Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૨ સ્નેહગીતા
Per Page :

સ્નેહગીતા કડવું:- ૩૩

ઊદ્ધવ અમે અંતરે થઈછું જાજરીજી, તેતો શ્યામ સલુણાને સ્નેહે કરીજી । ધીર અંગે અબળા નથી શકતી ધરીજી, અધુરૂં પુરુ કરવા આવિયા તમે ફરીજી ।।૧।। ઢાળ – અધુરૂં પુરુ કરવા કાજે, એ સંદેશો કૃષ્ણે કહાવિયો । કાળજું તો કાપીને ગયા’તા, વળી મારીને પ્રાણ મંગાવિયો ।।૨।। પ્રાણ અમારા લઈને ઊદ્ધવ, અલબેલોજી શું કરશે । અમો અબળાનો અંત આણે, એનું કારજ તે શું સરશે ।।૩।। માશી મલ્લ મામાને માર્યો, એમ આવી મારે મર અમને । પણદૂર રહીને દગા રચેછે, તેતો ઘટતું નથી ત્રિકમને ।।૪।। સ્વારથ વિના શાને માટે, અમ ઊપર એણે આદર્યું ।  અમે અબળાએ ઊદ્ધવ એનું, ભૂંડું તે ભાઈ કહો શું કર્યું ।।૫।। અનેક અપરાધ હોય અબળાના, તોયે નર નથી કોઈ મારતા । ભણી આવ્યા છે ભાઈ બહુ, કેમ એટલું નથી વિચારતા ।।૬।। પારાધી બાંધી મારે પશુને, તેતો માંસ ચર્મને માટ જો ।  એતો અમારૂં અર્થ નહિ આવે, શું મારીને કરશે ખાટ જો ।।૭।। નો’તુંદીઠું નો’તું સાંભળ્યું, જે પ્રીત કરીને પ્રાણ હરવા । ઊદ્ધવજી એવું અલબેલાને, કોણે શીખવ્યું જો કરવા ।।૮।। કેને કહીએ કોણ સાંભળે, જયારે અલબેલે એવું આદર્યું ।  ઊગરવાની અમે આશા મેલી, મરવાનું મન નિશ્ચે કર્યું ।।૯।। અધુરે સુખે મરશું અમે, રે’શે આશા અમારી એહશું ।  નિષ્કુલાનંદના નાથ સાથે, નથી પડવું નોખું સ્નેહશું ।।૧૦।। કડવું ।।૩૩।। read more
0 Views : 144

સ્નેહગીતા કડવું:- ૩૪

ઊદ્ધવજી એહની વાત કહું કથીજી, કોઈ રીતે કૃષ્ણમાંહિ જો કાચું નથીજી । અમે તો વિચાર્યું અમારા મનથીજી, અર્થ સારી ગયા એહ આપ સ્વારથીજી ।।૧।। ઢાળ – અર્થ સારી અલબેલડો, અળગા જાઈને એહ રહ્યા । વિયોગે અમે વિલખી વિલખી, શરીરના સુખથી ગયા ।।૨।। જેમ પુષ્પની વાસ લઈ વેગળો, અલિ ઊડીને આઘો ફરે । જમ ફળ ખાઈ ખગ તજે તરુ, તેમ કૃષ્ણજી પણ એમ કરે ।।૩।। દાહક વનને જેમ મૃગ મેલે, વિન તેજ રાજન રૈયત તજે । જેમ નિર્ધન પુરૂષ પરહરે પુંશ્ચલી, એમ અમને તજયાં બાંધી ધ્વજે ।।૪।। જેમ સૂકા સરને પરહરીને, મેલીને જાય છે મરાલ ।  જેમ ભીક્ષા લઈને તજે ભવન ભીક્ષુ, એવો નેહ કરે નંદલાલ ।।૫।। વિદ્યાર્થી જેમ વિદ્યા ભણીને, વળી તજેછે વિદ્યાવાનજી । જેમ દક્ષિણા લઈ યજમાન તજે, તેમ કરે છે એહ કાનજી ।।૬।। એમ અમને પરહર્યા ં, અલબેલે ઊદ્ધવ આજરે ।  અમારૂં સુખ રાખ્યું અધુરૂં, એણે સાર્યું એનું કાજરે ।।૭।। હવે છેટે રહી છેદેછે છાતી,દૂર રહીને દિયેછેદુઃખજી ।  પ્રીત કરી પ્રાણ હરિ મેલ્યા, પછી સાનું રહે હવે સુખજી ।।૮।। સુતાં બેઠાં સ્નેહ સાલે, પળેપળે પડ ઘણું પરજળે ।  ઊદ્ધવજી અંતરની વાતો, તે બા’રે બીજું કોણ કળે ।।૯।। ભરી કસી બાણ ભીંતરે, માર્યા ં છે એણે મર્મનાં । નિષ્કુલાનંદના નાથે અમને, ટાળ્યાં લોક કુળ ધર્મનાં ।।૧૦।। કડવું ।।૩૪।। read more
0 Views : 142

સ્નેહગીતા કડવું:- ૩પ

ઊદ્ધવજી એવું હતું એને મનજી, જે કલપાવી કલપાવી તજાવશું તનજી । તો ઠોરઠોર નહોતી કરવી જતનજી, જયારે એને આપવોતો અમને આવો દિનજી ।।૧।। ઢાળ – દિનદેવોતો જોદુઃખનો, વળી વણ મોતે હતાં મારવાં । તો અનેક વિઘ્નમાંહિથી અમને, આગે નોતાં ઊગારવાં ।।૨।। ભયાનક વ્યોમાસુર ભયથી, વળી રાખિયાં રૂડી રીતશું । શકટાસુર તૃણાવર્ત તેથી, પહેલાં ઊગારિયાં એને પ્રિતશું ।।૩।। કેશી વૃષભ અઘાસુરથી, અમને અલબેલે ઊગારિયાં । વત્સાસુર બગાસુર બીજાથી, વળી વ્રજનાં વિઘ્ન નિવારિયાં ।।૪।। વિષ નિરવિષ ઘર વરુણથી, કરી વ્રજવાસીની એણે સાર ।  અમારે કારણે ઊદ્ધવ એણે,દાવાનળ પીધો દોય વાર ।।૫।। વળી ઈન્દ્ર કોપ્યો વ્રજવાસી ઊપરે, મહાપ્રલયનો મેઘ મેલિયો । વીજ ઝભકે નીર ખળકે, વળી અંધકાર અતિશે થયો ।।૬।। ઘોર ગર્જના સુણી થયાં ઘાંઘાં, જાણ્યું આજ કલ્પાંત આવિયો ।  ત્યારે ધરી ગોવર્ધન કર ઊપરે, વ્રજસાથ એણે બચાવિયો ।।૭।। ઊદ્ધવ એણે અમને, અનેક વિઘ્નથી ઊગારિયાં ।  આવું હતું જો મનમાં એને, તો મોર્યે કેમ ન મારિયાં ।।૮।। નથી ખમાતું ઊદ્ધવ અમે, પીડી પીડી જે લેશે પ્રાણ ।  અંતરની શું કહીએ ઊદ્ધવ, તમે નથી અમારા અજાણ ।।૯।। કૃષ્ણે કર્યું એવું કોઈ ન કરે, ઊદ્ધવજી કહું અમને ।  નિષ્કુલાનંદના નાથના સખા, છો ત્યારે કહ્યું તમને ।।૧૦।। કડવું ।।૩૫।। read more
0 Views : 135

સ્નેહગીતા કડવું:- ૩૬

વીરા નથી વિસરતી ઊદ્ધવ એહ વારતાજી, દિલડુંદાઝેછે એ સુખ સંભારતાંજી । વિસરતું નથી વળી અમને વિસારતાંજી, ચાલોને દેખાડીએ જયાં હરિ ગાયો ચારતાજી ।।૧।। ઢાળ – ગાયો ચારતા ગોવિંદ જિયાં, તિયાં ઊદ્ધવને તેડી ગયાં । વનિતા વળી ટોળે મળી, સર્વે સ્થળ વનનાંદેખાડિયાં ।।૨।। ઈયાં એણે અઘાસુર માર્યો, ઈયાં બ્રહ્માજીએ વત્સ હરિયાં । ઈયાં બેસી અન્ન જમિયા, ઈયાં વત્સ બાળક બીજાં કરિયાં ।।૩।। આ સ્થળે એણે ગાયો ચારી, આ સ્થળે પાયા એને નીર । આ સ્થળે એ સ્નાન કરતા, સુંદર શ્યામ સુધીર ।।૪।। આ ઠામે એણે અમને રોકયાં, આ ઠામે મહી લઈ લુટિયાં ।  આ ઠામે એણે અંબર તાણ્યું, તેણે કરી માંટ મારાં ફુટિયાં ।।૫।। ઈયાં એણે વેણ વગાડી, ઈયાં રમાડ્યાં એણે રાસ જો । ઈયાં તજી ભાગી ગયા ભૂધર, ત્યારે અમે થયાં ઊદાસજો ।।૬।। પછી ઈયાં જોયાં એનાં પગલાં, તિયાં લાધી અમને એની ભાળ ।  જુવતી સહિત જાતા જાણ્યા, વળી વળગાડી તેને ડાળ ।।૭।। ઈયાં વશ કીધા અમે, ઈયાં આવ્યા હતા અલબેલ ।  ઈયાં રાસ ફરી રચિયો, પછી રમાડિયાં રંગરેલ ।।૮।। ઊદ્ધવને સર્વે સ્થળદેખાડતાં, અતિ આંખડિયે આંસુ ઝરે ।  ઊદ્ધવ અમે કેમ કરીએ, એમ કહી કહીને રુદન કરે ।।૯।। એવાં સુખ નથીદીધાં એણે, જે વિસાર્યાં પણ વિસરે ।  નિષ્કુલાનંદના નાથ વિયોગે, પાપી પ્રાણ પણ નવ નિસરે ।।૧૦।। કડવું ।।૩૬।। read more
0 Views : 147

સ્નેહગીતા પદ:- ૦૯

રાગ મેવાડી – વાલીડો વિજોગી ગયારે, હો ઊદ્ધવજી અમને। વિસામો વિજોગી ગયારે; હો ઊદ્ધવજી૦ ટેક – અમને કરી અનાથ, નેક નાખી ગયા નાથ । હવે કેમ આવે હાથ, કુબજયાના નાથ થયારે; હો ઊદ્ધવજી૦ ।।૧।। પિયુ સંગે પળેપળ, કોયે નવ પડિ કળ ।  અંતરે આવે છે વળ,દેખોદૂર રહ્યારે; હો ઊદ્ધવજી૦ ।।૨।। કો’ને અમે કરૂં કેમ, અલબેલે કર્યું એમ ।  અંતર જળેછે જેમ, ડુંગરદાઝિયારે; હો ઊદ્ધવજી૦ ।।૩।। નિષ્કુલાનંદનો નાથ, અમારી એ મિરાંથ હાથ ।  વિસારી વ્રજનો સાથ, દિલમાં નાણીદયારે; હો ઊદ્ધવજી૦ ।।૪।। પદ ।।૯।। read more
0 Views : 1241

સ્નેહગીતા કડવું:- ૩૭

ઊદ્ધવનું અંતર મન આશ્ચર્ય પામિયુંજી, આપણું ડહાપણપણુંદેખી ગોપીને વામિયુંજી । જાણ્યું હરિનું હેત જુવતી ઘટ જામિયુંજી, પછી પ્રમદાને ચરણે ઊદ્ધવે શિશ નામિયુંજી ।।૧।। ઢાળ – શિશ નમાવી વળી વંદના કીધી, ધન્ય ધન્ય બાઈ તમે ધન્ય છો । સ્નેહપણ સાચો તમારો, વળી તમે હરિનાં તન છો ।।૨।। તમારા પ્રેમને પાશલે, વળી સર્વે સાધન ન્યૂન છે । મને થયુંદરશન તમારૂં, તેહ મારાં મોટાં પુણ્ય છે ।।૩।। પ્રીત તમારી પ્રમદા, તેની રીત અલૌકિક અબળા । તમારી શ્રીકૃષ્ણ સ્વામીની, કોયે કળાતી નથી કળા ।।૪।। એટલું તો જાણું જો અમે, તમે ગોપીછો ગોલોકની ।  એહ વિના તો ન હોય આવું, હોય બીજે બુદ્ધિ તો કોકની ।।૫।। મોટાં ભાગ્ય માતાજી મારાં, જે કૃષ્ણે મુજને મોકલ્યો । સુણી સુધાસમ વાણી તમારી, પ્રેમેશું પીતાં હું છળ્યો ।।૬।। તમારી પદ રજ માગવા, બાઈ લલચાણું મારૂં મન ।  તમારા દાસનુંદાસપણું, એહ આપજો જુવતી જન ।।૭।। બાઈ બાળક બુદ્ધિએ હું બોલિયો, તેનો હૃદયે ન ધરશો રોષ ।  કાલું બોબડું કહ્યું મેં જેહ, તેહ દાસનો નિવારીએદોષ ।।૮।। સાચી તમારી પ્રીત સજની, વળી સાચો તમારો સ્નેહ ।  સાચી ભકિત તમે કરી સુંદરી, આવો પામી અબળાનોદેહ ।।૯।। મે’ર કરો માતા મુજને, આપો આજ્ઞા તે શિર ધરૂં ।  નિષ્કુલાનંદના નાથ પાસે, કહો તો જાવાનું હવે કરૂં ।।૧૦।। કડવું ।।૩૭।। read more
0 Views : 1241

સ્નેહગીતા કડવું:- ૩૮

ઊદ્ધવ ઊચ્ચરિયા કરી અતિ વિનતિજી, માતાજી મારી છે જો થોડી મતિજી । મૂઢ નવ જાણે ગૂઢ તમારી ગતિજી, આપો મને આજ્ઞા જાઉં હવે જુવતિજી ।।૧।। ઢાળ – જાઉં હવે જગદીશ પાસે, એવી આજ્ઞા કરો તમે । ત્યારે સુંદરી કહે સારૂં વીરા, સુખે પધારો રાજી અમે ।।૨।। પછી ભવન ભવન ગઈ ભામીની, લાવી ભેટ  ભૂધર અરથે । મહી માખણદુધ ઘૃત ગાડવા, વળી લાવીને બાંધ્યા રથે ।।૩।। કોઈક કુરમલડો લાવી, કોઈક તલ બાજરી તલ સાંકળી । કોઈક ધોતી પોતી પીતાંબર, કોઈ લાવી કાળી કાંબળી ।।૪।। ભર્યો રથ લઈ ભેટશું, લાવી વસ્તુ બહુ પ્રકારની ।  અગર ચંદન માળા આપી, ઊદ્ધવ કરજો પૂજા મોરારની ।।૫।। કોઈક કહે ચરણ હૃદે ધરજો, કોઈ કહે અંગોઅંગ ભેટજો । કોઈક કહે હૈયે હાથ ચાંપી, કોઈ કહે ચરણમાં લોટજો ।।૬।। કોઈ કહે જઈ બકી લેજો, કોઈ કહે ગાલ ઝાલી તાણજો ।  કોઈ કહે હાથ જોડી કહેજો, હરિ અમને પોતાનાં જાણજો ।।૭।। જેને જેવું અંગ હતું, તેણે તે તેવું કા’વિયું ।  હેત છુપાળ્યું નવ છુપે, હૈયાનું તે હોઠે આવિયું ।।૮।। વળી સહુ મળી પ્રણામ કહ્યા, ઊદ્ધવ કહેજો જઈ કૃષ્ણને । દયાનિધિદયા કરીને,દેજો વહેલાં હરિ દૃષ્ણને ।।૯।। ઊદ્ધવજી સ્તુતિ કરજો, કર જોડી અમારી વતી ।  નિષ્કુલાનંદના નાથ આગળે, વિધવિધ કરજો વિનતિ ।।૧૦।। કડવું ।।૩૮।। read more
0 Views : 1270

સ્નેહગીતા કડવું:- ૩૯

પ્રમદાનો પ્રેમ તે કેમ કરી જાય કહ્યોજી, સુંદરીનો સ્નેહદેખી દિગમૂઢ થયોજી । ધન્ય ધન્ય અહો ઊદ્ધવ એમ કરે રહ્યોજી, જોયું હેત જુવતીનું અપાર પાર નવ લહ્યોજી ।।૧।। ઢાળ – પાર ન લહ્યો પ્રેમ કેરો, જોઈ જોઈ જોયું ઊદ્ધવે । શ્રીકૃષ્ણ વિના પ્રાણ આના, કેમ કરીને રે’શે હવે ।।૨।। કોઈક મુખ નિશ્વાસ મૂકે, કોઈ આંખડીએ આંસુ ભરે । કોઈક વદન કરી ઉંચું, ગાઢે સ્વરે રોદન કરે ।।૩।। ઊદ્ધવ કહે બાઈ એમ મ કરો, તમે ધરો અંતર ધીર । તમને હરિ સુખ આપશે, લોહી નાખો નયણનાં નીર ।।૪।। ત્યારે સુંદરી કહે અમે શું કરૂં, કેમ રહે નયણાંનાં નીર ઝાલિયાં ।  તમે હતા જે કથા કે’તા, તેહ પણ વીરા તમે ચાલિયા ।।૫।। સારૂં સધાવો સ્નેહી શ્યામના,દરશ સ્પરશ કરો હરિચરણને । અમારાં આશિષ વચન, કે’જો અશરણ શરણને ।।૬।। પછી ઊદ્ધવ ગોપીને પાયે લાગી, માગી શીખ રથ ચલાવિયો ।  રૂહો સ્નેહ સુંદરીનો, મનન કરતાં મથુરાં આવિયો ।।૭।। ઊદ્ધવ આવિને ભેટ્યા ભૂધરને, નયણાં તૃપ્ત ન થાયે નિરખતાં ।  ત્યારે કૃષ્ણ કહે ભલે આવ્યા ઊદ્ધવ, શું કરેછે વ્રજવનિતા ।।૮।। સ્નેહ મુજશું સુંદરીને હતો, અતિ ઘણો અતોલજો ।  કોઈ હવે સંભારેછે વ્રજમાં મને, તમે ઊદ્ધવજી સાચું બોલજો ।।૯।। ઊદ્ધવ કહે સુણો શ્રીહરિ, ધન્ય ધન્ય વ્રજની વિરહિણી ।  નિષ્કુલાનંદના નાથ કે’તાં, વીતે છે દિન ને રેહણી ।।૧૦।। કડવું ।।૩૯।। read more
0 Views : 1256
Powered By Indic IME