Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

સ્નેહગીતા પદ:- ૦૯

રાગ મેવાડી – વાલીડો વિજોગી ગયારે, હો ઊદ્ધવજી અમને। વિસામો વિજોગી ગયારે; હો ઊદ્ધવજી૦ ટેક – અમને કરી અનાથ, નેક નાખી ગયા નાથ । હવે કેમ આવે હાથ, કુબજયાના નાથ થયારે; હો ઊદ્ધવજી૦ ।।૧।। પિયુ સંગે પળેપળ, કોયે નવ પડિ કળ ।  અંતરે આવે છે વળ,દેખોદૂર રહ્યારે; હો ઊદ્ધવજી૦ ।।૨।। કો’ને અમે કરૂં કેમ, અલબેલે કર્યું એમ ।  અંતર જળેછે જેમ, ડુંગરદાઝિયારે; હો ઊદ્ધવજી૦ ।।૩।। નિષ્કુલાનંદનો નાથ, અમારી એ મિરાંથ હાથ ।  વિસારી વ્રજનો સાથ, દિલમાં નાણીદયારે; હો ઊદ્ધવજી૦ ।।૪।। પદ ।।૯।। read more
0 Views : 1243

સ્નેહગીતા કડવું:- ૩૭

ઊદ્ધવનું અંતર મન આશ્ચર્ય પામિયુંજી, આપણું ડહાપણપણુંદેખી ગોપીને વામિયુંજી । જાણ્યું હરિનું હેત જુવતી ઘટ જામિયુંજી, પછી પ્રમદાને ચરણે ઊદ્ધવે શિશ નામિયુંજી ।।૧।। ઢાળ – શિશ નમાવી વળી વંદના કીધી, ધન્ય ધન્ય બાઈ તમે ધન્ય છો । સ્નેહપણ સાચો તમારો, વળી તમે હરિનાં તન છો ।।૨।। તમારા પ્રેમને પાશલે, વળી સર્વે સાધન ન્યૂન છે । મને થયુંદરશન તમારૂં, તેહ મારાં મોટાં પુણ્ય છે ।।૩।। પ્રીત તમારી પ્રમદા, તેની રીત અલૌકિક અબળા । તમારી શ્રીકૃષ્ણ સ્વામીની, કોયે કળાતી નથી કળા ।।૪।। એટલું તો જાણું જો અમે, તમે ગોપીછો ગોલોકની ।  એહ વિના તો ન હોય આવું, હોય બીજે બુદ્ધિ તો કોકની ।।૫।। મોટાં ભાગ્ય માતાજી મારાં, જે કૃષ્ણે મુજને મોકલ્યો । સુણી સુધાસમ વાણી તમારી, પ્રેમેશું પીતાં હું છળ્યો ।।૬।। તમારી પદ રજ માગવા, બાઈ લલચાણું મારૂં મન ।  તમારા દાસનુંદાસપણું, એહ આપજો જુવતી જન ।।૭।। બાઈ બાળક બુદ્ધિએ હું બોલિયો, તેનો હૃદયે ન ધરશો રોષ ।  કાલું બોબડું કહ્યું મેં જેહ, તેહ દાસનો નિવારીએદોષ ।।૮।। સાચી તમારી પ્રીત સજની, વળી સાચો તમારો સ્નેહ ।  સાચી ભકિત તમે કરી સુંદરી, આવો પામી અબળાનોદેહ ।।૯।। મે’ર કરો માતા મુજને, આપો આજ્ઞા તે શિર ધરૂં ।  નિષ્કુલાનંદના નાથ પાસે, કહો તો જાવાનું હવે કરૂં ।।૧૦।। કડવું ।।૩૭।। read more
0 Views : 1242

સ્નેહગીતા કડવું:- ૩૮

ઊદ્ધવ ઊચ્ચરિયા કરી અતિ વિનતિજી, માતાજી મારી છે જો થોડી મતિજી । મૂઢ નવ જાણે ગૂઢ તમારી ગતિજી, આપો મને આજ્ઞા જાઉં હવે જુવતિજી ।।૧।। ઢાળ – જાઉં હવે જગદીશ પાસે, એવી આજ્ઞા કરો તમે । ત્યારે સુંદરી કહે સારૂં વીરા, સુખે પધારો રાજી અમે ।।૨।। પછી ભવન ભવન ગઈ ભામીની, લાવી ભેટ  ભૂધર અરથે । મહી માખણદુધ ઘૃત ગાડવા, વળી લાવીને બાંધ્યા રથે ।।૩।। કોઈક કુરમલડો લાવી, કોઈક તલ બાજરી તલ સાંકળી । કોઈક ધોતી પોતી પીતાંબર, કોઈ લાવી કાળી કાંબળી ।।૪।। ભર્યો રથ લઈ ભેટશું, લાવી વસ્તુ બહુ પ્રકારની ।  અગર ચંદન માળા આપી, ઊદ્ધવ કરજો પૂજા મોરારની ।।૫।। કોઈક કહે ચરણ હૃદે ધરજો, કોઈ કહે અંગોઅંગ ભેટજો । કોઈક કહે હૈયે હાથ ચાંપી, કોઈ કહે ચરણમાં લોટજો ।।૬।। કોઈ કહે જઈ બકી લેજો, કોઈ કહે ગાલ ઝાલી તાણજો ।  કોઈ કહે હાથ જોડી કહેજો, હરિ અમને પોતાનાં જાણજો ।।૭।। જેને જેવું અંગ હતું, તેણે તે તેવું કા’વિયું ।  હેત છુપાળ્યું નવ છુપે, હૈયાનું તે હોઠે આવિયું ।।૮।। વળી સહુ મળી પ્રણામ કહ્યા, ઊદ્ધવ કહેજો જઈ કૃષ્ણને । દયાનિધિદયા કરીને,દેજો વહેલાં હરિ દૃષ્ણને ।।૯।। ઊદ્ધવજી સ્તુતિ કરજો, કર જોડી અમારી વતી ।  નિષ્કુલાનંદના નાથ આગળે, વિધવિધ કરજો વિનતિ ।।૧૦।। કડવું ।।૩૮।। read more
0 Views : 1270

સ્નેહગીતા કડવું:- ૩૯

પ્રમદાનો પ્રેમ તે કેમ કરી જાય કહ્યોજી, સુંદરીનો સ્નેહદેખી દિગમૂઢ થયોજી । ધન્ય ધન્ય અહો ઊદ્ધવ એમ કરે રહ્યોજી, જોયું હેત જુવતીનું અપાર પાર નવ લહ્યોજી ।।૧।। ઢાળ – પાર ન લહ્યો પ્રેમ કેરો, જોઈ જોઈ જોયું ઊદ્ધવે । શ્રીકૃષ્ણ વિના પ્રાણ આના, કેમ કરીને રે’શે હવે ।।૨।। કોઈક મુખ નિશ્વાસ મૂકે, કોઈ આંખડીએ આંસુ ભરે । કોઈક વદન કરી ઉંચું, ગાઢે સ્વરે રોદન કરે ।।૩।। ઊદ્ધવ કહે બાઈ એમ મ કરો, તમે ધરો અંતર ધીર । તમને હરિ સુખ આપશે, લોહી નાખો નયણનાં નીર ।।૪।। ત્યારે સુંદરી કહે અમે શું કરૂં, કેમ રહે નયણાંનાં નીર ઝાલિયાં ।  તમે હતા જે કથા કે’તા, તેહ પણ વીરા તમે ચાલિયા ।।૫।। સારૂં સધાવો સ્નેહી શ્યામના,દરશ સ્પરશ કરો હરિચરણને । અમારાં આશિષ વચન, કે’જો અશરણ શરણને ।।૬।। પછી ઊદ્ધવ ગોપીને પાયે લાગી, માગી શીખ રથ ચલાવિયો ।  રૂહો સ્નેહ સુંદરીનો, મનન કરતાં મથુરાં આવિયો ।।૭।। ઊદ્ધવ આવિને ભેટ્યા ભૂધરને, નયણાં તૃપ્ત ન થાયે નિરખતાં ।  ત્યારે કૃષ્ણ કહે ભલે આવ્યા ઊદ્ધવ, શું કરેછે વ્રજવનિતા ।।૮।। સ્નેહ મુજશું સુંદરીને હતો, અતિ ઘણો અતોલજો ।  કોઈ હવે સંભારેછે વ્રજમાં મને, તમે ઊદ્ધવજી સાચું બોલજો ।।૯।। ઊદ્ધવ કહે સુણો શ્રીહરિ, ધન્ય ધન્ય વ્રજની વિરહિણી ।  નિષ્કુલાનંદના નાથ કે’તાં, વીતે છે દિન ને રેહણી ।।૧૦।। કડવું ।।૩૯।। read more
0 Views : 1258

સ્નેહગીતા કડવું:- ૪૦

ઊદ્ધવ કહે હું શું કહું શ્રીહરિજી, તમારા સ્નેહવશ વ્રજસુંદરીજી । હે કૃષ્ણ કૃષ્ણજી કરેછે ભાવે ભરીજી, નાથ નથી રહી એને ખાન પાનની ખબર ખરીજી ।।૧।। ઢાળ – ખાન પાનની ખબર નથી, ઊન્મત ગત છે અંગની । લોકલાજ કાજ ત્યાગ કરી, ૧રાતી છે તમારા રંગની ।।૨।। જેમ નર કોઈ માદક પીયે, તેને તન તણી શુદ્ધ વિસરે । તેમ તમારા સ્નેહની કેફે કરી, એનેદેહદશા નવ દિસે સરે ।।૩।। જોગ યજ્ઞ જપ તપ તીરથ, વળી વેદ વિધિ કરી કેમ શકે । સ્નેહ માંહિ રહે સમાઈ, બોલે નહિ બોલાવી બોલ્યે થકે ।।૪।। પ્રેમ જોઈને પ્રમદાનો, મારો ગર્વ સર્વે ગળીયો ।  હુંતો ગયો તો શીખદેવા, પણ સામું શીખ લઈને વળિયો ।।૫।। એવા નિર્મળ અંતર વિના, સ્નેહ રસ શેમાં રહે । ચારણી ચિત્તે લટક પ્રીતે, પ્રેમ સુધારસ શું ગ્રહે ।।૬।। એવા સ્નેહ વિના શીદને, મૂરખ કોયે મલકાય છે ।  હજી પશુ જેવી પણ પ્રીત નથી, તો હરિજન હોડ કાંયે થાયછે ।।૭।। પ્રિતમ વિના પ્રેમીના પ્રાણ ન રહે, અને રહે તો પ્રીત ન હોય ।  જેમ જળ વિયોગે ઝષ ન જીવે, પણ જીવે દાદુર કૂર્મદોય ।।૮।। તેમ તમ વિના ગોપીના પ્રાણ ન રહે, પણ રહેવા છે એક રીત ।  જાણે હમણાં હરિ આવશે, એવું ચતવેછે ચિત્ત ।।૯।। પછી ભેટદીધી પૂજા કીધી, કહ્યું વા’લા આપી છે વ્રજસાથને ।  […] read more
0 Views : 1262

સ્નેહગીતા પદ:- ૧૦

રાગ ધોળ – અલબેલા આગળે ઊદ્ધવજીરે કહેછે,  પ્રમદાના પ્રાણ કોણ જાણે કેમ રહેછેરે; ઊદ્ધવ૦ ।।૧।। નીર વિના નયણાં મ કેદિયે નદીઠાં, આંખડિયેથી આંસુ ઝરીઝરી પડેછે હેઠાંરે; ઊદ્ધવ૦ ।।૨।। રોઈ રોઈ ખોયાછેરેદેહના રે હાલ, તમ વિના કૃપાનિધિ થઈછે કંગાલરે; ઊદ્ધવ૦ ।।૩।। તમારા વિયોગ રોગે મણા નથી રાખી, ઝુરીઝુરી જુવતીરે પડીછે ઝાંખીરે; ઊદ્ધવ૦ ।।૪।। પ્રાણ ગયાની પેર એનીરે મદીઠી, વા’લા વધામણી મેલોરે તમે મીઠીરે; ઊદ્ધવ૦ ।।૫।। નિષ્કુલાનંદના નાથજીરે તમને, કહ્યું કર જોડી જેવું જણાણુંરે અમનેરે; ઊદ્ધવ૦ ।।૬।। પદ ।।૧૦।। read more
0 Views : 1262

સ્નેહગીતા કડવું:- ૪૧

શ્રીહરિ કહે ઊદ્ધવ એહ સત્ય છેજી, મુજ સાથે સુંદરીને અતિશે આરત છેજી । દેહ ગેહ સુખથી એહ વનિતા વિરકત છેજી, અચળ અડગ એની મુજ વિષે મત છેજી ।।૧।। ઢાળ – મત એની મુજમાંહિછે, તેણે કરી તનસુખ ત્યાગ છે । વન જઈ શું કરે વનિતા, એને વણ લીધો વૈરાગ્ય છે ।।૨।। કામ ક્રોધ ને લોભ મોહ, તેતો વિરહ વહ્નિએ બળિયા । આતુરતાના અનિલે કરીને, તન વિકાર તેહના ટળિયા ।।૩।। એકાદશ ઈંદ્રિય એની, ઊદ્ધવ આવી એહને મનમાં । સંસાર સંકલ્પ ના’વે સ્વપને, રહે સદાયે બુડી પ્રેમમાં ।।૪।। પ્રીત વશ છે પ્રાણ એના, જેની ચિત્તવૃત્તિ મુજમાં મળી ।  સ્નેહ મુજ સાથે કરતાં, તેણે બીજી વાસના ગઈ બળી ।।૫।। ઈચ્છા નથી કોઈ એને અંતરે, મુજ ચરણ વિના ચૌદલોકની ।ચતુરધાની એણે ચાહના મૂકી, રાખી ભકિત એણે રોકની ।।૬।। મુજ વિયોગે વિલખી વિલખી, તજયાં સુખ સર્વે તનથી ।  ઊદ્ધવજી એવા જન જેવું, વા’લું તે મુજને કોઈ નથી ।।૭।। હુંજ છઉં પ્રાણ પ્રેમીના, અને પ્રેમીજ મારૂં તન ।  ઊદ્ધવજી એમાં અસત્ય નથી, સત્ય માનજે તું મન ।।૮।। મને પ્યાર છે પ્રેમીનો, હુંતો પ્રેમીજનને પુંઠે ફરૂં ।  સ્નેહસાંકળે સાંકળ્યો હું, જેજે જન કહે તેતે કરૂં ।।૯।। પ્રેમીનું પણ પાળવાને, મારૂં પણ મેલ્યું પ્રેમી પાસળે ।  નિષ્કુલાનંદનો નાથ કહેછે, એમ ઊદ્ધવની આગળે ।।૧૦।। કડવું ।।૪૧।। read more
0 Views : 1263

સ્નેહગીતા કડવું:- ૪ર

ભકિત મારી છે બહુ ભાતનીજી, જન મળી કરેછે જુજવી જાતનીજી । પણ પ્રેમની ભકિત છે પ્રાણ ઘાતનીજી, તે કેમ કરી કરે કોયે નથી મુખ વાતનીજી ।।૧।। ઢાળ – મુખવાત તેની નથી થાતી, એતો પ્રાણ ગયાની પેર છે, એવી જે જન આદરે, તેહ ઊપર મારી મે’ર છે ।।૨।। સ્નેહ કરે જે મુજ સાથે, તન મન કરી કુરબાણ । ઊદ્ધવ મારે ધન એહછે, વળી જાણુંછું જીવનપ્રાણ ।।૩।। મને સંભારેછે સ્નેહી જન, તેમ સંભારૂં હું સ્નેહીને । અરસ પરસ રહે એકઠાં, જેમ પ્રીત છેદેહ દેહીને ।।૪।। અંતર પ્રીત સરળ ચિત્ત, વળી હૈયે હેત અતિ ઘણું ।  ઊદ્ધવ એવા જન જેહ છે, તેહ રે’વા ઘર છે મુજતણું ।।૫।। જેનું અંતર લુખું હૃદય સૂકું, વળી નેહ નહિ જેના નેણમાં । ઊદ્ધવજી હુંતો ત્યાં ન રહું, મર ધરે ધ્યાન દિન રેણમાં ।।૬।। જપ તપ તીરથ જોગ યજ્ઞ, જેહમાં તે ફળની આશ છે ।  એહને ધાયે ભકત કહેવાયે, પણ તેશું મારો કાંય દાસ છે ।।૭।। કોય નર નિરાશી ચરણ ઊપાસી, મમતા રહિત મુજને ભજે ।  એવા ભકત જકત વિરકત જેહ, તેહ ઊદ્ધવજી મુજને રજે ।।૮।। હુંતો વશ છઉં પ્રેમને, કહું ગોપ્ય મારો મતછે ।  સ્નેહ વિના હું શિયે ન રીઝું, એહ માનજે સત્ય સત્ય છે ।।૯।। વ્રજવનિતા પ્રેમરતા, પ્રીતે અજીત મને જીતિયો ।  નિષ્કુલાનંદનો નાથ કહેછે, ઊદ્ધવ […] read more
0 Views : 1264
Powered By Indic IME