પ્રમદાનો પ્રેમ તે કેમ કરી જાય કહ્યોજી, સુંદરીનો સ્નેહદેખી દિગમૂઢ થયોજી । ધન્ય ધન્ય અહો ઊદ્ધવ એમ કરે રહ્યોજી, જોયું હેત જુવતીનું અપાર પાર નવ લહ્યોજી ।।૧।। ઢાળ – પાર ન લહ્યો પ્રેમ કેરો, જોઈ જોઈ જોયું ઊદ્ધવે । શ્રીકૃષ્ણ વિના પ્રાણ આના, કેમ કરીને રે’શે હવે ।।૨।। કોઈક મુખ નિશ્વાસ મૂકે, કોઈ આંખડીએ આંસુ ભરે । કોઈક વદન કરી ઉંચું, ગાઢે સ્વરે રોદન કરે ।।૩।। ઊદ્ધવ કહે બાઈ એમ મ કરો, તમે ધરો અંતર ધીર । તમને હરિ સુખ આપશે, લોહી નાખો નયણનાં નીર ।।૪।। ત્યારે સુંદરી કહે અમે શું કરૂં, કેમ રહે નયણાંનાં નીર ઝાલિયાં । તમે હતા જે કથા કે’તા, તેહ પણ વીરા તમે ચાલિયા ।।૫।। સારૂં સધાવો સ્નેહી શ્યામના,દરશ સ્પરશ કરો હરિચરણને । અમારાં આશિષ વચન, કે’જો અશરણ શરણને ।।૬।। પછી ઊદ્ધવ ગોપીને પાયે લાગી, માગી શીખ રથ ચલાવિયો । રૂહો સ્નેહ સુંદરીનો, મનન કરતાં મથુરાં આવિયો ।।૭।। ઊદ્ધવ આવિને ભેટ્યા ભૂધરને, નયણાં તૃપ્ત ન થાયે નિરખતાં । ત્યારે કૃષ્ણ કહે ભલે આવ્યા ઊદ્ધવ, શું કરેછે વ્રજવનિતા ।।૮।। સ્નેહ મુજશું સુંદરીને હતો, અતિ ઘણો અતોલજો । કોઈ હવે સંભારેછે વ્રજમાં મને, તમે ઊદ્ધવજી સાચું બોલજો ।।૯।। ઊદ્ધવ કહે સુણો શ્રીહરિ, ધન્ય ધન્ય વ્રજની વિરહિણી । નિષ્કુલાનંદના નાથ કે’તાં, વીતે છે દિન ને રેહણી ।।૧૦।। કડવું ।।૩૯।।
read more