટપ્ય કહેતાં કહેવાય નહીંજી તેહ પામ્યા વા’લાને વચને રહીજી, એ પણ મર્મ સમજવો સહીજી સહી સાબિત કરી શિરસાટે, રહ્યા વચનમાં કરી વાસ ।। ઉન્મત્તાઈ અળગી કરી, થઈ રહ્યા દાસના દાસ ।। ર ।। મોટાં સુખને પામવા, વામવા કષ્ટ કલેશ ।। તેને વચનમાં વર્તતાં, નથી કઠણ કાંઈ લવલેશ ।। ૩ ।। પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞા અનુસાર ।। આદ્યે અંત્યે મધ્યે મોટા થયા, તે તો વચનથી નિરધાર ।। ૪ ।। સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞાલોપ ।। રાજી કરવાનું રહ્યંુ પરું, પણ કરાવિયે નહિ હરિને કોપ ।। પ ।। મોટપ્ય માનવી કેમ મળે, વાઢી કાઢે વચનનાં મૂળ ।। સુખ થાવાનું શાનું રહ્યું, થયું સામું સો ઘણું શૂળ ।। ૬ ।। અલ્પ સુખ સારુ આગન્યા, લોપે છે શ્રીહરિતણી ।। પરમ સુખ કેમ પામશે, ભાઈ ધારજો તેના ધણી ।। ૭ ।। વસી  નગર નરેશને, વેર  વાવરે નરનાથશું૯ ।। નિષ્કુળાનંદ કહે નરસું, એણે કર્યું એના હાથશું ।। ૮ ।। read more
0 Views : 1461

વચનવિધિ પદ:- ૧

રાગ–જકડી:- ‘વચન લોપી જાણે સુખ લેશું રે’ એ ઢાળ. નહિ પામે પામર નર સુખ રે, રહી હરિવચનથી વિમુખ રે… નહિ૦ ટેક. સુખ પામશે સંત સુજાણ રે, જે કોય વર્તે છે વચન પ્રમાણ રે; થઈ રહી વા’લાના વેચાણ રે… નહિ૦ ।। ૧ ।। કર્યું ધ્વજપટ ઘટ મન રે, વળે જેમ વાળે છે પવન રે; એમ માને વાલાનાં વચન રે… નહિ૦ ।। ર ।। જેમ નરમ તૃણ નદી તટ રે, વારિ વેગે વળી જાય ઝટ રે; તેને શીદને આવે સંકટ રે… નહિ૦ ।। ૩ ।। એમ વચન વશ થઈ રહે રે, તે તો મોટા સુખને લહે રે; નિશ્ચે નિષ્કુળાનંદ એમ કહે રે… નહિ૦ ।। ૪ ।। read more
0 Views : 1439

વચનવિધિ કડવું:- પ

વચનદ્રોહીનાં જો થાય વખાણજી, તો શીદને કોયે વરતે વચન પ્રમાણજી જેમાં તન મને થાવું હેરાણજી, સુખ મૂકી દુઃખ ન ઇચ્છે અજાણજી અજાણ પણ ઇચ્છે નહિ, કાયાને કારસો  આપવા ।। વણ કારસે વારિ મળે તો, કોણ જાયે કૂપ કાપવા ।। ર ।। ત્યારે દમે શીદ કોઈ દેહને, વણ દમે વિરમે વિપત્તિ ।। શીદ વરતે વચનમાં, વણ વરતે પામે સુખ સંપત્તિ ।। ૩ ।। વચનમાં વસમું ઘણું, વરતવું નર અમરને ।। મોકળ્યમાં મજા ખરી, ચોખી જાણો ચરાચરને ।। ૪ ।। પણ મોટી મોજ મળે નહીં, મોટાની મરજી મૂકતાં ।। મૂળગા મૂળમાંથી મટે, વડાના વચનમાંથી ચૂકતાં ।। પ ।। એમ સમજી સમજુ, વરતે છે વચનમાંય ।। મોટા મોટા બીવે છે મનમાં, રખે ફેર પડતો કાંય ।। ૬ ।। બની વાત જાય બગડી, જો લેશ લોપાય વચન ।। લેખે ન આવે દાખડો, વળી થઈ જવાય નિરધન ।। ૭ ।। એહ મત શાણા સંતનો, નવ પાડે વચનમાં ફેર ।। નિષ્કુળાનંદ નિશ્ચે કરી, કહ્યું એ વેરમવેર ।। ૮ ।। read more
0 Views : 1404

વચનવિધિ કડવું:- ૬

વચન વાલાનું લોપશો મા લેશજી, એટલો તો માની લેજો ઉપદેશજી લોપતાં વચન આવશે કલેશજી, હેરાનગતિ પછી રહેશે હમેશજી હમેશ રહેશે હેરાન ગતિ, અતિ તુચ્છ કરશે તિરસ્કાર ।। આજ્ઞા હરિની લોપતાં, ભવમાં  નહિ રહે ભાર ।। ર ।। બ્રહ્માએ ભાંગી હરિ આગન્યા, જોયું નિજસુતાનું શરીર ।। જોતાં મતિ રતી નવ રહી, વળી ગઈ હૈયેથી ધીર ।। ૩ ।। અણઘટિત ઘાટ ઊપજયો, જે મટાડતાં મટ્યો નહિ ।। તે પાંચમે મુખે પ્રકાશિયો, નેક અતિ નિર્લજજ થઈ ।। ૪ ।। એવાને પણ એમ થયું, મરજાદા હરિની મેલતાં ।। ત્યારે બીજાની બકાત્ય સહી, ખેલ અખેલ્યા ખેલતાં ।। પ ।। એવી અભંગ છે આગન્યા, અખંડ હરિની આકરી ।। તેને  લોપતાં  ત્રિલોકમાં,  કહો  કોણ બેઠો ઠરી ।। ૬ ।। સુખ કરણી છે દુઃખ હરણી, આગન્યા શ્રીમહારાજની ।। આસુરી જનને અર્થ ન આવે, છે દૈવી જીવના કાજની ।। ૭ ।। આસુરી મતિને જે આશર્યા, તેને આજ્ઞાની આડી કશી ।। નિષ્કુળાનંદ એ નરનું, નાક કાપવું ઘટે ઘશી ।। ૮ ।। read more
0 Views : 293

વચનવિધિ કડવું:- ૭

વણ કાપે નાક ગયું છે કપાઈજી, તે જાણજો જરૂર જન મન માંઈજી તેની અપકીર્તિ ગ્રંથમાં ગવાઈજી, એથી નરસું નથી બીજું કાંઈજી નથી બીજું કાંઈ નરસું, હરિ આજ્ઞામાં હાલવું નહિ ।। એવા નર અમર અજ ઈશ, સુખ કયાંથી પામે સહિ ।। ર ।। મહેશ મોટા દેવતા પણ, ભોળાનામની ભોળપ્ય રઈ ।। મોહિની રૂપની મનમાં, જોવાને ઇચ્છા થઈ ।। ૩ ।। ત્યારે હરિયે વાર્યા ઘણું હરને, નથી રૂપ એ જોવા સરખું ।। પણ સનો લીધો સમજયા વિના, હરિવચનને નવ પરખ્યું ।। ૪ ।। પછી ધરી હરિ રૂપ મોહિનીનું, આગળ આવી ઊભા રહ્યા ।। શિવ જોઈ સુધ બુદ્ધ ભૂલ્યા, વિવેક વિના વ્યાકુળ થયા ।। પ ।। નૈષ્ઠક વ્રત તે નવ રહ્યું, થયું જોગકળા માંહી જયાન જો ।। તે લખાણું છે કાગળે, સહુ જન એ સાચું માનજો ।। ૬ ।। વળી ભવનું વચન લોપી ભવાની, ગયાં દક્ષના જગનમાં ।। ત્યાં અતિ અનાદરે તન ત્યાગી, બળી મૂવાં આપે અગનમાં ।। ૭ ।। વચન લોપતાં દુઃખ લહે, દેવ દાનવ અહિ  અતિ ।। નિષ્કુળાનંદ ન કીજિયે, વચન લોપ રાઈ રતિ ।। ૮ ।। read more
0 Views : 302
Powered By Indic IME