Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૪ સારસિદ્ધિ
Per Page :

સારસિદ્ધિ કડવું:- ૩૩

સિદ્ધાંત વાત સંત સાચે જાણીજી, મન કર્મ વચને પૂરી પ્રમાણીજી સુખરૂપ સમજીને ઉરમાંયે આણીજી, એવા સંતની કહું એધાંણીજી એંધાણી કહું એવા સંતની, જેને માયિક સુખ થયાં ઝેર ।। કામ ક્રોધ લોભ કડવા થયા, થયું વિષય સુખશું વેર ।। ર ।। જકતનાં સુખ જોઈને, જેને અંતરે થયાં છે અળખામણાં ।। રૂડાં જાણી નથી રીઝતા, છે અવલ પણ ઇંદ્રામણાં ।। ૩ ।। તે થોડે ખાધે થોડું દુઃખ છે, ઘણું ખાધે દુઃખ થાય ઘણું ।। જેમ ચિરોડી ચુનાની ચપટિયે, ગયું ભૂખ દુઃખ તે કિયાતણું ।। ૪ ।। જેમ શોખે રાખે કોઈ સિંહને, પાળતાં પૂરણ પાપ છે ।। એમ ભવ સુખને ભોગવતાં, મહા મોટો સંતાપ છે ।। પ ।। એવું થયું છે અળખામણું, હરિ વિના બીજું હરામ ।। મુકત આદિ નથી માગતા, એવા સંત છે નિષ્કામ ।। ૬ ।। વૈરાગ્યે ચિત્ત વાસિત છે, ભકત ભાવે ભર્યું છે ભીતર ।। ધર્મમાં પણ દઢ મતિ છે, છે જ્ઞાનનું પણ ઘર ।। ૭ ।। શુભ ગુણ કૈ’યે જે સંતના, તેહ આવી વસ્યા છે ઉરમાં ।। તેણે કરી જન તને મને, સૂધા વરતે છે સુરમાં ।। ૮ ।। તેની દષ્ટે તન અભિમાની, ગીડર નર ગમતા નથી ।। જોઈ સ્વભાવ એ જીવનો, અભાવ રહે છે ઉરથી ।। ૯ ।। તેશું મન મેળવતાં મળે નહિ, ભેળું ભળતાં પણ ન ભળાય […] read more
0 Views : 115

સારસિદ્ધિ કડવું:- ૩૪

સંત અસંતની રીત જૂજવીજી, ભેળાં ન ભળે જેમ રાત ને રવિજી એમ કહે છે સહુ અનુભવીજી, વિધે વિધે વાત તેની કહું વર્ણવીજી વર્ણવી તેની વાત કહું, હરિદાસ અદાસ દોઈની ।। રાગી ત્યાગીની રીત ભેળી, ભળે નહિ કોઈ કોઈની ।। ર ।। એક સુખ ઇચ્છે શરીરનાં, એક ન ઇચ્છે સુખ શરીરનું ।। એક ઇચ્છે નિરસ અન્નને, એક ખાવા ઇચ્છે ખીરનું ।। ૩ ।। એક ઇચ્છે પુરાણું પટ પે’રવા, એક ઇચ્છે અંબર નવીન ।। એક ઇચ્છે અંતરે રે’વા ઊજળા, એક રહે મને મલીન ।। ૪ ।। એક ઇચ્છે લેવા સુખ લોકનાં, એક લોકસુખ તે લેખે નહિ ।। એક ઇચ્છે માયિક મોટપને, એક માયિક મોટપને દેખે નહિ ।। પ ।। એક ઇચ્છે જગ જાણિત થાવા, એક ઇચ્છે થાવા અછતું ઘણું ।। એક ઇચ્છે માન વધારવા, એક ઇચ્છે નિરમાનીપણું ।। ૬ ।। એક ઇચ્છે છે પદાર્થ પામવા, એક કરવા ઇચ્છે છે ત્યાગ ।। એક ઇચ્છે છે અલપ સુખને, એકને અલપ સુખ છે આગ ।। ૭ ।। એક ઇચ્છે રે’વા અરણ્યમાં, એક ઇચ્છે વસ્તીમાંહિ વાસ ।। એક ઇચ્છે વિષયસુખ માણવા, એક એ સુખથી છે ઉદાસ ।। ૮ ।। એમ ભકત અભકતના ભાવને, જુદા જાણજો જરૂર ।। એકને ન ભળવું ભીડમાં, એકને રે’વું હરિશંુ હજુર ।। ૯ ।। એમ દાસ અદાસ દોયને, ભેળું રે’વામાં ભારે રોળ […] read more
0 Views : 102

સારસિદ્ધિ કડવું:- ૩પ

અતોળ રોળ રહ્યા દેહદર્શીને સાથજી, જે રાતદિન ગાય દેહસુખની ગાથજી તેહ વિના વાત નથી આવી બીજી હાથજી, તે કેમ કરશે પ્રસન્ન નરનાથજી નાથ પ્રસન્ન કેમ કરશે, જેને સેવા કરવી છે શરીરની ।। તેને ભાવે નહિ બીજું ભીતરે, મર વાત હોય સુખશિરની ।। ર ।। દેહને અર્થે દાખડો, રાત દિવસ કરે છે રહ્યો ।। જરાય ન કરે જીવ અરથે, તેને ઉપદેશ આપવો શિયો ।। ૩ ।। શરીર સારુ સાચવી રાખે, સર્વે સુખતણો તે સમાજ ।। પણ જે જે કહે જીવ અરથે, તેનો તરત કરી દિયે તાજ ।। ૪ ।। અન્ન અંબર સુંદર જોઈ, સારાં જાણી રાખે સાચવી ।। કાલે આવશે કામ મારે, એમ ઇચ્છા ઉરમાં નિત્ય નવી ।। પ ।। તુચ્છ વસ્તુ પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગશે મનવાંછિત ।। એ ત્યાગી નથી છે વેષ ત્યાગીનો, તેની પડે શી પ્રતીત ।। ૬ ।। ગોળ તજી ખાય છે ખોળને, તૂપ તજી ખાય છે તેલ ।। તે પણ કો’યલ કણઝીતણું, ભૂંડી ગંધે દુઃખનું ભરેલ ।। ૭ ।। એવાં સુખ શરીરનાં, લેવા સારુ વિસાર્યા નાથ ।। તેને સંગે વૈરાગ્યવંત સંત, કેમ કરી રહી શકે સાથ ।। ૮ ।। ભ્રમર ગીંગો ભેળા થયા, આશય અન્યોઅન્યનો અળગો ।। ભ્રમર કમળ ભાળી રહ્યો, ગીંગો ગોબરવાડે વળગો ।। ૯ ।। એમ સંત અસંત ભેળા રહે, પણ નોખા […] read more
0 Views : 120

સારસિદ્ધિ કડવું:- ૩૬

કથી નથી કે’વાતું કડવું લગાડીજી, ચોખા ચોખું ચોકસ પાંતિયા પાડીજી આવે અવસરે જે વરતે છે અનાડીજી, તેને કે’તાં ડરતાં રે’વાએ દાડીજી દાડી રે’વાયે ડરતાં, સાચું કે’તાં ઊપજે કલેશ ।। જેને આઠે અંગે તો કુસંગ છે, છે સતસંગનો તો વળી લેશ ।। ર ।। જેમ નર્તક નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે ।। તેને જાણે છે જે યોષિતા, એ વાત બંધ કેમ બેસશે ।। ૩ ।। વૈરાગ્યહીન ભકતહીન, અને ધર્મ તો ધરથી નથી ।। તેને વાતો ત્યાગની, શીદ કહીને મરિયે મથી ।। ૪ ।। ઝાઝું કે’તાં જોખો ઊપજે, તેને કે’વું તે કળે કળે ।। સે’જે સે’જે કામ સારવું, પણ બહુ તો ન બોલવું બળે ।। પ ।। જેમ સિંહ સમીપે બકરી, તે બીતી બીતી બોલી શકે ।। તેમ અનાડી નરને આગળે, કેમ બોલાએ વણ તકે ।। ૬ ।। જેમ કાળા સર્પના કંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે ।। તેને ઉઘાડતાં દુઃખ ઊપજે, રખે ઉઘાડતા ભોળાપણે ।। ૭ ।। જેમ સાવજનું સાધુપણું, મર્કટ મુખે લીધા લગે ।। તેમ અસાધુ સાધુ થઈ, સાધુને સેવાએ ઠગે ।। ૮ ।। એ પણ વાત ઓળખવી, અતિ રે’વું નહિ અજાણ ।। જેમ વ્યાઘ્ર લોટે ઊંટ આગળે, પણ લઈ લેવા છે પ્રાણ ।। ૯ ।। ખરી વાત એ ખોટી નથી, સાચી માનજો સર્વે સહી ।। નિષ્કુળાનંદ કહે નથી […] read more
0 Views : 110

સારસિદ્ધિ પદ:- ૯

(રાગ:-ધોળ)સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત; દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત..સંત ।। ૧ ।। જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ; અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા કવાથ. . સંત ।। ર ।। જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઇયળનું અંગ; તેમ સંત વચન કટુ કહે, આપવા આપનો રંગ. . સંત ।। ૩ ।। જાણો સંત સગાં છે સહુનાં, જીવ જરૂર જાણ; નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિરવાણ. . સંત ।। ૪ ।। read more
0 Views : 131

સારસિદ્ધિ કડવું:- ૩૭

નિર્વાણ પદમાં પોં’ચાડે સંતજી, જે કોઈ દિલના દયાળુ અત્યંતજી જેને એક ઉર રહિયા ભગવંતજી, તેણે કરી સદાય છે શુભ બુદ્ધિવંતજી શુભ બુદ્ધિવાળા સંત જેહ, તેહ સહુના સુખદાય છે ।। તેથી દુઃખ ન ઊપજે, જે સુરતરુ સમ કે‘વાય છે ।। ર ।। જેમ વિટપ બહુ પરમારથી, પરમારથી પાથ ને પૃથવી ।। ઘન પવન પરમારથી, તેમ પરમારથી રાકેશ રવિ ।। ૩ ।। જેમ તરુ સુખદાયી તેહથી, ફૂલ ફળ દળ શાખા મળે ।। વળી શીતળ કરે છાયા વડે, તેમ સર્વે સંકટ સંતથી ટળે ।। ૪ ।। જેમ જળ મળ હરે જનના, વળી પાન કર્યે હરે પ્યાસ ।। તેમ સંત સુખ સહુને કરે, વળી હરે તન મન ત્રાસ ।। પ ।। જેમ ભૂમિ પરમારથી ભણિયે, ઠામ ધામ ધાતુ આવે કામ ।। તેમ સંત પરમારથી સમજો, સર્વે પ્રાણીના છે સુખધામ ।। ૬ ।। જેમ મેઘ જિવાડે છે મેદિની, જેમ અર્ક કરે છે ઉજાસ ।। જેમ શશી કરે છે શીતળતા, તેમ સંત સહુના સુખનિવાસ ।। ૭ ।। જેમ પંચ ભૂતના પદાર્થથી, સર્વે સુખી રહે છે સંસાર ।। તેમ સંત અલૌકિક સુખના, જાણી લિયો જરૂર આપનાર ।। ૮ ।। સાચા સંતથી સરી ગયાં, કૈક જીવોનાં કાજ ।। એવા સંતને સેવવા, અવસર આવિયો છે આજ ।। ૯ ।। જો મનાય તો મને માનજો, છે અતિ અર્થની વાત ।। […] read more
0 Views : 109

સારસિદ્ધિ કડવું:- ૩૮

સાક્ષાતકાર જેને મળિયા છે સ્વામીજી, તેણે કરી અંતરની વેદના વામીજી ભાંગી ગઈ ખોટ રહી નહિ ખામીજી, તે તો પ્રભુ પ્રકટ પ્રમાણને પામીજી પામી પ્રભુ પ્રગટને, જેને ઓછપ ન રહી અંગ નખશિખ નિષ્પાપ છે, પ્રભુ પ્રગટને પ્રસંગ ।। ર ।। શ્રીહરિના શબ્દ સાંભળ્યા, છે એના એ જ બે કાન ।। પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો, છે તેની તે ત્વચા નિદાન ।। ૩ ।। જેણે પ્રગટ રૂપને પેખિયું, છે એનાં એહ બેઉ નેત્ર ।। જેણે વાલ્યમશું વાતો કરી, છે એની એ જીહ્વા પવિત્ર ।। ૪ ।। પ્રગટ પ્રભુને ચડ્યું જે ચંદન, વળી સુગંધી સુમનના હાર ।। તેની વાસ લીધેલ નાસિકા, છે તેમની તેમ નિરધાર ।। પ ।। જે પ્રગટ પ્રભુના પ્રેર્યું થકાં, ચાલ્યાં છે જેહ ચરણ ।। તેના તે બેઉ પાવ છે, એવા સંત જે સુખકરણ ।। ૬ ।। જે કરે કરી હરિ સેવિયા, પાયાં પાણી જમાડ્યાં અન્ન ।। તેના તે બેઉ બાહુ છે, પ્રભુસ્પર્શના જેહ પાવન ।। ૭ ।। એમ અંગોઅંગે અવિનાશને, સ્પર્શી કર્યું છે પવિત્ર ।।તેને તોલે ત્રિલોકમાં, આવે અંગ કેમ ઇત્ર ।। ૮ ।। એવા સંત સંસારમાં, પછી જોતાં પણ જડશે નહિ ।। માટે હળીમળી હેત કરો, તે વિના પાર પડશે નહિ ।। ૯ ।। બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહિ મળે હરિના મળેલ ।। નિષ્કુળાનંદ એવા સંત સંબંધે, […] read more
0 Views : 109

સારસિદ્ધિ કડવું:- ૩૯

એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધજી, જેણે કરી છૂટે ભારી ભવબંધજી માયિક સુખનો નવ રહે ગંધજી, ઊઘડે અનુભવ આંખ્ય ન રહે અંધજી આંખ્ય ઊઘડે અનુભવની, તે તો સાચા સંત જનને સંગે ।। ઊતરે મેલ માયાતણો, ચિત્ત રંગાઈ જાય હરિને રંગે ।। ર ।। તે સંત મળેલ શ્રીહરિના, પ્રભુ પ્રગટના પ્રમાણ ।। જે અર્સપર્સ૨ પામી પૂરણ છે, સહુ સમજી લેજો સુજાણ ।। ૩ ।। જેમ પારસ સ્પર્શે લોહને, તેમાં લોહપણું લેખવું નહિ ।। એ સાંગોપાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખવું નહિ ।। ૪ ।। તેમ જે સંતને સ્પર્શ્યા શ્રીહરિ, તે સંત એ સર્વે શુદ્ધ છે ।। એમાં અન્ય ભાવ આણવો નહિ, એ જ સારી સુબુદ્ધ છે ।। પ ।। જેમ ચંદન વાસે વૃક્ષ બીજાં, ચંદન સરિખાં થાય છે ।। તેમ શ્રીહરિના સંબંધથી, સંત કલ્યાણકારી કે’વાય છે ।। ૬ ।। જેમ જાહ્નવીજળ જળ ગ્રામનું, સ્પર્શીને કરે છે પાવન ।। તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી, જાણો જાહ્નવીરૂપ હરિજન ।। ૭ ।। એવા સંતને સંબંધે, દોષ કલંક થાય છે દૂર ।। શુદ્ધ થઈ જન સર્વે અંગે, પોં’ચે હરિ સમીપે હજૂર ।। ૮ ।। સંત બહુ બીજા સંસારમાં, તેને તોલે રખે ત્રેવડો તમે ।। હંસ ને બક બરોબર બેઉ, સમજવા નહિ કોઈ સમે ।। ૯ ।। જેમ ચક્રવર્તી ભૂપાળ બાળને, ગરીબ કંગાલ ગણવો નહિ ।। નિષ્કુળાનંદ એ […] read more
0 Views : 97
Powered By Indic IME